Nepal Indian Bus Accident: નેપાળમાં ભારતીય યાત્રાળુઓની બસ પલટી, 7 શ્રદ્વાળુઓના કરૂણ મોત
- નેપાળના ગોરખા જિલ્લામાં ભારતીય યાત્રાળુઓ ભરેલી બસ પલટી ગઈ (Nepal Indian Bus Accident)
- મનકામના મંદિરના દર્શન કરી પરત ફરતી વખતે સર્જાયો ભીષણ અકસ્માત
- દુર્ઘટનામાં 2 મહિલા અને 5 પુરુષો સહિત તમામ 7 મૃતકો ભારતીય નાગરિક
- 7 ગંભીર ઘાયલોને બચાવીને અંબુખૈરેની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા
નેપાળના પહાડી રસ્તાઓ પર ફરી એકવાર ભારતીય યાત્રાળુઓ માટે કાળ ભેટ્યો છે. મધ્ય નેપાળના ગંડકી પ્રાંત (Gandaki Province) માં શનિવારે એક ભીષણ અકસ્માત સર્જાયો હતો. ગોરખા જિલ્લા (Gorkha District) માં ભારતીય યાત્રાળુઓને લઈ જતી એક પેસેન્જર ઈલેક્ટ્રિક બસ (Electric Bus) અચાનક કાબૂ ગુમાવતા ઊંડી કોતરમાં ખાબકી હતી. આ કરુણ દુર્ઘટનામાં 7 ભારતીય નાગરિકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 7 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે.
Nepal Indian Bus Accident: મનકામના મંદિરના દર્શન કરી પરત ફરતી વખતે દુર્ઘટના
પોલીસના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના ત્યારે બની જ્યારે યાત્રાળુઓ નેપાળના પ્રસિદ્ધ મનકામના મંદિર (Manakamana Temple) ના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. ગોરખા જિલ્લાના ટ્રાફિક પોલીસ વડા સૂરજ આર્યલ (Suraj Aryal) એ માહિતી આપી હતી કે, બસ પહાડી રસ્તા પરથી નીચે ખાડામાં ખાબકતા બસનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. મૃતકોમાં પાંચ પુરુષો અને બે મહિલાઓનો સમાવેશ થાય છે.
મૃતકોની ઓળખ અને બચાવ કામગીરી
જિલ્લા પોલીસ કચેરીના વડા ભરત બહાદુર બીકે (Bharat Bahadur BK) એ જણાવ્યું કે તમામ મૃતકો ભારતીય નાગરિકો હતા. મૃતકોની ઓળખ મુથુ કુમાર (58), અનામલિક (58), મીનાક્ષી (59), શિવગામી (53), વિજયલ (57), મીના (58) અને તમિલરાસી (60) તરીકે થઈ છે. અકસ્માતની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને બચાવ દળ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. 7 ઘાયલ મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને તાત્કાલિક સારવાર માટે અંબુખૈરેની હોસ્પિટલ (Anbukhaireni Hospital) માં દાખલ કરવામાં આવ્યા છે.
તપાસ અને ડ્રાઈવરની સ્થિતિ
હિમાલયન ટાઈમ્સ (The Himalayan Times) ના અહેવાલ મુજબ, આ અકસ્માતમાં ઈલેક્ટ્રિક બસનો ડ્રાઈવર આબાદ બચી ગયો છે, જ્યારે તેનો સહાયક ઘાયલ થયો છે. પોલીસ અત્યારે અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ કરી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ વળાંક પર ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હોવાનું મનાઈ રહ્યું છે. ભારતીય દૂતાવાસ (Indian Embassy) ને પણ આ અંગે જાણ કરવામાં આવી છે જેથી મૃતદેહોને વતન લાવવાની પ્રક્રિયા શરૂ કરી શકાય.
આ પણ વાંચો: Balcony Collapse : લગ્નનો મંડપ શોકમાં ગરકાવ, બિહારમાં બાલ્કની તૂટી પડતા બેના મોત


