Ali Khamenei Iran Funeral: અલી ખામેનીની દફન વિધીની તારીખ નક્કી, 2 કરોડ લોકો હાજર રહે તેવી અપેક્ષા
ઈરાનના દિવંગત સુપ્રીમ લીડર અલી ખામેનેઈની દફન વિધીની નવી તારીખ જાહેર થઈ છે. મહોર્રમના પવિત્ર પર્વને માન આપીને કાર્યક્રમને 4 જુલાઈથી 9 જુલાઈ સુધી યોજવાનો નિર્ણય લેવાયો છે. 9 જુલાઈએ મશહદમાં તેમને દફનાવવામાં આવશે. આ ઐતિહાસિક વિદાય સમારોહમાં આશરે 2 કરોડ લોકો ભાગ લે તેવી શક્યતા છે. સુરક્ષા અને વ્યવસ્થા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ કરવામાં આવી રહી છે
Advertisement
Ali Khamenei Iran Funeral: ઈરાનના દિવંગત સુપ્રીમ લીડર અલી ખામેનેઈની દફન વિધી માટે નવી તારીખની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. તેહરાન વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, રાજકીય દફન વિધીની પ્રક્રિયા 4 જુલાઈથી શરૂ થશે અને 9 જુલાઈ ના રોજ તેમને મશહદમાં સુપરત-એ-ખાક (દફનાવવામાં) કરવામાં આવશે. આ નિર્ણય સમગ્ર ઈરાનમાં ચાલી રહેલા 'મોહર્રમ'ના પવિત્ર મહિનાના આયોજનોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

