VADODARA : પ્લેન ક્રેશમાં મૃતકના કોમ્પલેક્ષ બહારના દબાણો તાત્કાલિક દુર કરાયા
VADODARA : ઘટના સામે આવ્યા બાદ પાલિકાની વોર્ડ નં - 18 ની ટીમો દ્વારા દબાણ શાખાને સાથે રાખીને દબાણો દુર કરવામાં આવ્યા છે
Advertisement
- પ્લેન ક્રેશમાં મૃતકના કોમ્પલેક્ષ બહાર ગેરકાયદેસર દબાણોનો રાફડો
- ખાણી-પીણીની લારીના સંચાલકો અને ગ્રાહકો દ્વારા ગેરવર્તણુંક કરવામાં આવતી હોવાની રાવ
- મામલો સપાટી પર આવતા જ પાલિકાની ટીમ દ્વારા તાત્કાલિક શેડ, લારીના દબાણો દુર કરવામાં આવ્યા
VADODARA : અમદાવાદ પ્લેન ક્રેશ (AHMEDABAD PLANE CRASH) માં વડોદરા (VADODARA) ના કલ્પનાબેન પ્રજાપતિનું મોત નિપજ્યું છે. તેમના માંજલપુર સ્થિત નિવાસ સ્થાને હાલ સગા-સંબંધિઓની અવર-જવર વધારે છે. દરમિયાન તેમની ધનલક્ષ્મી કોમ્પલેક્ષ બહાર ખાણી-પીણીની લારીઓના દબાણ હોવાના કારણે મુશ્કેલી સર્જાતી હતી. અને આ મામલે અગાઉ સ્થાનિકો અને લારી ધારકો તથા ગ્રાહકો જોડે બોલાચાલી પણ થઇ હતી. આ મામલો સપાટી પર આવતા જ પાલિકા દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો (VMC REMOVE ENCROACHMENT) છે. કોમ્પલેક્ષની માર્જિન વાળી જગ્યામાં પાલિકા દ્વારા 7 કેબિન અને 6 શેડ દૂર કરવામાં આવ્યા છે. અને વેપારીને કડક સૂચના આપવામાં આવી છે.

