Iran-Israel War : ઈરાન પર હુમલાને કારણે તણાવ ચરમસીમાએ ! ભારતે જાહેર કરી એડવાઇઝરી
- ઇઝરાયલે ઇરાનના અનેક શહેરોમાં હુમલો કર્યાની કરી પુષ્ટિ (Iran-Israel War)
- ઇઝરાયલમાં સાયરન ગુંજ્યા અને રાષ્ટ્રવ્યાપી કટોકટીની સ્થિતિ જાહેર
- ભારતીય નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી
Iran-Israel War : અમેરિકા અને ઈઝરાયલે સંયુક્ત રીતે તેહરાન સહિત ઈરાનના 30 શહેરો પર હુમલો કર્યો. ભારતે ઈઝરાયલમાં રહેતા તેના નાગરિકો માટે એક એડવાઈઝરી જારી કરી છે, જેમાં તેમને સતર્ક રહેવાની વિનંતી કરવામાં આવી છે. ભારતીય દૂતાવાસે જણાવ્યું હતું કે, "ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઈઝરાયલી અધિકારીઓ અને હોમ ફ્રન્ટ કમાન્ડ દ્વારા જારી કરાયેલ સુરક્ષા માર્ગદર્શિકા અને સૂચનાઓનું કડક પાલન કરે."
Iran-Israel War : ઈરાન પર હુમલાને કારણે તણાવ ચરમસીમાએ !
ભારતીય દૂતાવાસે એક એડવાઈઝરી જારી કરતા જણાવ્યું હતું કે, "પ્રદેશમાં વર્તમાન સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ઈઝરાયલમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને અત્યંત સાવધાની રાખવા અને હંમેશા સતર્ક રહેવાની સલાહ આપવામાં આવે છે. બધા ભારતીય નાગરિકોએ નિયુક્ત આશ્રયસ્થાનોની નજીક રહેવું જોઈએ અને તેમના રહેઠાણ અથવા કાર્યક્ષેત્રમાં નજીકના સલામત સ્થળોથી વાકેફ રહેવું જોઈએ. ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે આગામી સૂચના સુધી ઈઝરાયલમાં બધી બિન-આવશ્યક મુસાફરી ટાળવી જોઈએ."
એડવાઈઝરીના મુખ્ય મુદ્દા:
- પ્રદેશની સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હંમેશા સતર્ક રહેવું.
- નિયુક્ત શેલ્ટર અથવા સુરક્ષિત સ્થળોની નજીક રહેવું.
- પોતાના રહેઠાણ અને કાર્યસ્થળ નજીકના સુરક્ષિત વિસ્તારો વિશે પૂર્વ જાણકારી રાખવી.
- આગામી સૂચના સુધી બિન-આવશ્યક મુસાફરી ટાળવી.
- સ્થાનિક સમાચાર અને સત્તાવાર કટોકટી સૂચનાઓ પર સતત નજર રાખવી.
- કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં ભારતીય નાગરિકો 24x7 હેલ્પલાઇન પર સંપર્ક કરી શકે છે:
📞 +972-54-7520711
📧 cons1.telaviv@mea.gov.in
ADVISORY
In view of the prevailing security situation in the region, all Indian nationals in Israel are advised to exercise utmost caution and remain vigilant at all times.
2. Indian nationals are strongly advised to strictly adhere to the safety guidelines and instructions… pic.twitter.com/SOvzAdLMwn— India in Israel (@indemtel) February 28, 2026
દૂતાવાસે ખાતરી આપી છે કે તેઓ ઇઝરાયલી સત્તાધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને જરૂર મુજબ નવી સૂચનાઓ જાહેર કરશે.
ઇઝરાયલમાં ભારતીયોની હાજરી
હાલમાં 20,000થી વધુ ભારતીયો ઇઝરાયલમાં વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે. ખાસ કરીને વૃદ્ધોની સંભાળ, હીરા વેપાર, આઈટી, અને અભ્યાસ ક્ષેત્રે. ઉપરાંત, ભારતીય મૂળના આશરે 85,000 યહૂદીઓ પણ ઇઝરાયલમાં વસે છે.
વર્તમાન પરિસ્થિતિમાં, તમામ ભારતીય નાગરિકોને સાવચેતી રાખીને સત્તાવાર માર્ગદર્શિકાનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.


