Israel ના PM નેતન્યાહૂને થયું ટ્યૂમર! Iran - US વાટાઘાટો પહેલા મેડિકલ રિપોર્ટમાં ખુલાસો
. તન્યાહૂને પ્રોસ્ટેટમાં નાનું ટ્યૂમર હોવાનું નિદાન થયું હતું, જે પ્રારંભિક તબક્કે શોધી કાઢવામાં આવ્યું હતું
. તબીબી સલાહ બાદ તેમણે નિરીક્ષણને બદલે સારવારનો માર્ગ પસંદ કર્યો અને હવે તેઓ કેન્સરમુક્ત અને ફિટ છે
. યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં રાખીને દુશ્મનો આ માહિતીનો લાભ ન ઉઠાવે તે હેતુથી મેડિકલ રિપોર્ટ મોડો જાહેર કર્યો
Benjamin Netanyahu: અમેરિકા- ઈરાન (US - Iran) વચ્ચે યુદ્ધવિરામ (Ceasefire) ને લઈને થનારી વાટાઘાટોથી ઈઝરાયલના વડાપ્રધાન (Israeli Prime Minister) બેન્જામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu) નો મેડિકલ રિપોર્ટ સામે આવ્યો છે.
મહત્ત્વપૂર્ણછે કે બેન્જામિન નેતન્યાહૂએ પોતાના વાર્ષિક મેડિકલ રિપોર્ટને જાહેર કરીને આખી દુનિયાને ચોંકાવી દીધી છે. નેતન્યાહૂએ ખુલાસો કર્યો છે કે ગત કેટલાક સમયથી તે એક સ્વાસ્થ્ય પડકારનો સામનો કરી રહ્યા હતા, પરંતુ હવે તે સંપૂર્ણપણે સ્વસ્થ અને ફિટ છે.
પોતાના વાર્ષિક મેડિકલ રિપોર્ટમાં બેન્જામિન નેતન્યાહૂએ કહ્યુ કે તેમણે આ રિપોર્ટને જાહેર કરવામાં લગભગ બે માસનો વિલંબ કરવાનો અનુરોધ કર્યો હતો, જેથી આ એ સમયે સામે ન આવ્યું કે જ્યારે યુદ્ધ ચરમ પર હતું અને તેનો દુરુપયોગ ન થઈ શકે.
આ પણ વાંચો: જીવલેણ હુમલાખોર પેલેસ્ટાઈનવાસીને 90 દિવસમાં ફાંસી, Israel માં કડક કાયદાને મંજૂરી
Netanyahu એ જાહેર કર્યો મેડિકલ રિપોર્ટ
તેમણે પોતાના સ્વસ્થ્યને લઈને ત્રણ મહત્ત્વની વાતો શેયર કરી છે. સૌથી પહેલા તેમણે કહ્યુ છે કે ભગવાનની કૃપાથી તે સંપૂર્ણપણે સ્વસ્થ છે.
બીજું, તેમની શારીરિક સ્થિતિ ઘણી સારી છે અને ત્રીજું, તેમને પ્રોસ્ટેટ સાથે જોડાયેલી એક નાનકડી મેડિકલ સમસ્યા હતી, જેનો હવે સંપૂર્ણપણે ઈલાજ થઈ ગયો છે.
તેમણે કહ્યુ કે લગભગ દોઢ વર્ષ પહેલા તેમણે વધેલા બિનાઈન પ્રોસ્ટેટ માટે એક સફળ સર્જરી કરાવી હતી અને ત્યારથી તે નિયમિતપણે તપાસ કરાવી રહ્યા છે. તાજેતરમાં તપાસ દરમિયાન તેમણે પ્રોસ્ટેટ (Prostate) માં એક ઘણી નાનકડી ટ્યૂમર મળી, જે એક પ્રારંભિક સ્ટેજની મેલિગ્રેન્ટ ટ્યૂમર હતી. સારી વાત એ રહી કે તે ન તો ફેલાયું હતું અને ન શરીરના અન્ય હિસ્સાઓ સુધી પહોંચ્યું હતું.
આ પણ વાંચો: Hormuz Blockade: US નેવીએ 10000 સૈનિકો સાથે ઈરાનના પોર્ટ્સની કરી નાકાબંધી
Tumor નો થયો ઈલાજ
ડૉક્ટરોએ તેમને જણાવ્યુ કે તેમની વયના પુરુષોમાં આવી સમસ્યા સામાન્ય હોય છે ને તેની બે પદ્ધતિ હોઈ શકે છે - માત્ર તેને નિરીક્ષણમાં રાખવામાં આવે અથવા તો પછી સારવાર કરાવીને તેને સમાપ્ત કરી દેવામાં આવે.
નેતન્યાહૂએ ઈલાજનો માર્ગ પસંદ કર્યો અને સમયસર આ સમસ્યાને સંપૂર્ણપણે સમાપ્ત કરી.
બેન્જામિન નેતન્યાહૂએ કહ્યુ છે કે કેટલાક નાના-નાના ઈલાજ બાદ તે ઠીક થઈ ગયા અને હવે આ સમસ્યાનું કોઈ નિશાન નથી. તેમણે યરુશલમ (Jerusalem) ની હોસ્પિટલના ડૉક્ટરો અને મેડિકલ ટીમને ધન્યવાદ પણ આપ્યા.
આ પણ વાંચો: મેલોની-નેતન્યાહૂ વચ્ચે ડખ્ખો, ઈટાલીએ ઈઝરાયલ સાથે Defence Deal કરી સસ્પેન્ડ!


