Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Myanmar Explosion : મ્યાનમારમાં વિસ્ફોટકોથી ભરેલી એક ઇમારતમાં પ્રચંડ વિસ્ફોટ થતા 46 લોકોના મોત

મ્યાનમારના ઉત્તરીય વિસ્તારમાં આવેલ નામખામ શહેરનું એક ગામ રવિવારે બપોરે એક ભયાનક દુર્ઘટનાનું સાક્ષી બન્યું. ખાણકામ માટે રખાયેલા વિસ્ફોટકોના એકાએક થયેલા ધડાકાએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. અનેક મકાનો કાટમાળમાં ફેરવાઈ ગયા છે, જ્યારે જીવ બચાવવા માટેની દોડધામ વચ્ચે મૃત્યુઆંક સતત ઉપર જઈ રહ્યો છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર મ્યાનમારની આંતરિક સુરક્ષા અને સંઘર્ષોની પરિસ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
myanmar explosion   મ્યાનમારમાં વિસ્ફોટકોથી ભરેલી એક ઇમારતમાં પ્રચંડ વિસ્ફોટ થતા 46 લોકોના મોત
Advertisement

Myanmar Explosion : મ્યાનમાર [Myanmar] ના ઉત્તરીય વિસ્તારમાં આવેલા નામખામ [Namkham] શહેરમાં રવિવારે એક ભીષણ વિસ્ફોટ થતા ભારે તબાહી સર્જાઈ છે. પ્રાથમિક અહેવાલો મુજબ, એક ઇમારતમાં સંગ્રહિત વિસ્ફોટકોમાં થયેલા આ પ્રચંડ ધડાકાને કારણે અત્યાર સુધીમાં 46 લોકોના મૃત્યુ થયાની પુષ્ટિ કરવામાં આવી છે. આ દુર્ઘટનામાં 70થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

Myanmar Explosion : મ્યાનમારમાં ભીષણ વિસ્ફોટ

ચીન સરહદથી માત્ર 3 કિમી દૂર આવેલા કૌંગટુપ [Kaungtup] ગામમાં બપોરના સમયે આ ઘટના ઘટી હતી. આ વિસ્તાર 'તાઆંગ નેશનલ લિબરેશન આર્મી' [Ta'ang National Liberation Army - TNLA] ના નિયંત્રણ હેઠળ છે, જે મ્યાનમારની કેન્દ્ર સરકાર સામે સક્રિય છે. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે નજીકના 100 થી વધુ રહેણાંક મકાનો ધરાશાયી થયા છે અથવા ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયા છે.

Advertisement

બચાવ કામગીરી પૂરજોશમાં

ઘટનાસ્થળે પહોંચેલા બચાવકર્મીઓના જણાવ્યા અનુસાર, મૃતકોમાં છ બાળકોનો પણ સમાવેશ થાય છે. હાલમાં પણ કાટમાળ નીચે લોકો દબાયેલા હોવાની આશંકા છે, જેથી મૃત્યુઆંક વધવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. સ્થાનિક મીડિયા આઉટલેટ્સે મૃત્યુઆંક 50 થી 55 ની વચ્ચે હોવાનો અંદાજ લગાવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા દ્રશ્યોમાં ઘટનાસ્થળે જોવા મળતો કાટમાળ અને હવાની સ્થિતિ દુર્ઘટનાની ગંભીરતા દર્શાવે છે.

Advertisement

આ પણ વાંચો: Nepal India Border Dispute : ભારત- નેપાળ સરહદ વિવાદમાં હવે બ્રિટનની થશે એન્ટ્રી!  PM બાલેન્દ્ર શાહે આપ્યું વિવાદાસ્પદ નિવેદન

Tags :
Advertisement

.

×