ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : MSME ના નાણાંકીય વિવાદોની ત્રણ સુનાવણીમાં રૂ. 4.53 કરોડના સમાધાન

VADODARA : માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ (MSME - VADODARA) ફેસિલેશન કાઉન્સીલના તૃતીય સત્રમાં સુનાવણી કરવામાં આવેલા ૬૧ કેસો પૈકી ૧૪માં બન્ને પક્ષકારોએ સમાધાનકારી વલણ અપનાવતા રૂ. ૩૮ લાખના વિવાદોનો ઉકેલ આવ્યો છે. એમએસઇએફસીની પ્રાદેશિક કાઉન્સીલનું ગઠન થયા બાદ આ ત્રીજા...
12:52 PM Oct 23, 2024 IST | PARTH PANDYA
VADODARA : માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ (MSME - VADODARA) ફેસિલેશન કાઉન્સીલના તૃતીય સત્રમાં સુનાવણી કરવામાં આવેલા ૬૧ કેસો પૈકી ૧૪માં બન્ને પક્ષકારોએ સમાધાનકારી વલણ અપનાવતા રૂ. ૩૮ લાખના વિવાદોનો ઉકેલ આવ્યો છે. એમએસઇએફસીની પ્રાદેશિક કાઉન્સીલનું ગઠન થયા બાદ આ ત્રીજા...

VADODARA : માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ (MSME - VADODARA) ફેસિલેશન કાઉન્સીલના તૃતીય સત્રમાં સુનાવણી કરવામાં આવેલા ૬૧ કેસો પૈકી ૧૪માં બન્ને પક્ષકારોએ સમાધાનકારી વલણ અપનાવતા રૂ. ૩૮ લાખના વિવાદોનો ઉકેલ આવ્યો છે. એમએસઇએફસીની પ્રાદેશિક કાઉન્સીલનું ગઠન થયા બાદ આ ત્રીજા સત્રમાં પણ વેપારીઓ, ઉદ્યમીઓના તેમના બિલોના ચૂકવણીના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે.

વિવાદોની સુનાવણી કરી ન્યાયસંગત નિર્ણય લેવામાં આવે છે

માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ ફેસિલેશન કાઉન્સીલના અધ્યક્ષ તરીકે નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ ઉપરાંત સભ્ય તરીકે જિલ્લા સરકારી વકીલ, લીડ બેંક મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર, ઉદ્યોગ મંડળના પ્રતિનિધિનો સમાવેશ થયો છે. આ કાઉન્સીલ દ્વારા લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગકારો તેમના બિલોના ચૂકવણીના પરસ્પરના વિવાદોની સુનાવણી કરી ન્યાયસંગત નિર્ણય લેવામાં આવે છે.

નોટિસ બાદ જો પ્રતિવાદી હાજર ના રહે તો એક પક્ષે નિર્ણય

ડો. પ્રજાપતિની અધ્યક્ષતામાં મળેલી ત્રીજા સત્રમાં કુલ ૨૧ કેસોની સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને ૧૪ કેસોમાં સુલેહ થઇ હતી. માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ ફેસિલેશન કાઉન્સીલની નોટિસ બાદ જો પ્રતિવાદી હાજર ના રહે તો એક પક્ષે નિર્ણય લેવામાં આવે છે. પ્રથમ સુનાવણીમાં રૂ. ૩.૪૮ કરોડ, બીજી સુનાવણીમાં રૂ. ૬૭ લાખ અને ત્રીજી સુનાવણીમાં રૂ. ૩૮ લાખ મળી કુલ રૂ. ૪.૫૩ કરોડના ૧૦૫ કેસોમાં સામાધાન થયું છે.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, નર્મદા ભવન, વડોદરાનો સંપર્ક કરવો

વડોદરાની કાઉન્સીલનું કાર્યક્ષેત્ર વડોદરા, આણંદ, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, પંચમહાલ અને મહિસાગર એમ સાત જિલ્લાઓ છે. સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગકારોને તેમને તેમના ગ્રાહકો દ્વારા નાણાંની વિલંબિત ચૂકવણી અંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, નર્મદા ભવન, વડોદરાનો સંપર્ક કરી શકે છે.

આ પણ વાંચો -- VADODARA : મહિનાઓથી અટકી પડેલું કામ મિનિટોમાં થતા હાશકારો

Tags :
casecouncilfacilitationhearingMSMEmultiplesolvedVadodara
Next Article