ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

છોટાઉદેપૂરના આ ગામમાં ન તો ચૂંટણી યોજાશે, ન મતદાન, ગુજરાતના છ ગામોની વચ્ચે , પણ ગણાય MPમાં

છોટા ઉદેપૂર તાલુકામાં ગુજરાત-મધ્યપ્રદેશની સરહદ નજીક  ગુજરાતના લગભગ છ જેટલા ગામોની વચ્ચે એક એવું ગામ આવેલું છે જયાં હાલ ચૂંટણીની કોઇ ચહેલ પહેલ નથી.. કારણ કે અહીં ન તો ચૂંટણી યોજાશે ન મતદાન.. કારણ એ છે કે આ ગામ ભલે ગુજરાતના છ જેટલા ગામોની વચ્ચે આવેલું હોય પરંતુ આ ગામ મધ્યપ્રદેશમાં ગણાય છે. આ ગામનો સમાવેશ ગુજરાતમાં થતો નથી આ ગામનું નામ છે સજનપુર.. જે  દિયાવાંટ,કોલૂ,કઠીવાડા, ગુણાટા, કનાસ
11:22 AM Nov 20, 2022 IST | Vipul Pandya
છોટા ઉદેપૂર તાલુકામાં ગુજરાત-મધ્યપ્રદેશની સરહદ નજીક  ગુજરાતના લગભગ છ જેટલા ગામોની વચ્ચે એક એવું ગામ આવેલું છે જયાં હાલ ચૂંટણીની કોઇ ચહેલ પહેલ નથી.. કારણ કે અહીં ન તો ચૂંટણી યોજાશે ન મતદાન.. કારણ એ છે કે આ ગામ ભલે ગુજરાતના છ જેટલા ગામોની વચ્ચે આવેલું હોય પરંતુ આ ગામ મધ્યપ્રદેશમાં ગણાય છે. આ ગામનો સમાવેશ ગુજરાતમાં થતો નથી આ ગામનું નામ છે સજનપુર.. જે  દિયાવાંટ,કોલૂ,કઠીવાડા, ગુણાટા, કનાસ
છોટા ઉદેપૂર તાલુકામાં ગુજરાત-મધ્યપ્રદેશની સરહદ નજીક  ગુજરાતના લગભગ છ જેટલા ગામોની વચ્ચે એક એવું ગામ આવેલું છે જયાં હાલ ચૂંટણીની કોઇ ચહેલ પહેલ નથી.. કારણ કે અહીં ન તો ચૂંટણી યોજાશે ન મતદાન.. કારણ એ છે કે આ ગામ ભલે ગુજરાતના છ જેટલા ગામોની વચ્ચે આવેલું હોય પરંતુ આ ગામ મધ્યપ્રદેશમાં ગણાય છે. 
આ ગામનો સમાવેશ ગુજરાતમાં થતો નથી 
આ ગામનું નામ છે સજનપુર.. જે  દિયાવાંટ,કોલૂ,કઠીવાડા, ગુણાટા, કનાસ,મોટીસાધલી આ તમામ કે જે  ગુજરાતના ગામો છે, તેમની વચ્ચે આવેલું છે.. પરંતુ તેનો સમાવેશ ગુજરાતમાં થતો નથી. સજનપુર ગામ મધ્યપ્રદેશમાં ગણાય છે જેના કારણે અહીં ગુજરાતની ચૂંટણીની કોઇ અસર જોવા નથી મળી રહી.. તમારા મનમાં ચોક્કસ એ સવાલ થશે કે છોટા ઉદેપુર ગુજરાતમાં છે તો આ ગામ મધ્યપ્રદેશમાં કેમ.. સવાલ એ પણ થાય કે આસપાસના તમામ ગામો ગુજરાતમાં હોય તો તેમની વચ્ચે આવેલું કોઇ ગામ કઇ રીતે બીજા રાજ્યમાં હોઇ શકે. ચાલો આ સવાલનો જવાબ મેળવીએ 
શા માટે આ ગામ MPમાં ગણાય છે ?
વર્ષો પહેલા આ ગામમાં સાધુઓની સંખ્યા ખુબ વધારે હતી.રજવાડાના સમયે આ ગામના સાધુએ મધ્યપ્રદેશના રાજા પાસેથી જાત્રા કરવા જવા માટે રકમ લીધી હતી અને તેની સામે આ ગામને તેઓએ રાજાને  આપ્યું હતું. તેમણે રાજાને કહ્યુ હતું કે, અમે પરત આવીશું અને આ ગામને છોડાવી લઈશું. પરંતુ  સાધુ પરત ના આવ્યા અને  ગામને ના છોડાવ્યું. ત્યારથી આ ગામ મધ્યપ્રદેશના હસ્તકમાં છે. 
આ પણ વાંચો -  નર્મદા વિરોધીઓના ખભે હાથ મુકીને કેમ દોડો છો...PM MODIનો વેધક સવાલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AssemblyElectionAssemblyElection2022ChhotaUdepurElectionElection2022GujaratGujaratAssemblyElection2022GujaratElectionGujaratElection2022GujaratFirstMPvillageVoting
Next Article