Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

ઉમરેઠના ધારાસભ્ય Govindbhai Parmar નું નિધન, આણંદમાં લીધા અંતિમ શ્વાસ

આણંદ જિલ્લાના રાજકારણ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. બે વાર વિધાનસભામાં ઉમરેઠનું નેતૃત્વ કરનાર એક પીઢ નેતાએ આજે આણંદની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. પક્ષના પ્રદેશ નેતાઓએ પણ આ ખોટને ક્યારેય ન પુરી શકાય તેવી ગણાવી છે
ઉમરેઠના ધારાસભ્ય govindbhai parmar નું નિધન  આણંદમાં લીધા અંતિમ શ્વાસ
Advertisement
  • ઉમરેઠના ધારાસભ્ય Govindbhai Parmar નું નિધન!
  • આણંદની હોસ્પિટલમાં સારવાર દરમિયાન લીધા અંતિમ શ્વાસ
  • વર્ષ 2017 અને 2022માં ઉમરેઠ બેઠક પરથી જીત્યા હતા ચૂંટણી
  • ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ X પર વ્યક્ત કર્યું દુઃખ
  • બે ટર્મથી વિધાનસભામાં ઉમરેઠ પંથકનું કરતા હતા પ્રતિનિધિત્વ
  • પીઢ નેતાના અવસાનથી સમગ્ર આણંદ જિલ્લામાં શોકની લહેર

Govindbhai Parmar Umreth MLA Death :  ગુજરાતના રાજકારણ અને આણંદ (Anand) જિલ્લા માટે આજે માઠા સમાચાર સામે આવ્યા છે. ઉમરેઠ વિધાનસભા બેઠકના (Umreth Assembly Seat) લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું (Govindbhai Parmar) ટૂંકી માંદગી બાદ નિધન થયું છે. તેઓ આણંદની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અવસાનના સમાચાર વહેતા થતા જ સમગ્ર ઉમરેઠ પંથક અને ભાજપ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Govindbhai Parmar_gujrat_First

Advertisement

Govindbhai Parmar બે ટર્મથી ઉમરેઠનું પ્રતિનિધિત્વ કરતા હતા

ગોવિંદભાઈ પરમાર ભારતીય જનતા પાર્ટીના (BJP) એક નિષ્ઠાવાન અને પાયાના કાર્યકર હતા. તેઓ અત્યાર સુધીમાં બે વાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેમણે સૌપ્રથમ વર્ષ 2017 માં અને ત્યારબાદ વર્ષ 2022 ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Election) ઉમરેઠ બેઠક પરથી ભવ્ય વિજય મેળવ્યો હતો. લોકપ્રશ્નો માટે હંમેશા તત્પર રહેતા ગોવિંદભાઈએ પંથકના વિકાસ કાર્યોમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

Advertisement

Govindbhai Parmar Umreth MLA Death_gujrat_first

રાજકીય નેતાઓની શ્રદ્ધાંજલિ 

ગોવિંદભાઈના નિધન પર ભાજપના અનેક દિગ્ગજ નેતાઓએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ (Jagdish Vishwakarma) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે જણાવ્યું હતું કે, "ગોવિંદભાઈનું નિધન એ પક્ષ અને વિસ્તાર માટે મોટી ખોટ છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના." સ્થાનિક નેતાઓ અને કાર્યકરોએ પણ તેમના નિધનને આણંદ જિલ્લાના રાજકારણમાં એક યુગનો અંત ગણાવ્યો

ગોવિંદભાઈ પરમારની રાજકીય સફર

રાજકીય સફરની વાત કરીએ તો, ગોવિંદ પરમાર સૌપ્રથમ 2017ની વિધાનસભા ચૂંટણીમાં વિજેતા બની ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ 2022ની ચૂંટણીમાં ભાજપેએ તેમના પર ફરી ભરોસો મૂક્યો હતો, જેમાં તેમણે ઉમરેઠ બેઠક પર 95,639 મતો મેળવીને ભવ્ય વિજય મેળવ્યો હતો. સામાન્ય પરિવારમાંથી આવતા ગોવિંદ પરમારેના નિધનથી ઉમરેઠ પંથકમાં શોકની લહેર પ્રસરી છે.

આ પણ વાંચો : Baroda Dairy Controversy: કેતન ઈનામદારે ફરી આલાપ્યો રાજીનામાનો રાગ!

Tags :
Advertisement

.

×