ગ્રેટ નિકોબાર (Great Nicobar) પ્રોજેક્ટ લાલ સાગરમાં ચીન-તાઈવાન યુદ્ધમાં બનશે ભારતનો તારણહાર
. મલક્કાની ખાડી (Malacca Strait) પર નિયંત્રણ મેળવી ભારત ચીનના 60% ઓઈલ સપ્લાય પર નજર રાખી શકશે
. ગ્વાદર અને હંબનટોટા જેવા ચીની બંદરો સામે ભારતનું આ એક મજબૂત કાઉન્ટર સ્ટેપ છે
. વાર્ષિક 16 મિલિયન TEU કાર્ગો ક્ષમતા સાથે આ વિસ્તાર વૈશ્વિક લોજિસ્ટિક્સ હબ તરીકે ઉભરશે
Great Nicobar Project India vs China : લેફ્ટિનેન્ટ જનરલ (રિટાયર્ડ) રાજીવ ચૌધરી (Lieutenant General (Retd.) Rajeev Chaudhary) એ ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટ (Great Nicobar Project) નું સમર્થન કર્યું છે. તેમણે કહ્યુ છે કે આનાથી ચીન (China) ના મુકાબલે ભારતને રણનીતિક બઢત મળશે, સમુદ્રી નિયંત્રણ મજબૂત થશે અને આર્થિક વિકાસને પણ ગતિ મળશે.
તેમણે કહ્યુ છે કે આપણે સૌ મધ્યપૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ પર નજર રાખી રહ્યા છીએ, જેમાં અમેરિકા (US) , ઈઝરાયલ (Israel) અને ઈરાન (Iran) સામેલ છે અને જ્યાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) વિવાદનું એક મહત્ત્વનું કેન્દ્રબિંદુ બનીને ઉભર્યું છે.
આ પણ વાંચો: અગ્નિ-6 (Agni-VI ) મિસાઈલ તૈયાર, DRDO પ્રમુખે કહ્યુ- સરકાર કહે એટલે થશે પરીક્ષણ
પોર્ટ્સ દ્વારા વ્યાપાર દુનિયા માટે ચિંતાનો વિષય
ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરતા બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) ના પૂર્વ મહાનિદેશક લેફ્ટિનેન્ટ જનરલ (રિટાયર) રાજીવ ચૌધરીએ કહ્યુ છે કે પોર્ટ દ્વારા વ્યાપાર ન માત્ર યુદ્ધરત દેશો માટે, પરંતુ આખી દુનિયા માટે ચિંતાનો વિષય બનેલો છે. ઓઈલ સ્ટ્રેટ ઓફ હોર્મુઝના માર્ગે પસાર થાય છે, માટે વૈશ્વિક ખપતના 20 ટકા ઓઈલ આ માર્ગ પરથી જાય છે. તેના સંદર્ભમાં, જો તમે મલક્કા સ્ટ્રેટને જોવો તો વૈશ્વિક વ્યાપારનો 30 ટકા હિસ્સો અને ચીનના ઓઈલનો 60 ટકા હિસ્સો આ માર્ગથી પસાર થાય છે.
લે. જનરલ (રિટાયર) રાજીવ ચૌધરીએ કહ્યુ છે કે નિકોબાર પ્રોજેક્ટ ભારતને બંગાળની ખાડી (Bay Of Bengal) અને હિંદ મહાસાગર (Indian Ocean) ના મિલન બિંદુ પર એક ફોરવર્ડ લોજિસ્ટિક્સ બેઝ (forward logistics base) આપશે, તેનાથી મલક્કાની ખાડીમાંથી પસાર થનારા સમુદ્રી વ્યાપાર પર સારું નિયંત્રણ થઈ શકશે. ભવિષ્યમાં થનારા કોઈપણ સંઘર્ષની સ્થિતિમાં આ એક ફોર્સ પ્રોજેક્શન બેઝ તરીકે પણ કામ કરી શકે છે.
આ પણ વાંચો: JP Morgan ના ડાયરેક્ટર લોર્ના હજદિની પર ભારતીય પુરુષકર્મીએ લગાવ્યો યૌન ઉત્પીડનનો આરોપ
નિકોબાર પ્રોજેક્ટ ભવિષ્યનું હોટસ્પૉટ (Hotspot)
લે. જનરલ (રિટાયર) રાજીવ ચૌધરીએ કહ્યુ છે કે માટે આ ઘણું મહત્ત્વપૂર્ણ છે અને ભવિષ્યમાં આ એક હોટસ્પોટ બની શકે છે, જો દક્ષિણ ચીન સાગરમાં અથવા કદાચ તાઈવાન સંકટ દરમિયાન કંઈ થાય છે, તો મલક્કા એક ઘણું જ મહત્ત્વપૂર્ણ સ્થાન બની જશે જેના પર નજર રાખવી પડશે. આ ક્ષેત્રમાં અડચણ પેદા થઈ શકે છે, કારણ કે તમામ સમુદ્રી માર્ગ મલક્કાથી તઈને જ પસાર થાય છે. આ સંદર્ભે મેં ચોકપોઈન્ટ તરીકે મલક્કા પર ધ્યાન કેન્દ્રીત કરવા સંદર્ભે લખ્યું છે કે આ શું છે અને આપણે નિકોબાર ટાપુ જૂથ ખાસ કરીને ગ્રેટ નિકોબારમાં રહીને આવી સ્થિતિ ઉત્પન્ન થવા પર તેને કેવી રીતે નિયંત્રિત કરી શકીએ છીએ અથવા કદાચ આ માર્ગ અવરુદ્ધ કરી શકીએ છીએ.
આ પણ વાંચો: Indian American Attitudes Survey: " 40% ભારતીયો અમેરિકા છોડવા માંગે છે!"
ચીનના મુકાબલા માટે કેવી રીતે થશે તૈયાર?
ગ્રેટ નિકોબાર ટાપુ પાસે આવેલી મલક્કાની ખાડી, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં એક રણનીતિક કેન્દ્ર તરીકે કામ કરી શકે છે.
દુનિયાનો લગભગ એક તૃતિયાંશ વ્યાપાર આ માર્ગમાંથી પસાર થાય છે અને ચીનની લગભગ 60 ટકા ઊર્જા આપૂર્તિ પણ આ માર્ગેથી થાય છે.
ચીન પોતાની સ્ટ્રિંગ ઓફ પર્લ્સ રણનીતિ પર કામ કરી રહ્યું છે, જેમાં ગ્વાદર પોર્ટ, હંબનટોટા પોર્ટ, ચટગાંવ પોર્ટ અને ક્યૌકપ્યૂ જેવા મહત્ત્વના પોર્ટ્સ સામેલ છે.
આ પોર્ટ ભારતના રણનીતિક હિતો માટે ઘણાં મહત્ત્વપૂર્ણ છે. જો ભારત ગ્રેટ નિકોબારમાં એક એકીકૃત પોર્ટ સુવિધા વિકસિત કરે છે, તો તે ચીનની સમુદ્રી રણનીતિના મુકાબલે એક વધુ મજબૂત જવાબ બની શકે છે અને આ ક્ષેત્રમાં ભારતની સ્થિતિને વધુ મજબૂત કરી શકે છે.
હાલ અંદમાન અને નિકોબાર કમાન્ડ પોર્ટ બ્લેયરમાં કેન્દ્રીત છે અને ટાપુ સમૂહના અન્ય હિસ્સામાં તેની હાજરી મર્યાદીત છે. ગ્રેટ નિકોબાર ટાપુને એક રણનીતિક અને લોજિસ્ટિક્સ હબ તરીકે વિકસિત કરવાથી આ આખા ક્ષેત્રમાં, જેમાં સિક્સ ડિગ્રી ચેનલ પણ સામેલ છે, સમુદ્રી નિરીક્ષણ વધુ સારું થશે. આ પોર્ટથી દર વર્ષે 16 મિલિયન ટીઈયૂ સુધીના કાર્ગોને સંભાળવાની આશા છે, તેનાથી આ ભારત માટે એક મુખ્ય રણનીતિક અને આર્થિક કેન્દ્ર બની જશે.
આ પણ વાંચો: 'વાંદરા'ને દારૂ પાય રહ્યા છે ટ્રમ્પ!: પાકિસ્તાની F-16 ને US બનાવશે શક્તિશાળી


