Pakistan India Israel: પાકિસ્તાન (Pakistan) ના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે આશા વ્યક્ત કરી છે કે અમેરિકા (US) -ઈરાન (Iran) વચ્ચે યુદ્ધવિરામ (Ceasefire) સફળ થશે. તેમણે ખાસ કરીને મુસ્લિમ વિશ્વ (Muslim World) ને યુદ્ધવિરામની સુરક્ષા કરવા અને ક્ષેત્રમાં શાંતિ માટે ખતરા પ્રત્યે સતર્ક રહેવા અપીલ કરી છે.
ખ્વાજા આસિફે (Khwaja Asif) ભારત વિરુદ્ધ ઝેર ઓકતા ઈઝરાયલ (Israel) અને ભારત (India) ને મુસ્લિમો (Muslims) ના સૌથી મોટા દુશ્મન કહીને સંબોધિત કર્યા છે. ખ્વાજા આસિફનું નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે પાકિસ્તાનની મધ્યસ્થતાની કોશિશોથી અમેરિકા (US) અને ઈરાન (Iran) વચ્ચે 28 ફેબ્રુઆરીથી ચાલી રહેલા યુદ્ધમાં બુધવારે યુદ્ધવિરામ થયો છે.
પાકિસ્તાની સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે બુધવારે ઈરાન (Iran) માં યુદ્ધવિરામ મુદ્દા પર નેશનલ એસેમ્બલીમાં બોલતા કહ્યુ કે અલ્લાહ કરે કે આપણે શાંતિ અને સુલેહ સ્થાપિત કરવામાં સફળ થઈએ. ઈરાનમાં યુદ્ધબંધી ઘણી ખુશીની વાત છે, પરંતુ મુસ્લિમ ઉમ્માહ (ઈસ્લામિક દુનિયા)એ તેની સુરક્ષા કરવા માટે સતર્ક રહેવું પડશે. મુસ્લિમ વિશ્વએ શાંતિ માટે પેદા થનારા ખતરાઓ પ્રત્યે સતર્ક રહેવાની જરૂરત છે.
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે કહ્યુ છે કે શાંતિને પ્રોત્સાહન આપવામાં પાકિસ્તાન પોતાની ભૂમિકા નિભાવી રહ્યું છે. ઈસ્લામ શાંતિ અને સુલેહનો પક્ષધર છે અને આપણે તેના અંતર્ગત કામ કરી રહ્યા છીએ. ઈરાનની હાલની સિદ્ધિઓએ વૈશ્વિક મચ પર દેશને એક નવી ઓળખ અપાવી છે. જો કે આપણે ઈઝરાયલના ખતરાને ઓછો કરીને આંકવો જોએ નહીં.
![]()
આ પણ વાંચો: US Iran Ceasefire: ટ્રમ્પે પાકિસ્તાનને કારણ વગર હીરો બનાવ્યું, ભારત માટે ખતરાની ઘંટડી!
ઈઝરાયલ (Israel) નો ખતરો ટળ્યો નથી: ખ્વાજા આસિફ (Khwaja Asif)
ખ્વાજા આસિફે ક્ષેત્રમાં શાંતિને પ્રોત્સાહન આપવામાં પાકિસ્તાનની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોવાની વાત કરતા કહ્યુ છેકે ખાડીના બંને તરફ ભાઈ હોવાના નાતે આપણે શાંતિને પ્રોત્સાહન આપવાની આપણી ભૂમિકા નિભાવી રહ્યા છીએ. આપણે આવું કરી રહ્યા છીએ, કારણ કે ઈસ્લામમાં અમન પર ભાર મૂકવામાં આવ્યો છે. આપણી હાલની સિદ્ધિઓએ ઈસ્લામાબાદને વૈશ્વિક મંચ પર નવી ઓળખ અપાવી છે.
પાકિસ્તાની મીડિયા મુજબ, સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે વૈશ્વિક સ્તર પર ઈઝરાયલના વધતા પ્રભાવ પ્રત્યે ઈસ્લામાબાદ (Islamabad) અને ઈસ્લામિક વિશ્વ (Islamic World) ને સાવધ કર્યા છે. આસિફે કહ્યુ છે કે ઈઝરાયલનો પ્રભાવ આખા યૂરોપ (Europe), અમેરિકા (US) અને આરબ જગત (Arab World) પર ફેલાઈ ચુક્યો છે. હાલના સમયમાં પાકિસ્તાન પાસે આનો વિરોધ કરવામાં નેતૃત્વની ભૂમિકાનો મહત્ત્વનો મોકો છે.
આ પણ વાંચો: US Iran Ceasefire : War Is Not Over, ઈરાન યુદ્ધવિરામ પર રશિયાએ અમેરિકાને ખખડાવ્યું !
ભારત (India) સામે વિષવમન
ખ્વાજા આસિફે (Khwaja Asif) ફરી એકવાર ઈસ્લામિક વર્લ્ડમાં પાકિસ્તાનની અગ્રણી ભૂમિકાની વાત કહી તો તે ભારત અને ઈઝરાયલને મુસ્લિમોના દુશ્મન ગણાવવા લાગ્યા. આસિફે કહ્યુ છેકે ઈસ્લામિક દુનિયાને પોતાના દુશ્મનોની ખાસ રીતે ઓળખ કરવી જોઈએ. મુસ્લિમોનો ઘણો સ્પષ્ટ દુશ્મન દક્ષિણ એશિયા (South Asia) માં ભારત અને ખાડી ક્ષેત્રમાં ઈઝરાયલ (Israel) છે.
![]()
આ પણ વાંચો: US Iran Ceasefire: પાકિસ્તાનના PM શાહબાઝ શરીફની Nobel Peace Prize ને લઈ લાળ ટપકશે!
ખ્વાજા આસિફ પાકિસ્તાનના વરિષ્ઠ નેતાઓમાં સામેલ છે, પરંતુ તેઓ તેમના અતિશયોક્તિપૂર્ણ નિવેદનોને કારણે કુખ્યાત છે. ખાસ કરીને ભારતને લઈને ખ્વાજા આસિફ સતત નિવેદનબાજી કરતા રહે છે. ગત વર્ષ મેમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની ચાર દિવસની લડાઈ બાદથી ખ્વાજા આસિફ સતત ક્યારેક હુમલો કરવાની તો ક્યારેક તબાહી મચાવવાની ધમકીઓ ભારતને આપતા રહે છે.
Pakistan માટે ખુશીની પળ: સાદિક (Sadiq)
ઈરાનમાં યુદ્ધવિરામ કરાવવાને પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના સ્પીકર અયાજ સાદિકે (Ayaz Sadiq) મોટી સિદ્ધિ ગણાવીને કહ્યુ છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે એક ઐતિહાસિક સમ્માન અને આખા પાકિસ્તાની રાષ્ટ્ર માટે ગર્વની પળ છે. પાકિસ્તાનની સાચી કોશિશો રંગ લાવી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ (Ceasefire) ની ઘોષણા એ વાતના પુરાવા છે કે ઈસ્લામાબાદે શાનદાર કામ કરી દેખાડયું છે.
આ પણ વાંચો: Ceasefire થોડા કલાકો પણ ન ટક્યો? UAE-કુવૈત પર મિસાઈલ-ડ્રોન એટેક, Iranમાં બ્લાસ્ટ