ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ભારતે પેલેસ્ટાઈનને અલગ દેશ બનાવવા UNમાં કર્યું મતદાન, અમેરિકાનો વિરોધમાં મત

સંયુક્ત રાષ્ટ્રમાં ભારત સહિત 142 દેશોએ દ્વિ-રાષ્ટ્ર સમાધાનના પ્રસ્તાવને ટેકો આપ્યો. જાણો આ ઐતિહાસિક નિર્ણય અને ઇઝરાયેલની પ્રતિક્રિયા વિશે.
07:44 AM Sep 13, 2025 IST | Mihir Solanki
સંયુક્ત રાષ્ટ્રમાં ભારત સહિત 142 દેશોએ દ્વિ-રાષ્ટ્ર સમાધાનના પ્રસ્તાવને ટેકો આપ્યો. જાણો આ ઐતિહાસિક નિર્ણય અને ઇઝરાયેલની પ્રતિક્રિયા વિશે.
India UN Palestine vote

India UN Palestine vote : સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં પેલેસ્ટાઇનના મુદ્દે એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ પર ભારત સરકારે તેના સમર્થનમાં મત આપીને એક મોટો નિર્ણય લીધો છે. ફ્રાન્સ દ્વારા રજૂ કરવામાં આવેલો આ પ્રસ્તાવ, પેલેસ્ટાઇન મુદ્દાના શાંતિપૂર્ણ સમાધાન અને દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંતને ટેકો આપતી "ન્યુયોર્ક ઘોષણા" ને સમર્થન આપે છે. શુક્રવારે UNGAમાં આ પ્રસ્તાવ 142 દેશોના પ્રચંડ બહુમતી સાથે પસાર થયો હતો, જે વૈશ્વિક સ્તરે પેલેસ્ટાઈન માટેના વધતા સમર્થનનો સંકેત છે.

10 દેશોએ વિરુદ્ધમાં કર્યુ મતદાન (India UN Palestine vote)

આ પ્રસ્તાવના વિરોધમાં માત્ર 10 દેશોએ મતદાન કર્યું હતું, જેમાં આર્જેન્ટિના, હંગેરી, ઇઝરાયેલ અને અમેરિકાનો સમાવેશ થાય છે. જ્યારે 12 દેશોએ આ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો ન હતો. ભારત તે 142 દેશોમાં સામેલ હતું જેમણે પેલેસ્ટાઇન સમસ્યાના સમાધાન અને દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંતને લાગુ કરવા માટે ન્યુયોર્ક ઘોષણાનું સમર્થન કર્યું.

ઘોષણાપત્રની મુખ્ય બાબતો (India UN Palestine vote)

આ ન્યુયોર્ક ઘોષણાપત્ર મુજબ, ગાઝામાં ચાલી રહેલા યુદ્ધને તાત્કાલિક સમાપ્ત કરવા અને દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંતના અસરકારક અમલીકરણના આધારે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનને સ્વતંત્ર રાષ્ટ્રનો દરજ્જો આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઘોષણાપત્રમાં આ ક્ષેત્રના ઇઝરાયેલી અને પેલેસ્ટાઈની લોકો માટે એક ન્યાયપૂર્ણ, શાંતિપૂર્ણ અને કાયમી સમાધાન સાથે વધુ સારા ભવિષ્યના નિર્માણ માટે સામૂહિક કાર્યવાહી પર પણ સંમતિ વ્યક્ત કરવામાં આવી છે.

પ્રસ્તાવમાં ઈઝરાયેલને કરાઈ અપીલ

આ પ્રસ્તાવમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ભવિષ્યના કોઈપણ શાસનમાં હમાસની ભૂમિકાને નકારવામાં આવે છે, જે હાલમાં ગાઝા પટ્ટીમાં શાસન ચલાવે છે. આ ઘોષણાપત્રમાં ઇઝરાયેલી સરકારને એક સત્તાવાર પેલેસ્ટાઇની રાજ્યની સ્થાપના અને દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંત પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા જાળવી રાખવા માટે અપીલ પણ કરવામાં આવી છે. આ મતદાન પર ઇઝરાયેલે તીખી પ્રતિક્રિયા આપી હતી. ઇઝરાયેલે આ પ્રસ્તાવને "શરમજનક" ગણાવ્યો અને કહ્યું કે આવા પ્રસ્તાવો હમાસ જેવા આતંકવાદી સંગઠનોને યુદ્ધ ચાલુ રાખવા માટે પ્રોત્સાહન આપે છે.

શાંતિ સ્થાપવાનો ઉદ્દેશ્ય

સંયુક્ત રાષ્ટ્રમાં લાવવામાં આવેલા આ ઘોષણાપત્રનો મુખ્ય ઉદ્દેશ્ય મિડલ-ઈસ્ટમાં શાંતિ સ્થાપવાનો છે, જે 7 ઓક્ટોબર 2023 પછીથી સતત યુદ્ધનો સામનો કરી રહ્યું છે. આ ઘોષણાપત્ર ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન બંનેનું સમર્થન કરે છે, પરંતુ તે સ્પષ્ટપણે હમાસની નિંદા પણ કરે છે અને તેને હથિયારો છોડવા માટે માંગ કરે છે. નોંધનીય છે કે આ મતદાન એવા સમયે થયું છે, જ્યારે 22 સપ્ટેમ્બરથી ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર શિખર સંમેલનનું આયોજન થવાનું છે, જેની અધ્યક્ષતા સાઉદી અરેબિયા અને ફ્રાન્સ કરશે. ફ્રાન્સે અગાઉથી જ પેલેસ્ટાઇની રાજ્યને ઔપચારિક માન્યતા આપવાનું વચન આપ્યું છે.

આ પણ વાંચો :  PM Narendra Modi આજે મણિપુરની મુલાકાતે : જાતિય હિંસા બાદ પ્રથમ પ્રવાસ, શાંતિ અને વિકાસની પહેલ

Tags :
India Israel Palestine relationsIndia UN Palestine voteTwo-state solution UNUNGA India vote
Next Article