ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

'જો ભારત સિંધુ નદી પર બંધ બનાવશે તો અમે હુમલો કરીશું', પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ફરી આપી ધમકી

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે સિંધુ જળ સંધિના ઉલ્લંઘન બદલ ભારતને કડક ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો ભારત સિંધુ નદી પર બંધ બનાવશે તો પાકિસ્તાન હુમલો કરશે.
11:24 AM May 03, 2025 IST | MIHIR PARMAR
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે સિંધુ જળ સંધિના ઉલ્લંઘન બદલ ભારતને કડક ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો ભારત સિંધુ નદી પર બંધ બનાવશે તો પાકિસ્તાન હુમલો કરશે.
Pakistan's Defense Minister Khawaja Asif gujarat first

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે તાજેતરના એક ટીવી ઇન્ટરવ્યુમાં ફરી એકવાર ભારતને ધમકી આપી છે. ખ્વાજા આસિફે કહ્યું કે જો ભારત સિંધુ નદી પર કોઈ બંધ બનાવશે તો પાકિસ્તાન તેના પર હુમલો કરશે. તેમણે કહ્યું કે આક્રમણ ફક્ત ગોળીઓ દ્વારા જ થતું નથી, પાણી રોકવું પણ એક હુમલો છે.

બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો બગડ્યા

ખ્વાજા આસિફનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પહેલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાનને કઠેડામાં ઉભું કરી દીધું છે અને બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો બગડ્યા છે. 1960માં ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વ બેંકની મધ્યસ્થીથી થયેલ IWT (સિંધુ જળ સંધિ) ને અત્યાર સુધીનો વિશ્વનો સૌથી સફળ જળ કરાર માનવામાં આવે છે. આ સંધિ હેઠળ, ભારતને પૂર્વીય નદીઓ (રાવી, બિયાસ, સતલજ) પર નિયંત્રણ આપવામાં આવ્યું હતું, જ્યારે પાકિસ્તાનને પશ્ચિમી નદીઓ (સિંધુ, ઝેલમ, ચિનાબ) પર વધુ અધિકાર મળ્યો હતો.

પહેલગામ હુમલા બાદ ભારતનું કડક વલણ

ભારત પાસે અમુક શરતો હેઠળ પશ્ચિમી નદીઓ પર વીજ પ્રોજેક્ટ્સ અને અન્ય બાંધકામ કાર્ય હાથ ધરવા માટે મર્યાદિત પરવાનગી છે. ભારત દ્વારા સંધિને સ્થગિત કરવાની અથવા એકપક્ષીય રીતે રદ કરવાની શક્યતા અંગે પાકિસ્તાનની પ્રતિક્રિયા ગંભીર અને આક્રમક રહી છે. 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 26 લોકોના મોત બાદ ભારતે પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી હતી. IWT રદ કરવા ઉપરાંત, ભારતે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કર્યા અને વાઘા-અટારી સરહદ બંધ કરી દીધી.

આ પણ વાંચો :  'અમને પણ સુરક્ષા પરિષદની બેઠક બોલાવવાનો અધિકાર', ભારત સાથે તણાવ બાદ પાકિસ્તાન એકલું પડી ગયું, હવે UNમાં અરજી કરી

ભારત વિરુદ્ધ આસિફનું વાહિયાત નિવેદન

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન માને છે કે ભારતને આંતરરાષ્ટ્રીય મંચો પર અપેક્ષા મુજબ સમર્થન મળી રહ્યું નથી. તેમણે આરોપ લગાવ્યો કે ભારતના આરોપોને આંતરરાષ્ટ્રીય સમુદાયે નકારી કાઢ્યા છે. મોદી સરકાર પાસે પોતાના દાવાઓને સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી.

ભારત પાણીનો ઉપયોગ હથિયાર તરીકે કરી રહ્યું છે: આસિફ

ખ્વાજા આસિફે અગાઉ પણ કહ્યું હતું કે ભારત પાણીનો ઉપયોગ હથિયાર તરીકે કરી રહ્યું છે, પરંતુ અમે ભારત સાથે યુદ્ધ શરૂ કરવા માંગતા નથી. તેમણે કહ્યું કે જો યુદ્ધની સ્થિતિ ઉભી થશે તો પાકિસ્તાન પણ તેનો જવાબ આપશે. પાકિસ્તાની સંરક્ષણ પ્રધાને એમ પણ કહ્યું હતું કે પાકિસ્તાન સિંધુ જળ સંધિ અંગે વિશ્વ બેંકનો સંપર્ક કરશે.

આ પણ વાંચો :  Pakistan ને સતાવી રહ્યો છે ભારતના હુમલાનો ડર, PoKમાં ફટાકડા અને લાઉડસ્પીકર પર પ્રતિબંધ

Tags :
Diplomatic CrisisGeopolitical tensionsGujarat FirstHydro PoliticsIndia Pakistan TensionsIndus River DisputeIndus Water TreatyKhawaja AsifMihir ParmarSouth Asia ConflictWater War
Next Article