Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Sustainable Eco-Tourism : ગુજરાતના જંગલોમાં હવે વાઘનો પણ વસવાટ

ગુજરાત રાજ્ય હંમેશા એશિયાટિક સિંહોના એકમાત્ર વસવાટ તરીકે વૈશ્વિક ફલક પર ચમકતું રહ્યું છે. પરંતુ હવે રાજ્યની વન્યજીવ સૃષ્ટિમાં એક નવો વળાંક આવ્યો છે. રતનમહાલના જંગલોમાં વાઘની હાજરી નોંધાયા બાદ, ગુજરાત સરકાર આ મહાકાય વન્યજીવના કાયમી વસવાટ અને સંવર્ધન માટે સજ્જ થઈ છે.
sustainable eco tourism   ગુજરાતના જંગલોમાં હવે વાઘનો પણ વસવાટ
Advertisement
  • Sustainable Eco-Tourism :: વન્યજીવ સંરક્ષણ અને ઇકો-ટુરિઝમ માટે સરકારનું માસ્ટર પ્લાન

Sustainable Eco-Tourism : ગુજરાત રાજ્ય હંમેશા એશિયાટિક સિંહોના એકમાત્ર વસવાટ તરીકે વૈશ્વિક ફલક પર ચમકતું રહ્યું છે. પરંતુ હવે રાજ્યની વન્યજીવ સૃષ્ટિમાં એક નવો વળાંક આવ્યો છે. રતનમહાલના જંગલોમાં વાઘની હાજરી નોંધાયા બાદ, ગુજરાત સરકાર આ મહાકાય વન્યજીવના કાયમી વસવાટ અને સંવર્ધન માટે સજ્જ થઈ છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ(CM Bhupendra Patel)ના નેતૃત્વમાં મળેલી ‘ગુજરાત સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડ’-Gujarat State Wildlife Board ની બેઠકે રાજ્યના પર્યાવરણીય સંતુલન અને પ્રવાસન વચ્ચે સંતુલન જાળવવાના નવા દ્વાર ખોલ્યા છે.

Sustainable Eco-Tourism-વાઘ સંરક્ષણ માટે NTCA સાથે હાથ મિલાવતું ગુજરાત

વન અને પર્યાવરણ મંત્રી  અર્જુન મોઢવાડિયા(Arjun Modhwadia)એ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, ગુજરાતના રતનમહાલ અભયારણ્ય અને તેની આસપાસના વિસ્તારોમાં વાઘની ગતિવિધિઓ નોંધાઈ છે. આ વાઘના જતન માટે વન વિભાગ 'નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી' (NTCA) ના સીધા માર્ગદર્શન હેઠળ કામ કરશે.

Advertisement

  • કોમ્યુનિટી પાર્ટિસિપેશન: વાઘના સંરક્ષણમાં સ્થાનિક લોકોની ભૂમિકા અત્યંત મહત્વની હોવાથી, NTCAની સહભાગીતાથી સ્થાનિક રહીશોને ખાસ તાલીમ આપવામાં આવશે.

    Advertisement

  • સંવર્ધન પર ભાર: વાઘ માટે સુરક્ષિત આવાસ ઉપરાંત તેના ખોરાકની પ્રાપ્યતા (Prey base) વધારવા માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

Sustainable Eco-Tourism - ઇકો-ટુરિઝમ માટે નવી ગાઈડલાઈન્સ

રાજ્યના જંગલોમાં વધી રહેલા પ્રવાસન ભારને ધ્યાનમાં રાખીને વન મંત્રીએ જણાવ્યું કે, હવે પ્રવાસીઓ માટે 'વિઝીટર્સ પોલિસી ગાઈડલાઈન્સ' તૈયાર કરવામાં આવશે. તેનો મુખ્ય હેતુ એ છે કે પ્રવાસનનો વિકાસ થાય પરંતુ વન્યજીવોની શાંતિ અને તેમના કુદરતી રહેઠાણમાં કોઈ ખલેલ ન પહોંચે. મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ સૂચન આપ્યું છે કે ઇકો-ટુરિઝમ એ પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગરની પ્રક્રિયા હોવી જોઈએ.

દીપડાઓ માટે નવું અભયારણ્ય

આ બેઠકમાં રાજ્યમાં વધતી જતી દીપડાઓની વસ્તી અને ખાસ કરીને રેસ્ક્યુ થયેલા દીપડાઓના પુનઃવસન માટે પણ ચર્ચા થઈ હતી. વન વિભાગ આગામી સમયમાં દીપડાઓ માટે એક સમર્પિત અભયારણ્ય કે સુરક્ષિત સ્થળ વિકસાવવાની દિશામાં કામ કરી રહ્યું છે, જેથી માનવ-વન્યજીવ સંઘર્ષ ઘટાડી શકાય.

ગુજરાત સરકારનો આ પ્રોએક્ટિવ અભિગમ સાબિત કરે છે કે રાજ્ય માત્ર વિકાસના પથ પર જ નહીં, પણ વન્યજીવ સંરક્ષણના ક્ષેત્રમાં પણ અગ્રેસર રહેવા માંગે છે.

સિંહના સંરક્ષણમાં મળેલી સફળતા બાદ હવે વાઘ માટેનું આ આયોજન ગુજરાતને દેશનું સૌથી સમૃદ્ધ વન્યજીવ હબ બનાવશે. સ્થાનિક સમુદાયોનો સાથ અને વૈજ્ઞાનિક માર્ગદર્શિકાના પાલન દ્વારા ગુજરાત ‘પ્રકૃતિ અને પ્રગતિ’ના સહઅસ્તિત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે.

આ પણ વાંચો : Balika Panchayat :લોકશાહીના પાઠ, હવે દીકરીઓને સાથ!

Tags :
Advertisement

.

×