Nepal India Border Dispute : ભારત- નેપાળ સરહદ વિવાદમાં હવે બ્રિટનની થશે એન્ટ્રી! PM બાલેન્દ્ર શાહે આપ્યું વિવાદાસ્પદ નિવેદન
Nepal India Border Dispute : નેપાળના વડા પ્રધાન બાલેન્દ્ર શાહે રવિવારે સંસદમાં ભારત સાથેની સરહદ અંગે એક મહત્વપૂર્ણ અને ચોંકાવનારૂં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે માત્ર ભારતે જ નહીં, પરંતુ નેપાળે પણ ઘણી જગ્યાએ ભારતીય જમીન પર અતિક્રમણ કર્યું છે. આ નિવેદન બાદ બંને દેશો વચ્ચેના સરહદી મુદ્દાઓ પર નવી ચર્ચા શરૂ થઈ છે.
Nepal India Border Dispute : સરહદ વિવાદ પર વડા પ્રધાનનું મોટું નિવેદન
નેપાળી સંસદમાં સાંસદોના પ્રશ્નોના જવાબ આપતા વડા પ્રધાન બાલેન્દ્ર શાહે લિપુલેખ [Lipulekh], લિમ્પિયાધુરા [Limpiyadhura] અને કાલાપાની [Kalapani] મુદ્દે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું કે, "વડા પ્રધાન બન્યા પછી મને સમજાયું કે સરહદના મુદ્દાઓ જટિલ છે અને બંને પક્ષોએ સાથે બેસીને વાતચીત કરવાની જરૂર છે." તેમણે ખાતરી આપી હતી કે આ વિવાદને રાજદ્વારી સ્તરે વાતચીત દ્વારા જ ઉકેલવામાં આવશે.
ચીન અને બ્રિટન સાથે રાજદ્વારી ચર્ચા
વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે આ મુદ્દો બ્રિટિશ શાસનકાળના સમયથી ચાલી આવે છે, તેથી આ મામલે બ્રિટન [Britain] ને પણ સામેલ કરવામાં આવશે. તેમણે સંસદમાં માહિતી આપી કે નેપાળ સરકારે ચીન [China] સાથે પણ આ બાબતે રાજદ્વારી સંપર્ક સાધ્યો છે. સરકાર ઈતિહાસકારો અને સર્વેક્ષણકારોની નિષ્ણાત ટીમો દ્વારા આ મુદ્દાનો કાયમી ઉકેલ શોધવા માટે પ્રયત્નશીલ છે.
વિવાદનું મૂળસુગૌલી સંધિ 1816
ભારત અને નેપાળ વચ્ચેનો સરહદ વિવાદ મુખ્યત્વે 1816 ની સુગૌલી સંધિ [Sugauli Treaty] પર આધારિત છે. નેપાળ જૂના નકશાઓ અને નદીના મૂળના આધારે આ વિસ્તારો પર દાવો કરે છે, જ્યારે ભારત તેને પિથોરાગઢ [Pithoragarh] જિલ્લાનો અભિન્ન હિસ્સો ગણાવે છે. 1962 થી આ વિસ્તાર વ્યૂહાત્મક રીતે મહત્વનો હોવાથી બંને દેશો વચ્ચે અવારનવાર મતભેદો જોવા મળે છે.
આ પણ વાંચો : China Mine Collapse : ચીનમાં ગેરકાયદેસર ખાણ ધસી પડતા પાંચ શ્રમિકોના કરૂણ મોત


