ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સમુદ્રમાં વધી ભારતની તાકાત: INS એન્ડ્રોથ નૌસેનામાં સામેલ, જહાજમાં 80 ટકાથી વધુ સામગ્રી સ્વદેશી

લક્ષદ્વીપના ટાપુ પરથી નામ, 80% સ્વદેશી પાર્ટ્સ! 6 ઓક્ટોબરે કમિશન થયેલા આ બીજા ASW-SWC યુદ્ધજહાજની વિશેષતાઓ જાણો.
02:37 PM Oct 06, 2025 IST | Mihir Solanki
લક્ષદ્વીપના ટાપુ પરથી નામ, 80% સ્વદેશી પાર્ટ્સ! 6 ઓક્ટોબરે કમિશન થયેલા આ બીજા ASW-SWC યુદ્ધજહાજની વિશેષતાઓ જાણો.
INS Androth Commissioning

INS Androth Commissioning : ભારતીય નૌકાદળની તાકાતમાં વધુ વધારો થયો છે. નૌસેનાનું વધુ એક યુદ્ધજહાજ, INS એન્ડ્રોથ (Androth), આજે, 6 ઓક્ટોબર 2025ના રોજ, વિશાખાપટ્ટનમના નેવલ ડોકયાર્ડમાં કમિશન કરવામાં આવ્યું છે. ઈસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, વાઇસ એડમિરલ રાજેશ પેંઢારકર, ની અધ્યક્ષતામાં આ સમારોહ યોજાયો હતો.

એન્ડ્રોથ ભારતની આત્મનિર્ભર ભારત પહેલનું એક મહત્ત્વપૂર્ણ પગલું છે, કારણ કે આ યુદ્ધજહાજમાં 80% પાર્ટ્સ ભારતમાં જ બનાવવામાં આવ્યા છે. આ યુદ્ધજહાજની ડિઝાઇન અને નિર્માણ કોલકાતાની ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ (GRSE) દ્વારા કરવામાં આવ્યું છે. આ જહાજનું નામ ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ ટાપુઓના એન્ડ્રોથ ટાપુ પરથી રાખવામાં આવ્યું છે.

INS એન્ડ્રોથની મુખ્ય વિશેષતાઓ (INS Androth Commissioning)

એન્ડ્રોથ એ ભારતીય નૌસેનાનું બીજું એન્ટી-સબમરીન શેલો વોટર ક્રાફ્ટ (ASW-SWC) છે. આ પહેલા સમાન શ્રેણીનું યુદ્ધજહાજ INS અર્નાલા 13 સપ્ટેમ્બર 2025ના રોજ કમિશન થઈ ચૂક્યું છે, અને આ કેટેગરીના અન્ય છ જહાજો નૌસેનામાં સામેલ કરવાની યોજના છે. INS એન્ડ્રોથની સૌથી મોટી વિશેષતા છીછરા પાણીમાં પણ સબમરીનનો શિકાર કરવાની ક્ષમતા છે. એટલે કે, તે દરિયાકિનારાની નજીકના છીછરા પાણીમાં છુપાયેલી સબમરીનને શોધીને તેને નષ્ટ કરી શકશે.

જહાજની લંબાઈ 77 મીટર  (INS Androth Commissioning)

આ ક્ષમતાને કારણે ઈસ્ટર્ન નેવલ કમાન્ડને બંગાળની ખાડીમાં દરિયાઈ સીમાઓનું રક્ષણ કરવામાં વધુ મજબૂતી મળશે. તેમાં આધુનિક સોનાર સિસ્ટમ, હળવા ટોર્પિડોઝ, ASW રોકેટ્સ, 30 મિલીમીટરની ગન અને 12.7 મિલીમીટરની રિમોટ કંટ્રોલ્ડ ગન જેવી ટેકનોલોજીથી સજ્જ છે. આ જહાજની લંબાઈ લગભગ 77 મીટર છે અને તેની મહત્તમ ઝડપ 25 નોટિકલ માઇલ છે.

ભારતીય નૌસેનાનો વર્તમાન કાફલો

ભારતીય નૌસેના પાસે 130 થી 140 જહાજોનો કાફલો છે, જેમાં યુદ્ધજહાજો, સબમરીન અને અન્ય જહાજોનો સમાવેશ થાય છે. નૌસેનાએ 2030 સુધીમાં આ કાફલાને વધારીને 150 થી 170 જહાજો સુધી પહોંચાડવાની યોજના બનાવી છે.

વર્તમાન કાફલામાં સામેલ મુખ્ય જહાજો:

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટમાં વકીલે CJI તરફ બૂટ ઉછાળવાનો પ્રયાસ કર્યો, 'સનાતનનું અપમાન નહીં સહીએ'ના નારા લગાવ્યા

Tags :
Aatmanirbhar Bharat DefenceAnti-Submarine Shallow Water CraftEastern Naval CommandGRSE WarshipIndian Navy StrengthINS Androth Commissioning
Next Article