Surendranagar: પાટડીના મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત, બાળકો બિમાર પડશે તો કોની જવાબદારી?
પાટડીના નારણપુરા ગામની શાળામાં મધ્યાહન ભોજન માટે વપરાતા અનાજમાં જીવાત જોવા મળી છે, જેના કારણે બાળકોના સ્વાસ્થ્યનું જોખમ સામે આવ્યું છે. આઘાતજનક બાબત એ છે કે સબડતા અને જીવાતવાળા આ ચોખાનો ઉપયોગ બાળકોના ભોજનમાં થવાનો હતો.
Advertisement
Patdi school Mid day meal controversy: પાટડી તાલુકાના નારણપુરા ગામની સરકારી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ આપવામાં આવતા અનાજની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. શાળામાં બાળકોને આપવામાં આવતા ભોજન માટેના ચોખાના જથ્થામાં મોટી માત્રામાં જીવાત જોવા મળતા શિક્ષણતંત્રની પોલ ખુલી ગઈ છે. આ ઘટનાને પગલે બાળકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડાં થઈ રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

