Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Surat માં રાજસ્થાન સમાજના લોકપ્રિય નેતા વિક્રમસિંહ શેખાવતનું નિધન, અનેક રાજકીય નેતાઓ હાજર

સુરતની સામાજિક ચેતનાના પ્રતીક સમાન રાજસ્થાન યુવા સંઘના અધ્યક્ષ વિક્રમસિંહ શેખાવતનું અચાનક નિધન થતા ઘેરો શોક સર્જાયો છે. હોસ્પિટલ પહોંચેલા ભાજપના દિગ્ગજ નેતાઓ અને સમાજના અગ્રણીઓની હાજર રહ્યા હતા.
surat માં રાજસ્થાન સમાજના લોકપ્રિય નેતા વિક્રમસિંહ શેખાવતનું નિધન  અનેક રાજકીય નેતાઓ હાજર
Advertisement
  • Surat માં રાજસ્થાન સમાજના અગ્રણીનું હાર્ટ એટેકથી નિધન
  • રાજસ્થાન યુવા સંઘના અધ્યક્ષ વિક્રમસિંહ શેખાવતે અંતિમ શ્વાસ લીધા
  • સિવિલ હોસ્પિટલ પહોંચ્યા સી.આર.પાટીલ સહિતના દિગ્ગજ રાજકીય નેતાઓ
  • પાર્થિવ દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરાઈ
  • હાર્ટ એટેકના કારણે અકાળે અવસાન થતા સમાજમાં શોકનું મોજું
  • વિક્રમસિંહનો પાર્થિવ દેહ વિમાન મારફતે અંતિમ સંસ્કાર માટે રાજસ્થાન લઈ જવાશે

Surat News : ડાયમંડ સિટી સુરતમાં (Surat) વસતા રાજસ્થાન સમાજ માટે એક અત્યંત દુઃખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાન યુવા સંઘના (Rajasthan Yuva Sangh) અધ્યક્ષ અને સમાજના અગ્રણી નેતા વિક્રમસિંહ શેખાવતનું (Vikram Singh Shekhawat) હૃદયરોગના હુમલાને (Heart Attack) કારણે અકાળે નિધન થયું છે. આ ઘટનાને પગલે સમગ્ર રાજસ્થાન સમાજ સહિત સુરતના રાજકીય વર્તુળમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

surat_gujrat_first

Advertisement

સોમવારે મોડી સાંજે વિક્રમસિંહ શેખાવતને હોસ્પિટલ ખસેડાયા હતા

મળતી વિગત મુજબ, સોમવારે મોડી સાંજે વિક્રમસિંહ શેખાવતને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરો તેમને બચાવી શક્યા નહોતા. તેમના નિધનની જાણ થતા જ સી.આર.પાટીલ (C. R. Patil) સહિતના અનેક રાજકીય આગેવાનો અને સમાજના અગ્રણીઓ સુરત સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખાતે એકઠા થયા હતા. વિક્રમસિંહ શેખાવત માત્ર સમાજ પૂરતા સીમિત નહોતા, પરંતુ તેઓ સુરતની સામાજિક ગતિવિધિઓમાં પણ ખૂબ સક્રિય હતા.

Advertisement

Vikram Singh Shekhawat Surat_gujrat_first

Surat માં સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો મૃતદેહ

વિક્રમસિંહના પાર્થિવ દેહને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો હતો. હોસ્પિટલ પરિસરમાં તેમના સમર્થકો અને સમાજના લોકોની મોટી ભીડ જામી હતી. પારિવારિક સૂત્રોના જણાવ્યા અનુસાર, કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમના પાર્થિવ દેહને વિશેષ વિમાન (Air Ambulance/Flight) મારફતે તેમના વતન રાજસ્થાન (Rajasthan) લઈ જવામાં આવશે, જ્યાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. છેલ્લા કેટલાક સમયથી સુરતમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે સમાજ માટે આ એક મોટી ખોટ ગણાઈ રહી છે.

આ પણ વાંચો : સાવધાન! અમદાવાદમાં હજુ પણ ફરી રહી છે ₹500-1000ની Old Currency!

Tags :
Advertisement

.

×