Iran : ઈઝરાયલી યુદ્ધ પછી ઈરાનમાં દમન-600 થી વધુ ફાંસીની સજા
Iran : ઈઝરાયલ (Israeli) સાથેના 12 દિવસના યુદ્ધમાં ખરાબ રીતે માર ખાધા પછી પણ, ઈરાનના ઇસ્લામિક શાસકો ભાનમાં આવ્યા નથી. હા, તે યુદ્ધની એક અસર એ હતી કે ઈરાનના લોકોનો સરકાર સામે અસંતોષ ફાટી નીકળવાના ડરથી ઈસ્લામિક સરકારે હવે પોતાનો સાચો રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. આ ક્રમમાં, 2022 ના રાષ્ટ્રવ્યાપી આંદોલન દરમિયાન ધરપકડ કરાયેલા 47 વર્ષીય ઈરાની કુર્દિશ ખેડૂત રેઝગર બેગઝાદેહ બાબામિરીને એક નવા આરોપમાં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી છે.
મહિલા, જીવન, સ્વતંત્રતા વિરોધ પ્રદર્શન
ઈરાન ઈન્ટરનેશનલના અહેવાલ મુજબ, બાબામિરીને રાષ્ટ્રવ્યાપી "મહિલા, જીવન, સ્વતંત્રતા" (Women, life, freedom)વિરોધ પ્રદર્શનના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. હવે તેમની પુત્રી ગિનોએ દાવો કર્યો છે કે સરકારે તેમના પિતા વિરુદ્ધ એક નવો આરોપ મૂક્યો છે અને તે છે - સર્વોચ્ચ નેતા અલી ખામેની (Ali Khamenei )ની હત્યાનું જનોંનો આરોપ છે કે આ કેસોમાં તેમના પિતા સામે અગાઉ તપાસ ચાલી રહી હતી તેમાં આનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. પરંતુ અચાનક તેમને અલ્લાહ વિરુદ્ધ યુદ્ધ છેડવા, પૃથ્વી પર ભ્રષ્ટાચાર, ઇસ્લામિક રિપબ્લિક વિરુદ્ધ પ્રચાર, પ્રતિકૂળ જૂથ સાથે સહયોગ અને જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા જેવા અનેક આરોપો ઉમેરીને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી.
ઈરાની પોલીસનો કસ્ટડીમાં ત્રાસ આપ્યો
ગીનોનો આરોપ છે કે તેમના પિતાને ઈરાની પોલીસે કસ્ટડીમાં ત્રાસ આપ્યો હતો. તેમને માર મારવામાં આવ્યો, શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો, લાંબા સમય સુધી એકાંત કેદમાં રાખવામાં આવ્યા અને નકલી ફાંસી પણ આપવામાં આવી. ગિનો કહે છે કે તેમના પિતાએ આ વર્ષે એપ્રિલમાં જેલમાંથી એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે તેમના પર થયેલા અત્યાચારો વિશે જણાવ્યું હતું. ગિનોએ આંતરરાષ્ટ્રીય સમુદાયને આ મામલે હસ્તક્ષેપ કરવા અપીલ કરી છે.
આ વર્ષે 612 ફાંસી
નાવા સ્થિત ઈરાન હ્યુમન રાઈટ્સ Iran Human Rights (IHR) અનુસાર, ઓક્ટોબર 2025 માં ઈરાનમાં ઓછામાં ઓછા 98 લોકોને ફાંસી આપવામાં આવી હતી, જેનાથી 2025 માં ફાંસીની કુલ સંખ્યા 612 થઈ ગઈ છે, જે પાછલા વર્ષ કરતા 119% વધુ છે. કાર્યકરો કહે છે કે ઈરાન-ઈઝરાયલ સંઘર્ષ પછી દમન વધુ તીવ્ર બન્યું છે, જેને સત્તાવાળાઓ દ્વારા અસંમતિને કચડી નાખવા અને નિયંત્રણ મજબૂત કરવાની વ્યૂહરચના તરીકે જોવામાં આવે છે. "ઈસ્લામિક રિપબ્લિક નબળી સ્થિતિમાં છે અને તેના લોકોને ડરાવવા માટે ફાંસીનો આશરો લઈ રહ્યું છે," HR ડિરેક્ટર મહમૂદ અમીરી-મોગદ્દમે જણાવ્યું હતું.
આ પણ વાંચો: PM Modi ને અપાયું 'ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેગો' જેવું સર્વોચ્ચ સન્માન