Gujarat Budget 2026-27 : આદિવાસીઓના દેવી 'કંસરી દેવી'ને સમર્પિત છે બજેટ પોથી ! વારલી ચિત્રકલા બન્યું આકર્ષણનું કેન્દ્ર
- Gujarat Budget 2026-27 : નાણામંત્રી કનુભાઈ દેસાર દ્વારા રજૂ કરવામાં આવ્યું અંદજપત્ર
- બજેટપોથી પર દોરવામાં આવ્યું કંસરી દેવીનું ચિત્ર
- ચોખાના લોટનો ઉપયોગ કરી દોરવામાં આવે છે ચિત્ર
Gujarat Budget 2026-27 : આજે ગુજરાત અંદાજપત્ર 2026-27 નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આદિવાસીઓના દેવી કંસરી દેવીના ચિત્ર સાથે વારલી ચિત્રકલા વાળી આકર્ષક બજેટ પોથીની પસંદગી કરવામાં આવી છે. કંસરી દેવી- આદિવાસીઓના દેવી છે. જ્યારે પણ કોઈના ઘરમાં લગ્ન થાય, ખેતરમાંથી નવું ધાન નીકળે કે કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે કંસરી દેવીની સ્થાપના કરવામાં આવે છે તેમજ તેમની પૂજા કરવામાં આવે છે.
Gujarat Budget 2026-27 : કંસરી દેવીને અન્નપૂર્ણા દેવી તરીકે પણ ઓળખાય છે
ઉલ્લેખનીય છે કે કંસરી દેવીને માતા અન્નપૂર્ણા પણ કહી શકાય કે જેમની સ્થાપના, પૂજા કરવાથી ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે અને તમામ પ્રકારના સુખની પ્રાપ્તિ થાય છે. આમ કંસરી દેવી prosparity- સમૃદ્ધિના દેવી માનવામાં આવે છે. એમની કૃપાથી સુખ સમૃદ્ધિ મળે છે. આમ કંસરી દેવી આદિવાસીઓ માટે પાયાના દેવી ગણાય છે.
વારલી આદિજાતિના લોકો દક્ષિણ ગુજરાતના વલસાડ અને મહારાષ્ટ્રના થાણા જિલ્લામાં રહે છે. તેઓ તેમની આગવી ચિત્રકલા માટે જાણીતા છે ખાસ કરીને વારલી સ્ત્રીઓ ઘરની આગળ દીવાલ ઉપર પલાળેલા ચોખાને પથ્થર પર ઘૂંટીને બનતા સફેદ રંગથી તહેવારો સગાઈ, લગ્ન, પાકની લણણી, જન્મ જેવા વિવિધ પ્રસંગોએ ઘરની લીપેલી દીવાલ ઉપર ચિત્રકામ કરે છે.
ચોખાના લોટનો ઉપયોગ કરી દોરવામાં આવે છે ચિત્ર
ચિત્રોમાં રોજબરોજના જીવન ઉત્સવો, નૃત્યો, જંગલો, પર્વતો, નદી, ઝરણા દેવી તથા દેવતાઓ વિગેરે દોરવામાં આવે છે. નૃત્ય કરતા લોકો, કુવે પાણી ભરતી બહેનો, ગોવાળિયા, ચરતા પશુઓ, તાડના ઝાડ પરથી તાડી ઉતારતા લોકો, જુદા જુદા વૃક્ષો, પંખીઓ, સાપ, અજગર, ઝૂંપડાઓ ઘર ખેતરમાં થતા કામો જેવા કે દરણું દળતી, વલોણું કરતી, ચોખા ખાંડતી, અનાજને સુપડાથી સાફ કરતી, છોકરા હીંચકાવતી, કચરો વાળતી, રસોઈ બનાવતી બહેનો, ખેતર ખેડતા, નીંદતા, વાવણી કરતા લાકડાની ભારી લઈ જતા, ઇન્દ્રદેવને વધાવતા ,વાઘદેવની પૂજા એ જતા, બળદગાડું લઈને જતા, શિકારના દ્રશ્યો વગેરે જોવા મળે છે. જંગલી પશુઓ, પક્ષીઓ, જીવજંતુઓ,નાગદેવ, પંચોરાદેવ ઇન્દ્ર દેવ,વાઘ દેવ તથા કંસરી દેવી ચિત્રોના મુખ્ય વિષય છે.
વારલી ચિત્રકલા અંદાજે 1200 વર્ષ જૂની કલા
તેમજ વધુમાં પલાળેલા ચોખાથી બનતા સફેદ રંગ ઉપરાંત સિંદૂર ગુલાલ કંકુ મધ કાળી રાખ પણ પ્રસંગોચિત રીતે ચિત્ર સામગ્રી તરીકે વાપરવામાં આવે છે. સામાન્ય રીતે ભૌમિતિક આકારો ત્રિકોણ વર્તુળ અર્થ ગોળાકાર તથા ચોરસ જેવા વિવિધ આકારોની મદદથી તથા રેખાઓ દ્વારા આ ચિત્રો બનાવવામાં આવે છે.
Gujarat Budget 2026 ને લઈને CM Bhupendrabhai Patel નું નિવેદન | Gujarat First
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે બજેટને વિકાસલક્ષી ગણાવ્યું
દર વર્ષની જેમ કનુભાઈ દેસાઈ 2026-27 બજેટ રજૂ કરશે
છેવાડાના માણસનું ધ્યાન રાખી બજેટ રજૂ થશે@CMOGuj @Bhupendrapbjp @KanuDesai180 #Gujarat… pic.twitter.com/EstjsZziDX— Gujarat First (@GujaratFirst) February 18, 2026
વારલી ચિત્રકલા 1200 વર્ષ જૂની છે.આધુનિક જગતના આક્રમણથી વારલી જાતિના જીવનમાં પણ ફેરફારો આવતા થયા છે અને આ કલા અન્ય આદિમ કલાઓની માફક કાળના ગર્ભમાં લુપ્ત થઈ રહી છે ત્યારે બજેટ પોથી પર આ ચિત્રને સ્થાન આપી વારલી ચિત્ર કલાને જીવંત રાખવા માટે ગુજરાત સરકાર દ્વારા એક ઉમદા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે,આ વર્ષે પણ બજેટ પોથી પર બીના હસમુખ પટેલ એ વારલી ચિત્રકલા દોરી છે,તેઓ છેલ્લા ચાર વર્ષથી બજેટ પોથી પર ચિત્ર દોરી આ સેવા આપી રહ્યા છે.
આ પણ વાંચો: junagadh ના મહાશિવરાત્રિ મેળાથી ઈકોનોમીને મળ્યો બુસ્ટર ડોઝ, અંદાજે આટલા કરોડની આવક


