Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાત અને મોરિશિયસ : એક ઐતિહાસિક સંબંધ

જ્યારે ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Indian Prime Minister Narendra Modi) એ મોરિશિયસ (Mauritius) ની મુલાકાત લીધી, ત્યારે બંને પ્રદેશો વચ્ચેના ગાઢ ઐતિહાસિક અને સાંસ્કૃતિક જોડાણો સામે આવ્યા.
ગુજરાત અને મોરિશિયસ   એક ઐતિહાસિક સંબંધ
Advertisement
  • મોરિશિયસની ધરતી પર ગુજરાતનો ઐતિહાસિક પ્રભાવ
  • મોરિશિયસના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગુજરાતીઓની મોટી ભૂમિકા
  • વડાપ્રધાન મોદીએ મોરિશિયસમાં ગુજરાતી જોડાણની નોંધ લીધી
  • મહાત્મા ગાંધીજીની મોરિશિયસ મુલાકાત: એક ઐતિહાસિક ક્ષણ
  • મોરિશિયસ અને ગુજરાત: સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધો
  • મોરિશિયસના વિકાસમાં ગુજરાતીઓનો અમૂલ્ય ફાળો

જ્યારે ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Indian Prime Minister Narendra Modi) એ મોરિશિયસ (Mauritius) ની મુલાકાત લીધી, ત્યારે બંને પ્રદેશો વચ્ચેના ગાઢ ઐતિહાસિક અને સાંસ્કૃતિક જોડાણો સામે આવ્યા. આ મુલાકાત દરમિયાન ઘણી રસપ્રદ વાતો પ્રકાશમાં આવી, જે ગુજરાત અને મોરિશિયસ (Mauritius) ના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જાય છે. મોરિશિયસના લોકો દ્વારા વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત થયું, અને આ પ્રસંગે બંને દેશોના સંબંધોની પણ સ્પષ્ટતા થઈ.

Advertisement

મોરિશિયસના વડાપ્રધાનનો ખુલાસો

મોરિશિયસના વડાપ્રધાન નવીન રામગુલામે આ મુલાકાત દરમિયાન એક રસપ્રદ ઘટનાનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે, મોરિશિયસના પ્રથમ વડાપ્રધાન અને આઝાદીના સંઘર્ષના નાયક સર સીવુસાગુર રામગુલામે એકવાર કહ્યું હતું કે, ગુજરાતના પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની વિઠ્ઠલભાઈ પટેલ તેમના માર્ગદર્શક હતા. આ નિવેદન ગુજરાતના નેતૃત્વની મોરિશિયસની સ્વતંત્રતા ચળવળ પર પડેલી અસરને દર્શાવે છે. નવીન રામગુલામે વધુમાં ઉમેર્યું કે, મોરિશિયસની રાષ્ટ્રીય સભાના પ્રથમ અધ્યક્ષ સર હરિલાલ વાઘજી પણ ગુજરાતી મૂળના હતા, જે બંને પ્રદેશો વચ્ચેના ઐતિહાસિક સંબંધોનું બીજું ઉદાહરણ છે.

Advertisement

Advertisement

મહાત્મા ગાંધીજીની મોરિશિયસ મુલાકાત

ગુજરાત અને મોરિશિયસનું જોડાણ મહાત્મા ગાંધીજીના સમયથી પણ જોવા મળે છે. ઓક્ટોબર 1901માં ગાંધીજીએ ડરબનથી મુંબઈ જતી વખતે મોરિશિયસની મુલાકાત લીધી હતી. તેઓ અહીં ઘણા દિવસો સુધી રોકાયા હતા અને સ્થાનિક સમુદાયના લોકો સાથે વાતચીત કરી હતી. ગાંધીજીના પ્રભાવથી પ્રેરાઈને મણિલાલ મગનલાલ ડૉક્ટર નામના ગુજરાતી વ્યક્તિ મોરિશિયસ ગયા હતા. મણિલાલે ત્યાં લાંબો સમય વિતાવ્યો અને મોરિશિયસની સ્વતંત્રતા ચળવળને ટેકો આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી.

PM મોદીનું નિવેદન

મોરિશિયસમાં સમુદાયને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંને પ્રદેશો વચ્ચેના એક રસપ્રદ આર્થિક જોડાણનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે, મોરિશિયસ ભારતના પશ્ચિમી ભાગો, ખાસ કરીને ગુજરાતને ખાંડનો સપ્લાય કરે છે. તેમણે હળવા અંદાજમાં ઉમેર્યું કે કદાચ આ જ કારણ હશે કે ગુજરાતી ભાષામાં મોરિશિયસને 'મોરાસ' કહેવામાં આવે છે. આ નિવેદનથી ગુજરાત અને મોરિશિયસ વચ્ચેના વેપારી સંબંધોની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પણ સામે આવી, જે આજે પણ બંને વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોનો આધાર છે.

ગુજરાતનો સાંસ્કૃતિક પ્રભાવ

આ મુલાકાત દરમિયાન ગુજરાતના સાંસ્કૃતિક અને રાજકીય પ્રભાવની ઝલક મળી. વિઠ્ઠલભાઈ પટેલ અને મણિલાલ ડૉક્ટર જેવા ગુજરાતીઓએ મોરિશિયસના સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન આપ્યું, જ્યારે સર હરિલાલ વાઘજીએ ત્યાંની રાષ્ટ્રીય સભાને નેતૃત્વ આપ્યું. આ ઉપરાંત, મહાત્મા ગાંધીજીની મુલાકાતે મોરિશિયસના લોકોમાં સ્વતંત્રતા અને સમાનતાની ભાવના જગાડી હતી. આ બધું દર્શાવે છે કે ગુજરાતનો પ્રભાવ મોરિશિયસના ઇતિહાસનો અભિન્ન હિસ્સો રહ્યો છે.

આ પણ વાંચો :   વિદેશી ધરતી પર PM મોદીની લોકપ્રિયતાનું જુઓ આ રહ્યું ઉદાહરણ, Video

Tags :
Advertisement

.

×