Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Nigeria માં બંદૂકધારીઓએ નિર્દોષો પર કર્યો અંધાધૂંધ ગોળીબાર, અનેક લોકોના મોત, ઘરો પણ સળગાવ્યા

નાઇજીરિયાના નાઇજર રાજ્યના કાસુવાન-દાજી ગામમાં બંદૂકધારીઓએ અંધાધૂધ ફાયરિંગ કરી 30 લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. હુમલાખોરોએ ત્રણ કલાક સુધી આતંક મચાવી અનેક ઘરો સળગાવી દીધા અને માસૂમ બાળકોનું અપહરણ કર્યું છે. આ વિસ્તારમાં સશસ્ત્ર ગેંગના વધતા વર્ચસ્વ વચ્ચે સર્જાયેલા આ ખૂની ખેલથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ છે. પોલીસે ઘટનાની પુષ્ટિ કરી છે, જોકે હજુ પણ અનેક લોકો ગુમ હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા છે.
nigeria માં બંદૂકધારીઓએ નિર્દોષો પર કર્યો અંધાધૂંધ ગોળીબાર  અનેક લોકોના મોત  ઘરો પણ સળગાવ્યા
Advertisement
  • Nigeria Gunmen Attack : નાઇજીરિયામાં બંદૂકધારીઓએ અનેક લોકોને મોતના ઘાટ ઉતાર્યા
  • પોલીસે આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ કરી
  • ગ્રામજનોની હત્યા કર્યા બાદ ઘરો સળગાવી દીધા

નાઇજીરીયામાં ફરી એકવાર મોટા હત્યાકાંડના સમાચાર સામે આવી રહ્યા છે.નાઇજીરીયાના નાઇજર રાજ્યના કાસુવાન-દાજી ગામમાં બંદૂકધારીઓએ હુમલો કરીને ખૂની ખેલ ખેલયો. અંધાધૂધ ગોળીબાર કરીને 30 લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. જયારે અનેક લોકોનો અપહરણ કરવામાં આવ્યો છે. આ હત્યાકાંડની સત્તાવાર માહિતી પોલીસે આપી છે. ગ્રામજનોના મત અનુસાર મૃત્યુઆંક વધુ હોઇ શકે છે. અનેક લોકો ગુમ થયાા સમાચાર પણ સામે આવ્યા છે.

પોલીસે આ ગોળીબારની ઘટનાની કરી પુષ્ટિ

Nigeria Gunmen Attack : નોંધનીય છે કે આ ઘટના દેશના સંઘર્ષગ્રસ્ત ઉત્તરીય પ્રદેશમાં ચાલી રહેલી હિંસાના લહેરનો એક ભાગ છે. પોલીસે રવિવારે આ હુમલાની પુષ્ટિ કરી છે.  જ્યારે રહેવાસીઓએ જણાવ્યું કે મૃત્યુઆંક વધુ હોઈ શકે છે, કારણ કે કેટલાક લોકો હજુ પણ ગુમ છે.કોન્ટાગોરા ડાયોસીસમાં કેથોલિક ચર્ચના પ્રવક્તા રેવ. ફાધર સ્ટીફન કબીરાતે પુષ્ટિ આપી કે કાસુવાન-દાજી ગામમાં બંદૂકધારીઓના હુમલામાં 40 થી વધુ લોકો માર્યા ગયા છે. હુમલાખોરો દ્વારા અપહરણ કરાયેલા લોકોમાં કેટલાક બાળકો પણ હતા. એક સ્થાનિક રહેવાસીના જણાવ્યા મુજબ, બંદૂકધારીઓ આ જીવલેણ હુમલો કરતા પહેલા લગભગ એક અઠવાડિયા સુધી નજીકના સમુદાયો પર નજર રાખી રહ્યા હતા.

Advertisement

Advertisement

ત્રણ કલાક સુધી બંદૂકધારીઓએ તાંડવ મચાવ્યો

Nigeria Gunmen Attack : બંદૂકધારીઓએ લગભગ ત્રણ કલાક સુધી તોડફોડ કરી. હુમલામાં બચી ગયેલા લોકો ભયભીત છે અને મૃતદેહો મેળવવાથી ડરી રહ્યા છે. સુરક્ષા કારણોસર નામ ન આપવાની શરતે બોલતા, રહેવાસીએ કહ્યું, "મૃતદેહો હજુ પણ ત્યાં છે, પરંતુ સુરક્ષા વિના આપણે તેમને કેવી રીતે મેળવી શકીએ?"નાઇજીરીયામાં ગેંગ ઘણીવાર ઓછી અથવા કોઈ સુરક્ષા વિનાના ગામોને નિશાન બનાવે છે. આ ગેંગ ઘણીવાર વિશાળ, નિર્જન જંગલોમાં છુપાયેલી રહે છે, જેમ કે કાબે જિલ્લા નજીક નેશનલ પાર્ક ફોરેસ્ટ, જ્યાં હુમલાખોરો ઉદ્ભવ્યા હોવાની શંકા છે. આ વિસ્તાર ગુનેગારો માટે જાણીતો આશ્રયસ્થાન બની ગયો છે. આ હુમલો પાપિરી સમુદાય નજીક થયો હતો, જ્યાં નવેમ્બરમાં કેથોલિક શાળામાંથી 300 થી વધુ શાળાના બાળકો અને શિક્ષકોનું અપહરણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: બ્રિટન અને ફ્રાન્સે આ દેશ પર કર્યો મોટો હુમલો,ISIS બેઝ પર IV ગાઇડેડ બોમ્બથી હુમલો કરાયો

Tags :
Advertisement

.

×