Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

મેક્સિકોમાં સેનાના ઓપરેશનમાં ડ્રગ માફિયા El Mencho ઠાર મરાયો,ભારત દૂતાવાસે જાહેર કરી એડવાઝરી

મેક્સિકોના સૌથી ભયાનક ડ્રગ સામ્રાજ્યનો અંત આવતા જ આખું રાષ્ટ્ર હિંસાની લપેટમાં આવી ગયું છે. સેનાના વિશેષ ઓપરેશનમાં 'અલ મેન્ચો' ઠાર મરાયા બાદ કાર્ટેલના સભ્યોએ રસ્તાઓ પર આતંક મચાવ્યો છે, જેનાથી પર્યટન અને હવાઈ સેવાઓ ઠપ્પ થઈ ગઈ છે. આ તણાવપૂર્ણ સ્થિતિમાં ભારતીયો પર પણ મોટું જોખમ હોવાથી દૂતાવાસે કડક સૂચનાઓ આપી છે. આખરે મેક્સિકોમાં શું થઈ રહ્યું છે?
મેક્સિકોમાં સેનાના ઓપરેશનમાં ડ્રગ માફિયા el mencho ઠાર મરાયો ભારત દૂતાવાસે જાહેર કરી એડવાઝરી
Advertisement
  • સેનાના મોટા ઓપરેશનમાં ખતરનાક ડ્રગ લોર્ડ 'અલ મેન્ચો' ઠાર મરાયો (El Mencho )
  • મેક્સિકોના અનેક શહેરોમાં આગચંપી અને રસ્તાઓ કરાયા બ્લોક
  • ભારતીય દૂતાવાસે ભારતીયો માટે એડવાઇઝરી કરી જાહેર
  • હિંસાને પગલે ફ્લાઈટ્સ રદ કરાઈ અનેક રાજ્યોમાં શાળાઓ બંધ રાખવા આદેશ

મેક્સિકોના સૌથી શક્તિશાળી અને ભયાનક ડ્રગ કાર્ટેલ 'જાલિસ્કો ન્યૂ જનરેશન' (CJNG) ના પ્રમુખ નેમેસિયો રુબેન ઓસેગુએરા સર્વાન્ટેસ (Nemesio Ruben Oseguera Cervantes) ઉર્ફે 'અલ મેન્ચો' (El Mencho) ને સ્થાનિક સેનાએ એક ભીષણ ઓપરેશન દરમિયાન ઠાર માર્યો છે. આ ઘટના બાદ મેક્સિકોના અનેક રાજ્યોમાં અંધાધૂંધી અને હિંસા ફાટી નીકળી છે, જેને પગલે ભારતીય દૂતાવાસે (Embassy of India in Mexico) ત્યાં વસતા ભારતીયો માટે તાકીદની સુરક્ષા એડવાઈઝરી જારી કરી છે.

El Mencho : સૈન્ય ઓપરેશન બાદ રસ્તાઓ પર અરાજકતા

રવિવારે સેના દ્વારા હાથ ધરાયેલા મોટા સર્ચ ઓપરેશનમાં ડ્રગ લોર્ડ 'અલ મેન્ચો' ના મોતના સમાચાર આવતા જ તેના સમર્થકો અને ગુનાહિત જૂથોએ રસ્તાઓ પર હિંસા શરૂ કરી દીધી છે. જાલિસ્કો (Jalisco), તામૌલિપાસ (Tamaulipas), અને મિચોઆકાન (Michoacán) સહિતના 12 થી વધુ રાજ્યોમાં તોફાનીઓએ રસ્તાઓ બ્લોક કરી દીધા છે અને વાહનોને આગ ચાંપી છે. અરાજકતાને જોતા શાળાઓ બંધ રાખવામાં આવી છે.

Advertisement

Advertisement

ભારતીય નાગરિકોને ઘરમાં રહેવા સૂચના

મેક્સિકોમાં રહેતા ભારતીય નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દૂતાવાસે સોશિયલ મીડિયા 'X' પર ચેતવણી જારી કરી છે. ભારતીયોને આગામી સૂચના સુધી બિનજરૂરી મુસાફરી ટાળવા અને સુરક્ષિત સ્થળોએ રહેવા વિનંતી કરવામાં આવી છે. ખાસ કરીને હિંસાગ્રસ્ત વિસ્તારોમાં રહેતા નાગરિકોને ભીડભાડથી દૂર રહેવા અને સ્થાનિક સત્તાવાળાઓની સૂચનાઓનું કડક પાલન કરવા જણાવાયું છે.

હવાઈ મુસાફરી અને પર્યટન પર અસર

આ હિંસક વિરોધ પ્રદર્શનોની સીધી અસર વિમાન સેવાઓ પર પણ પડી છે. પ્યુઅર્ટો વલ્લર્ટા (Puerto Vallarta) જેવા મુખ્ય પ્રવાસન સ્થળો તરફ જતી ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે અથવા રદ કરવામાં આવી છે. વિવા એરોબસ (Viva Aerobus) સહિતની ઘણી એરલાઇન્સે સલામતીના કારણોસર કામગીરી અસ્થાયી રૂપે બંધ કરી છે.

આ પણ વાંચો:  Iran Protest: ઈરાનમાં ફરી આંદોલન: ‘ખૂની નેતા’ ખામેનીના નારા સાથે Gen Z રસ્તા પર!

Tags :
Advertisement

.

×