Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ ઈરાન છોડવાની તૈયારીમાં ખામેનેઈ? રિપોર્ટમાં દાવો

ઈરાનમાં આર્થિક તંગી વિરુદ્ધ ફાટી નીકળેલા હિંસક વિરોધ પ્રદર્શનોમાં અત્યાર સુધી 15થી વધુ લોકોના મોત થયા છે. આ સ્થિતિ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે કે જો પ્રદર્શનકારીઓ પર અત્યાચાર થશે તો અમેરિકા હસ્તક્ષેપ કરશે. અહેવાલો મુજબ, 86 વર્ષીય ખામેનેઈ તેમના પરિવાર અને 20 નજીકના સાથીઓ સાથે રશિયા ભાગવાની તૈયારી કરી રહ્યા છે, જે સીરિયાના બશર અલ-અસદના પલાયન જેવી જ વ્યૂહરચના હોઈ શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ ઈરાન છોડવાની તૈયારીમાં ખામેનેઈ  રિપોર્ટમાં દાવો
Advertisement

. ઈરાનમાં ઉગ્ર દેખાવોમાં 15 જેટલા દેખાવકારોના મોત
. ટ્રમ્પે ઈરાનને આપી છે હસ્તક્ષેપની ધમકી
. ખોમેનેઈ ઈરાનમાંથી ભાગે તેવી શક્યતાનો દાવો

વોશિંગ્ટન: ઈરાનમાં વિરોધ પ્રદર્શનની આગ ઉગ્ર થવા અને ઘણાં દેખાવકારોના મોત પર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હસ્તક્ષેપની ધમકી આપી હતી. તેના પછી હવે એક રિપોર્ટમાં મોટો દાવો કરાયો છે.

Advertisement

રિપોર્ટમાં મોટો દાવો

ધ ટાઈમ્સના એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે આર્થિક સંકટની વિરુદ્ધ ઈરાનમાં મોટા પ્રમાણમાં થઈ રહેલા દેખાવો વચ્ચે, ઈરાન અને અયાતુલ્લા અલી ખામેનેઈના દેશમાંથી ફરાર થવાની યોજના બની રહી છે. રિપોર્ટ મુજબ, ખામેનેઈની પાસે આને લઈને એક બેક-અપ પ્લાન છે.

Advertisement

રિપોર્ટમાં એક ઈન્ટેલિજન્સ રિપોર્ટને પણ ટાંકવામાં આવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ખામેનેઈ અને તેના 20 નિકટવર્તી સહયોગીઓ અને પરિવાર સાથે ઈરાનથી ભાગવવાની યોજના બનાવી રહ્યા છે. દાવો કરાયો છે કે ખામેનેઈ સીરિયાના બશર અલ અસદનીજેમ રશિયામાં શરણલે તેવી શક્યતા છે. તેનું કારણ એ જણાવવામાં આવ્યું છે કે ખામેનેઈને મોસ્કો ભાગવું પડશે, કારણ કે તેમના માટે અન્ય કોઈ સ્થાન નથી.

ઈરાનમાં પ્રદર્શનો

આના પહેલા ઈરાનની ડૂબતી ઈકોનોમીને કારણે ભડકેલા વિરોધ પ્રદર્શનો દરમિયાન હિંસામાં ઓછામાં ઓછા 15 લોકોના મોત નીપજ્યા છે. રિપોર્ટ્સ મુજબ, ઈરાનના 31 પ્રાંતોમાંથી 25 પ્રાંતોમાં 170થી વધારે સ્થાનો પર દેખાવો થઈ રહ્યા છે. જણાવાયું છે કે મૃતકોની સંખ્યા ઓછામાં ઓછી 15ની થઈ છે અને 580થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ઈરાનના સર્વોચ્ચ નેતાએ દેશમાં અશાંતિ પેદા કરનારા વિરોધ પ્રદર્શનોને લઈને કહ્યુ છે કે હુલ્લડખોરો પર કડકાઈ કરવી પડશે. વિરોધ-પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસા સંદર્ભે 86 વર્ષીય અયાતુલ્લા અલી ખામેનેઈની આ પહેલી ટીપ્પણી છે.

આ પણ વાંચો:ટ્રમ્પની વેનેઝુએલા સામેની કાર્યવાહીમાં ઈરાન માટે સંદેશ, પણ ચીન-રશિયા આની નકલ કરશે તો?

Tags :
Advertisement

.

×