ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Lindsey Graham :'રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ ખતમ કરવામાં ભારત કરશે મદદ...'

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને લઈ અમેરિકન સાંસદનું મોટું નિવેદન બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે યુદ્ધનો અંત લાવવા માટે પોતાના પ્રભાવનો ઉપયોગ કરવા વિનંતી કરી. Lindsey Graham : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)દ્વારા ભારત પર...
12:52 PM Aug 09, 2025 IST | Hiren Dave
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને લઈ અમેરિકન સાંસદનું મોટું નિવેદન બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે યુદ્ધનો અંત લાવવા માટે પોતાના પ્રભાવનો ઉપયોગ કરવા વિનંતી કરી. Lindsey Graham : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)દ્વારા ભારત પર...
Lindsey-Graham
Lindsey Graham : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફ પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. દરમિયાન, અમેરિકાના સેનેટરલિન્ડસે ગ્રેહામે (Lindsey Graham ) ભારતને રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત લાવવા માટે પોતાના પ્રભાવનો ઉપયોગ કરવા વિનંતી કરી.

...તો ભારત અને અમેરિકાના સંબંધો સુધરશે (Lindsey Graham)

તેમણે કહ્યું કે જો આ યુદ્ધ ભારત દ્વારા સમાપ્ત કરાવાય તો તે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો સુધારવામાં સૌથી મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ કરતા, ગ્રેહામે લખ્યું કે, "જેમ હું ભારતમાં મારા મિત્રોને કહી રહ્યો છું, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો સુધારવા માટે તેઓ જે સૌથી મહત્વપૂર્ણ કાર્ય કરી શકે છે તે એ છે કે યુક્રેનમાં રક્તપાત રોકવાના પ્રયાસમાં પ્રમુખ ટ્રમ્પને મદદ કરો."

આ પણ  વાંચો -Trump warns : 'જો ટેરિફ હટાવાશે તો અમેરિકામાં આવશે 1929 જેવી મહામંદી'

ગ્રેહામને ભારતથી આશા

ગ્રેહામે રશિયા પાસેથી ભારતની તેલ ખરીદીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું, "ભારત પુતિનના સસ્તા તેલનો બીજો સૌથી મોટો ખરીદાર છે. આ તેલ ખરીદી દ્વારા મળેલા પૈસા પુતિનના યુદ્ધ મશીનને મદદ કરે છે. રાષ્ટ્રપતિ પુતિન અને પીએમ મોદી વચ્ચેના તાજેતરના ફોન કોલનો ઉલ્લેખ કરતા ગ્રેહામે કહ્યું, "મને આશા છે કે PM મોદીએ પુતિન સાથેના તેમના તાજેતરના ફોન કોલમાં યુક્રેનમાં આ યુદ્ધના ન્યાયી, સન્માનજનક અને કાયમી ઉકેલને સ્વીકારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હશે. હું હંમેશા માનતો આવ્યો છું કે આ બાબતમાં ભારતનો પ્રભાવ છે

આ પણ  વાંચો-India Russia : બ્રાઝિલ બાદ રશિયાના પ્રમુખ સાથે PM મોદીની ટેલિફોનિક વાતચીત

ઝેલેન્સકીએ મોટો દાવો કર્યો હતો

આ દરમિયાન, અમે તમને અહીં એ પણ જણાવી દઈએ કે તાજેતરમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ મોટો દાવો કરીને સનસનાટી મચાવી હતી. ઝેલેન્સકીએ દાવો કર્યો હતો કે યુક્રેન સામેના યુદ્ધમાં પાકિસ્તાની સૈનિકો રશિયા વતી લડી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે 'અમારા સૈનિકો અહેવાલ આપી રહ્યા છે કે ચીન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, પાકિસ્તાન અને આફ્રિકન દેશોના ભાડૂતી સૈનિકો યુદ્ધમાં ભાગ લઈ રહ્યા છે. અમે આનો જવાબ આપીશું.'

Tags :
Donald TrumpGujrata Firstpm modirussiaUkraine war
Next Article