Surat: સિંગર રિદ્ધિ રાજપરાના પ્રેમલગ્નનો વિવાદ વકર્યો, પાટીદાર સમાજમાં ભારે રોષ
સુરતની સિંગર રિદ્ધિ રાજપરાના ડ્રમર સાથેના પ્રેમલગ્નથી પાટીદાર સમાજમાં ભારે રોષની લાગણી છે. અગ્રણીઓએ આ ઘટનાને નીંદનીય ગણાવી તેને દીકરીનો પરિવાર સાથેનો વિશ્વાસઘાત કહ્યો છે. સમાજે હવે આવી યુવતીઓ માટે પોતાના સ્ટેજ બંધ કરવા સુધીનું આકરા વલણ અપનાવ્યું છે.
Advertisement
Surat Riddhi Rajpara Love Marriage: સુરતમાં રહેતી અને ગાયિકા તરીકે જાણીતી રિદ્ધિ રાજપરાએ ગત 20 મેના રોજ એક ડ્રમર સાથે પ્રેમલગ્ન કરી લેતા પાટીદાર સમાજમાં ભારે વિવાદ સર્જાયો છે. આ ઘટના બાદ પાટીદાર સમાજના અગ્રણીઓએ આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. સમાજના નેતાઓનું માનવું છે કે, આવી ઘટનાઓ સમાજની પરંપરાઓ અને સંસ્કારોને ઠેસ પહોંચાડે છે.

