ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Bhavnagar: જમ્મુ-કાશ્મીરમાં થયેલ હુમલાને લઈ કલેક્ટરનું નિવેદન, ભાવનગરના એક પ્રવાસી ઘાયલ

જમ્મુ અને કાશ્મીરનાં પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં ગુજરાતનાં ભાવનગરનાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હોવાનું ભાવનગર કલેક્ટરે જણાવ્યું હતું.
07:06 PM Apr 22, 2025 IST | Vishal Khamar
જમ્મુ અને કાશ્મીરનાં પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં ગુજરાતનાં ભાવનગરનાં એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હોવાનું ભાવનગર કલેક્ટરે જણાવ્યું હતું.
Pahalgam gujarat first

જમ્મુ અને કાશ્મીરમાં થયેલ આતંકી હુમલામાં ગુજરાતનાં લોકો ઈજાગ્રસ્ત થયા છે. ભાવનગર કલેક્ટર મનિષકુમાર બંસલ દ્વારા આતંકી મુદ્દાને લઈ નિવેદન આપ્યું છે. ભાવનગરનાં વિનોદભાઈ ભટ્ટ્ ઈજાગ્રસ્ત થયા હોવાનું કલેક્ટર દ્વારા જણાવ્યું હતું. તેમજ ગુજરાત સરકાર જમ્મુ કાશ્મીર સરકારનાં સંપર્કમાં છીએ. તેમજ વિનોદ ભટ્ટ વિશે માહિતી મેળવી રહ્યા છીએ.

પ્રવાસીઓમાં ગુજરાતીઓ હોવાની માહિતી મળી: હર્ષ સંઘવી

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા મુદ્દે ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ નિવેદન આપ્યું છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે સતત સંપર્કમાં છીએ. આતંકી હુમલા મુદ્દે માહિતી મેળવી રહ્યા છીએ. તેમજ પ્રવાસીઓમાં ગુજરાતી હોવાની માહિતી મળી છે. ગુજરાતીઓને તમામ બનતી સહાય કરવામાં આવશે.

 

આતંકી હુમલામાં ગુજરાતના 3 પર્યટકો ઈજાગ્રસ્ત

જમ્મુ-કાશ્મીરનાં પહલગામમાં આતંકી હુમલો થયો હતો. આતંકી હુમલામાં એકનું મોત થયું હતું. જ્યારે 12 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આતંકી હુમલામાં 6 પર્યટકો ઈજાગ્રસ્ત થયા હતા. આતંકી હુમલામાં 6 પર્યટકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં મોનિકા પટેલ, વિનુ ભટ્ટ અને રિનો પાંડેય ઈજાગ્રસ્ત થયા છે. વિનુભાઈ પટેલ ભાવનગરના છે જેઓ ઈજાગ્રસ્ત થયા છે.

Tags :
Bhavnagar NewsGujarat FirstGUJARAT FIRST NEWSPahalgam
Next Article