Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Abu Dhabi: એતિહાદ એરવેઝે 15 કર્મચારીઓને નોટિસ વગર કાઢ્યા, 48 કલાકમાં દેશ છોડવા અલ્ટીમેટમ

શું યુએઈ અને પાકિસ્તાન વચ્ચેની વર્ષો જૂની મિત્રતા હવે અંતના આરે છે? એતિહાદ એરવેઝના એક ચોંકાવનારા નિર્ણયે અબુધાબીમાં રહેતા સેંકડો પાકિસ્તાની પરિવારોની ઊંઘ ઉડાવી દીધી છે. કોઈ નોટિસ નહીં, કોઈ સ્પષ્ટતા નહીં, માત્ર 48 કલાકની મુદત અને દેશનિકાલ! આ કડક વલણ પાછળ માત્ર આર્થિક કારણો છે કે પછી કોઈ ગૂઢ રાજકીય રમત?
abu dhabi  એતિહાદ એરવેઝે 15 કર્મચારીઓને નોટિસ વગર કાઢ્યા  48 કલાકમાં દેશ છોડવા અલ્ટીમેટમ
Advertisement
  • Abu Dhabi માં પાકિસ્તાનીઓને મોટો ફટકો: એતિહાદ એરવેઝની આકરી કાર્યવાહી
  • અબુધાબીમાં કાર્યરત 15 પાકિસ્તાની કર્મચારીઓને નોટિસ વગર કાઢ્યા
  • ઇમિગ્રેશન ઓફિસ બોલાવી 48 કલાકમાં દેશ છોડવા અપાયું અલ્ટીમેટમ
  • 20 વર્ષથી નોકરી કરતા વરિષ્ઠ કર્મચારીઓને પણ નથી બક્ષવામાં આવ્યા
  • યુએઈ અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોની સીધી અસરની આશંકા
  • લોન રિકવરી અને ઓપેકમાંથી એક્ઝિટ બાદ યુએઈનું પાકિસ્તાન પર કડક વલણ

Abu Dhabi: સંયુક્ત આરબ અમીરાત (UAE) માંથી એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. યુએઈની પ્રતિષ્ઠિત એરલાઇન એતિહાદ એરવેઝ (Etihad Airways) એ અબુધાબીમાં કાર્યરત 15 પાકિસ્તાની કર્મચારીઓને અચાનક નોકરીમાંથી બરતરફ કરી દીધા છે. આ કાર્યવાહી માત્ર નોકરી ગુમાવવા પૂરતી સીમિત નથી, પરંતુ આ કર્મચારીઓને આગામી 48 કલાકની અંદર દેશ છોડી દેવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

Abu Dhabi: 15 પાકિસ્તાની કર્મીઓને નોકરીમાંથી કાઢી મુકાયા

આ સમગ્ર પ્રક્રિયા અત્યંત રહસ્યમય અને ઝડપી રહી છે. સામાન્ય રીતે કોર્પોરેટ જગતમાં કોઈપણ કર્મચારીને કાઢતા પહેલા નોટિસ પિરિયડ અથવા સ્પષ્ટતાની તક આપવામાં આવે છે, પરંતુ આ કિસ્સામાં એવું કંઈ જ થયું નથી. અહેવાલો મુજબ, આ કર્મચારીઓને એચઆર વિભાગ (HR Department) ને બદલે સીધા ઇમિગ્રેશન ઓફિસ (Immigration Office) માં બોલાવવામાં આવ્યા હતા. ત્યાં જ તેમને પકડાવી દેવામાં આવ્યું કે તેમની સેવાઓ સમાપ્ત કરવામાં આવી છે અને હવે તેમની પાસે યુએઈમાં રહેવા માટે માત્ર બે દિવસનો જ સમય છે.

Advertisement

Advertisement

 20 વર્ષથી વધુ નોકરી કરનાર કર્મીઓને કાઢી મુક્યા

બરતરફ કરાયેલા કર્મચારીઓમાં 20 વર્ષથી વધુ સમયથી સેવા આપનારા વરિષ્ઠ લોકોનો પણ સમાવેશ થાય છે. એતિહાદ એરવેઝે હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર કારણ આપ્યું નથી. જોકે, રાજકીય વિશ્લેષકો તેને યુએઈ-પાકિસ્તાન સંબંધો (UAE-Pakistan Relations) માં આવી રહેલી ખટાશ તરીકે જોઈ રહ્યા છે. તાજેતરમાં જ યુએઈ દ્વારા પાકિસ્તાન પાસે 3 અબજ ડોલરની લોન પરત માંગવામાં આવી છે. વધુમાં, યુએઈ દ્વારા ઓપેક (OPEC) સંગઠનમાંથી બહાર નીકળવાનો નિર્ણય પણ વૈશ્વિક રાજકારણમાં મોટા ફેરફારના સંકેત આપે છે. આ બદલાતા સમીકરણોની સીધી અસર હવે પાકિસ્તાની નાગરિકો પર પડતી હોય તેમ જણાય છે.

આ પણ વાંચો; ચીન, અમેરિકા કરતાં વધુ પાણી આપણે ઉલેચીએ છીએ: જળશક્તિ મંત્રી C.R. Paatil

Tags :
Advertisement

.

×