ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Russia : વિદેશમંત્રી એસ. જયશંકર સામે રશિયન નાગરિકે રામચરિત માનસનો કર્યો હિન્દી અનુવાદ, સૌને ચોંકાવ્યા

ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકર હાલ રશિયાના પ્રવાસે છે. ગુરુવારે વિદેશમંત્રી રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં ઈન્ડોલોજિસ્ટને મળ્યા હતા. દરમિયાન, એક ઈન્ડોલોજિસ્ટે રામચરિતમાનસનું હિન્દીમાં અનુવાદ કરીને વિદેશમંત્રી એસ. જયશંકરને ચોંકાવી દીધા હતા. તમને જણાવી દઈએ કે, ઈન્ડોલોજિસ્ટ અથવા ભારતવિદ એવા લોકોને કહેવામાં આવે...
03:38 PM Dec 29, 2023 IST | Vipul Sen
ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકર હાલ રશિયાના પ્રવાસે છે. ગુરુવારે વિદેશમંત્રી રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં ઈન્ડોલોજિસ્ટને મળ્યા હતા. દરમિયાન, એક ઈન્ડોલોજિસ્ટે રામચરિતમાનસનું હિન્દીમાં અનુવાદ કરીને વિદેશમંત્રી એસ. જયશંકરને ચોંકાવી દીધા હતા. તમને જણાવી દઈએ કે, ઈન્ડોલોજિસ્ટ અથવા ભારતવિદ એવા લોકોને કહેવામાં આવે...

ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકર હાલ રશિયાના પ્રવાસે છે. ગુરુવારે વિદેશમંત્રી રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં ઈન્ડોલોજિસ્ટને મળ્યા હતા. દરમિયાન, એક ઈન્ડોલોજિસ્ટે રામચરિતમાનસનું હિન્દીમાં અનુવાદ કરીને વિદેશમંત્રી એસ. જયશંકરને ચોંકાવી દીધા હતા. તમને જણાવી દઈએ કે, ઈન્ડોલોજિસ્ટ અથવા ભારતવિદ એવા લોકોને કહેવામાં આવે છે, જેઓ ભારતીય સાહિત્ય, ઈતિહાસ અને દર્શન વગેરેનો અભ્યાસ કરતા હોય છે.

વિદેશમંત્રી એસ. જયશંકરે ગુરુવારે કહ્યું હતું કે, 'સંબંધો બનાવવા માટે વાતચીત અને પરસ્પર સમજ જરૂરી છે. આજે આપણે બહુધ્રુવીય વિશ્વમાં જીવીએ છીએ, જ્યાં પુનઃસંતુલન થઈ રહ્યું છે. આ એવી દુનિયા નથી, જ્યાં માત્ર થોડા જ દેશોનું વર્ચસ્વ હોય. આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવતી વખતે, મારું ધ્યાન ભારતીય વિશેષતાઓ સાથે વૈશ્વિક સંબંધો બનાવવા પર છે.'

આ પહેલા વિદેશમંત્રી એસ. જયશંકરે રશિયાના વિદેશમંત્રી સર્ગેઈ લાવારોવ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ રશિયાના વિદેશમંત્રીએ ભારતના ખૂબ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ભારતની અધ્યક્ષતામાં ટી20 દેશોનું નવી દિલ્હીમાં જે સમ્મેલન થયું હતું, તે આ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે કેવી રીતે એક પ્રભાવશાળી ભૂમિકા સાથે ન્યાય કરી શકાય છે.

આ પણ વાંચો - USA: ટેક્સાસમાં થયેલ ગોઝારા અકસ્માતમાં ભારતીય મૂળના પરિવારના 6 સભ્યોના મોત

Tags :
Gujarat FirstGujarati NewsIndiaInternational NewsRamacharitmanasrussiaRussian Foreign Minister Sergei Lavrovs.jaishankar
Next Article