ઈરાનના સુપ્રીમ લીડરના રાષ્ટ્રજોગ સંબોધન બાદ ઇઝરાયલે લાવિઝાન પર મિસાઇલ છોડી
Iran-Israel War : રાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીએ આજે રાષ્ટ્રને સંબોધન કર્યું. લાઈવ ટીવી સંબોધનના થોડી મિનિટો પછી ઇઝરાયલી ફાઇટર જેટ્સે તેહરાનના લાવિઝાન વિસ્તાર પર હવાઈ હુમલો કર્યો.લાવિઝાનને ખામેનીના સંભવિત ગુપ્ત ઠેકાણા તરીકે ગણવામાં આવે છે. આ હુમલાના સમયથી આંતરરાષ્ટ્રીય સ્તરે અટકળોને વેગ મળ્યો છે કે શું ખામેની પોતે આ હુમલાનું નિશાના પર હતા.
ઈરાની શાસન બંનેનો અંત આવશે.
આ હુમલો એવા સમયે થયો છે જ્યારે ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તાજેતરમાં ખુલ્લેઆમ કહ્યું હતું કે જો ખામેનીને ખતમ કરી દેવામાં આવે છે, તો યુદ્ધ અને ઈરાની શાસન બંનેનો અંત આવશે.તણાવમાં ઘી ઉમેરતા, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે રાત્રે પણ કહ્યું હતું કે અમે જાણીએ છીએ કે તે ક્યાં છે... અમે હજુ સુધી તેમને માર્યા નથી.
ઈરાન તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી
અગાઉ ખામેનીને તેહરાનના ઉત્તર-પૂર્વીય ક્ષેત્ર લાવિઝાનમાં એક ભૂગર્ભ બંકરમાં ખસેડવામાં આવ્યા છે, જેનાથી એવી અટકળો વધુ મજબૂત થઈ છે કે ઇઝરાયલે તે બંકરને નિશાન બનાવ્યું હશે.હાલમાં, આ હુમલા અંગે ઇઝરાયલ કે ઈરાન તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી, પરંતુ આ ઘટનાએ બંને દેશો વચ્ચે પહેલાથી જ અસ્તિત્વમાં રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિને વધુ વણસી છે.
ખામેનીએ પોતાના સંબોધનમાં શું કહ્યું?
તમને જણાવી દઈએ કે ખામેનીએ આજે રાષ્ટ્રને સંબોધન કરતી વખતે એક મજબૂત અને ભાવનાત્મક સંદેશ આપ્યો હતો. ખામેનીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે ઈરાની લોકો તેમના શહીદોના લોહીને ક્યારેય ભૂલી શકશે નહીં અને દેશના હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કરનારાઓને માફ કરવામાં આવશે નહીં. તેમણે ઇસ્લામિક રિપબ્લિકના દુશ્મનોને ચેતવણી આપી હતી કે જો અમેરિકા કે અન્ય કોઈ શક્તિ ઈરાન સામે લશ્કરી કાર્યવાહી કરશે, તો તેનું ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થશે.
ઇરાનના ટ્રમ્પના ધમકીભર્યા નિવેદનો પર વળતો પ્રહાર
ઈરાની સુપ્રીમ લીડરએ પણ યુએસ પ્રમુખ ટ્રમ્પના ધમકીભર્યા અને હાસ્યાસ્પદ નિવેદનો પર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે ચેતવણી આપી હતી કે ઈરાન ધમકીભર્યા ભાષાને સહન કરશે નહીં. તે લાદવામાં આવેલા યુદ્ધમાં શરણાગતિ સ્વીકારશે નહીં અને કોઈપણ યુએસ લશ્કરી હસ્તક્ષેપથી એવું નુકસાન થશે કે કોઈ ભૂલી શકશે નહીં.
ઇઝરાયલી હુમલાને મૂર્ખ અને દુર્ભાવનાપૂર્ણ ગણાવ્યો
પોતાના ટેલિવિઝન સંબોધનમાં આયાતુલ્લાહ ખામેનીએ ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા તાજેતરના હુમલાને મૂર્ખ અને દુર્ભાવનાપૂર્ણ ગણાવ્યો અને કહ્યું કે તે સમગ્ર ઈરાની લોકોની સહનશીલતાની કસોટી કરવા જેવું છે. તેમણે ઈરાની લોકોના હિંમતવાન અને મક્કમ વર્તનની પ્રશંસા કરી અને કહ્યું કે તે દર્શાવે છે કે રાષ્ટ્ર આધ્યાત્મિક અને તર્કસંગત રીતે પરિપક્વ થયું છે. તેમણે કહ્યું, "અમે ન તો લાદવામાં આવેલા યુદ્ધને સ્વીકારીશું કે ન તો લાદવામાં આવેલી શાંતિને. ઈરાની રાષ્ટ્ર ન તો લાદવામાં આવેલા યુદ્ધ સામે ઝૂકશે અને ન તો લાદવામાં આવેલી શાંતિને સ્વીકારશે. આ દેશ ક્યારેય કોઈપણ પ્રકારના બળજબરી સામે ઝૂકશે નહીં.