Surat: હીરા ઉદ્યોગમાં આવી છે ભારે મંદી, રત્નકલાકારે કર્યો આપઘાત
મંદીના મારે રત્ન કાલાકારનો લીધો જીવ હીરામાં મંદીના કારણે આપઘાત કર્યા, પરિવારે વ્યક્તિ કરી વ્યથા સુરતમાં હીરા ઉદ્યોગમાં અત્યારે બારે મંદીનો માહોલ Surat: ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત સિટીમાં હાલ હીરાના ધંધામાં કાળા વાદળો ઘેરાયા છે. જેને લઇને દિવાળી...
Advertisement
- મંદીના મારે રત્ન કાલાકારનો લીધો જીવ
- હીરામાં મંદીના કારણે આપઘાત કર્યા, પરિવારે વ્યક્તિ કરી વ્યથા
- સુરતમાં હીરા ઉદ્યોગમાં અત્યારે બારે મંદીનો માહોલ
Surat: ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત સિટીમાં હાલ હીરાના ધંધામાં કાળા વાદળો ઘેરાયા છે. જેને લઇને દિવાળી પહેલા જ રજાઓ પડી રહી છે. હીરાના ધંધામાં આવેલ મંદીનો સામનો હાલ રત્ન કલાકારો કરી રહ્યા છે. સતત ધંધામાં આવી રહેલ મંદીને લઇને રત્ન કલાકારોની હાલત કફોડી બની ગઈ છે. હાલ તેઓના ઘરનો ચૂલો સળગાવવો પણ મુશ્કેલ બની ગયો છે. સુરત (Surat) જિલ્લામાં વધુ એક રત્ન કલાકારએ આપઘાત કરી જીવન ટુંકાવ્યું છે. કામરેજના કઠોદરા ગામે આવેલ ઓમ પ્લાઝા સોસાયટીમાં રહેતા 30 વર્ષીય રોહિત ભાઈ ભૂપતભાઇ જોગાણીએ ગતરોજ ઝેરી દવા પી લીધી હતી.

