ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં મૃતકોની સ્મૃતિમાં આંતરરાષ્ટ્રીય સિદ્ધાશ્રમ શક્તિ કેન્દ્ર દ્વારા 5 દિવસીય શિવ કથાનું આયોજન

18 થી 22 ઓગસ્ટ 2025 સુધી, દૈનિક પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ સાંજે 4:00 થી 7:00 વાગ્યા સુધી પરમ પૂજ્ય શ્રી રાજરાજેશ્વર ગુરુજીની દિવ્ય ઉપસ્થિતિમાં, પીપી શ્રી જોગી દાદા દ્વારા ભાવનાત્મક પાઠ સાથે યોજાશે.
11:27 PM Aug 20, 2025 IST | Hiren Dave
18 થી 22 ઓગસ્ટ 2025 સુધી, દૈનિક પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ સાંજે 4:00 થી 7:00 વાગ્યા સુધી પરમ પૂજ્ય શ્રી રાજરાજેશ્વર ગુરુજીની દિવ્ય ઉપસ્થિતિમાં, પીપી શ્રી જોગી દાદા દ્વારા ભાવનાત્મક પાઠ સાથે યોજાશે.
International Siddhashram Shakti

લંડન: આંતરરાષ્ટ્રીય સિદ્ધાશ્રમ શક્તિ કેન્દ્ર દ્વારા દુ:ખદ એર ઇન્ડિયા દુર્ઘટનાનાં ભોગ બનેલા લોકોની યાદમાં પાંચ દિવસીય શિવ કથા શરૂ કરવામાં આવી છે. એ સ્વજનો જે ખૂબ જ વહેલા છોડીને જતા રહ્યા છે તેમને શ્રદ્ધાંજલિ આપવાનો આ પ્રયાસ છે. 18 થી 22 ઓગસ્ટ 2025 સુધી, દૈનિક પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ સાંજે 4:00 થી 7:00 વાગ્યા સુધી પરમ પૂજ્ય શ્રી રાજરાજેશ્વર ગુરુજીની દિવ્ય ઉપસ્થિતિમાં, પીપી શ્રી જોગી દાદા દ્વારા ભાવનાત્મક પાઠ સાથે યોજાશે. આ સભામાં ગુજરાત અને વિશ્વભરનાં પ્રતિષ્ઠિત મહેમાનો પણ ઉપસ્થિત રહેશે. આ વિમાન દુર્ઘટનામાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ દુ:ખદ અવસાન થયું હતું. આવતીકાલે, સ્વ. વિજયભાઈ રૂપાણીજીના પુત્રી પણ શિવ કથામાં જોડાશે.

પવિત્ર શિવ કથા શરૂ કરતા, શ્રી જોગી દાદાએ આ સ્મરણ પાછળ ગુરુજીના દ્રષ્ટિકોણને શેર કર્યો:

"આ શિવકથા માત્ર એક આધ્યાત્મિક મેળાવડો જ નથી પણ અમદાવાદથી લંડન આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો માટે શ્રદ્ધાંજલિ પણ છે. પ્રાર્થનામાં તેમને યાદ કરીને, આપણે ખાતરી કરીએ છીએ કે તેમના આત્માને શાંતિ મળે." તેમણે કહ્યું, "સિદ્ધાશ્રમ બધાનો છે- આપણા સદગુરુ આપણા જીવનમાં માર્ગદર્શક પ્રકાશ છે, જેમ મહાદેવના દર્શન એક પવિત્ર યાત્રા સમાન છે, તેવી જ રીતે આવી પ્રાર્થનાઓમાં જોડાવાથી આપણી સંસ્કૃતિ અને સનાતન ધર્મ મજબૂત થાય છે. આજનાં યુવાનો ભક્તિમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે તે જોઈને આનંદ થાય છે, કારણ કે આપણા વારસાનું જતન અને સંવર્ધન કરવું ખૂબ જ જરૂરી છે.

પ. પૂ. શ્રી રાજરાજેશ્વર ગુરુજીએ શિવ શક્તિ અને ચેતનાનાં શાશ્વત જોડાણ પર ભાર મૂક્યો

"શિવ માત્ર એક દેવતા નથી પણ પરમ ચેતના છે. શિવ કથા દ્વારા આપણે આંતરિક ઉર્જાને જાગૃત કરીએ છીએ અને સામૂહિક પ્રાર્થના દ્વારા આપણે વિશ્વનાં દરેક ખૂણામાં શાંતિનાં સ્પંદનો ફેલાવીએ છીએ. મૃતકોનાં આત્માઓને શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય અને તેમની યાદો આપણને કરુણા, એકતા અને ઉચ્ચ ચેતના તરફ દોરી જાય.

અતિથિ વિશેષ પંકજભાઈ મોદીએ પોતાની ઊંડી લાગણીઓ વ્યક્ત કરી

“અહીં, હું શિવ અને શિવત્વનાં સારનો અનુભવ કરું છું. ગુરુજીના ઉમદા પ્રયાસો ખરેખર પ્રેરણાદાયક છે. ધર્મનો અર્થ છે બીજાઓની સેવા કરવી અને મદદ કરવી અને ગુરુજી તે ધર્મને જીવી રહ્યા છે. લોકોને એક કરવા, આપણી સંસ્કૃતિને મજબૂત બનાવવા અને સનાતન ધર્મને ટકાવી રાખવામાં તેમનું કાર્ય અસાધારણ છે. માનવતા માટેનાં તેમના ઉમદા પ્રયાસોમાં તેમની પાછળ ઊભા રહેવું આપણા બધાનું કર્તવ્ય છે.”

પ્રથમ દિવસે ચૈતન્ય શંભુ મહારાજ, મહેશભાઈ ભટ્ટ, ધ્રુવભાઈ ભટ્ટ અને રાજેન્દ્રભાઈ ઠક્કરની દિવ્ય હાજરી પણ જોવા મળી, જેઓ પ્રાર્થનામાં જોડાયા. આરતી પછી, પવિત્ર રુદ્રાભિષેક કરવામાં આવ્યો, જેમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકોનાં આત્માઓને તેની દિવ્ય ઊર્જા સમર્પિત કરવામાં આવી.

આ પ્રસંગ સિદ્ધાશ્રમનો હૃદયસ્પર્શી સંદેશ વહન કરે છે:

"તેઓ અમને ખૂબ જ જલ્દી છોડીને ચાલ્યા ગયા, પરંતુ અમારા હૃદયમાં હંમેશ માટે રહેશે. અમે તેમની શાશ્વત શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ."

Tags :
air india crashChaitanya Shambhu MaharajGujarat FirstInternational Siddhashram Shakti CentreLord ShivaPP Shri Jogi DadaSadguruSANATAN DHARMAShri Pankajbhai ModiShri Rajrajeshwar GurujiVijaybhai Rupani
Next Article