ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Khoraj Pagpala Sangh : શ્રી સિદ્ધિ ગ્રૂપનાં ચેરમેન મુકેશભાઈ પટેલ, ગુજરાત ફર્સ્ટનાં MD જસ્મીનભાઈ પટેલે માતાજીનાં દર્શન કર્યા

સંઘનાં લોકોએ આજે મંદિરમાં માતાજીનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા અને સાથે જ ધ્વજારોહણ પણ કર્યું.
06:02 PM Sep 03, 2025 IST | Vipul Sen
સંઘનાં લોકોએ આજે મંદિરમાં માતાજીનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા અને સાથે જ ધ્વજારોહણ પણ કર્યું.
Khoraj_Gujarat_first main
  1. ખોરજ ગામનો ઐતિહાસિક પગપાળા સંઘ પહોંચ્યો અંબાજી (Khoraj Pagpala Sangh)
  2. અમદાવાદ ખોરજથી પગપાળા સંઘ શક્તિપીઠ અંબાજી પહોંચ્યો
  3. શ્રી સિદ્ધિ ગ્રૂપનાં ચેરમેન મુકેશભાઈ પટેલ મંદિર પહોંચ્યા
  4. ગુજરાત ફર્સ્ટનાં MD જસ્મીનભાઈ પટેલ પણ મંદિર પહોંચ્યા

Khoraj Pagpala Sangh : ખોરજ ગામથી શ્રી સિદ્ધિ ગ્રૂપનાં ચેરમેન મુકેશભાઈ પટેલની (Mukeshbhai Patel) આગેવાનીમાં અંબાજી પગપાળા સંઘે 29 ઓગસ્ટનાં રોજ પ્રસ્થાન કર્યું હતું. ત્યારે આજે ખોરજ ગામનો ઐતિહાસિક પગપાળા સંઘ શક્તિપીઠ અંબાજી ધામ પહોંચ્યો છે. શ્રી સિદ્ધિ ગ્રૂપનાં ચેરમેન મુકેશભાઈ પટેલ, ગુજરાત ફર્સ્ટના MD જસ્મીનભાઈ પટેલે (Jasminbhai Patel) પગપાળા સંઘમાં આવેલા અન્ય માઈભક્તો સાથે મંદિરમાં માતાજીનાં દર્શન કર્યા હતા અને ધ્વજારોહણ કર્યું હતું. દરમિયાન, સંપૂર્ણ મંદિર પરિસર 'બોલ મારી અંબે, જય જય અંબે' નાં નાદથી ગૂંજી ઊઠ્યું હતું.

આ પણ વાંચો - Khoraj : સિદ્ધિ ગ્રૂપનાં ચેરમેન મુકેશભાઈ પટેલની આગેવાનીમાં ખોરજ પગપાળા સંઘનું પ્રસ્થાન

Khoraj Pagpala Sangh શક્તિપીઠ અંબાજી પહોંચ્યો

ખોરજ ગામનો ઐતિહાસિક પગપાળા સંઘ (Khoraj Pagpala Sangh) આજે યાત્રાધામ શક્તિપીઠ અંબાજી પહોંચ્યો છે. આ સંઘમાં અંદાજિત 800 થી વધુ લોકો જોડાયા અને ચાલતા અંબાજી મંદિરે પહોંચ્યા છે. સંઘની સાથે શ્રી સિદ્ધિ ગ્રૂપનાં (Shri Siddhi Group) ચેરમેન મુકેશભાઈ પટેલ, ગુજરાત ફર્સ્ટનાં MD જસ્મીનભાઈ પટેલે સંઘનાં લોકો સાથે આજે મંદિરમાં માતાજીનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા અને સાથે જ પરિવારજનો સાથે ધ્વજારોહણ પણ કર્યું.

આ પણ વાંચો - Ambaji : શક્તિપીઠ અંબાજી પહોંચ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પદયાત્રીઓ સાથે મુલાકાત કરી

શ્રી સિદ્ધિ ગ્રૂપનાં ચેરમેન મુકેશભાઈ પટેલ, ગુજરાત ફર્સ્ટનાં MD જસ્મીનભાઈ પટેલ પણ મંદિર પહોંચ્યા

દરમિયાન, માઈભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે ખોરજ ગામમાં મુકેશભાઈ પટેલની આગેવાનીમાં અંબાજી પગપાળા સંઘની (Ambaji Pagpala Sangh) પરંપરા છેલ્લા 40 વર્ષોથી ચાલતી આવી રહી છે. દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ પગપાળા સંઘમાં જોડાય છે અને ચાલતા શક્તિપીઠ અંબાજી મંદિરે પહોંચે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ માઈભક્તોમાં અનેરો ઉત્સાહ અને ઉંમગ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો - ભાદરવી પૂનમ મેળો - 2025 : AI નજરે અંબાજી, અસામાજિક તત્વો પર પોલીસની ડિજિટલ પહેરેદારી

Tags :
AhmedabadAmbaji Pagpala SanghGujarat First MD Jasminbhai Patelgujaratfirst newsKhorajKhoraj Pagpala SanghMaa AmbaRitvikbhai PatelShaktipeeth AmbajiShri Siddhi Group Chairman Mukeshbhai PatelSiddhi MansionTop Gujarati News
Next Article