Pahalgam Terrorist Attack : પાકિસ્તાનમાં ફફડાટ! પાક. આર્મી ચીફ મુનીરનો પરિવાર દેશ છોડી ફરાર
- પહેલગામ એટેક બાદ પાકિસ્તાનમાં મોટો ફફડાટ
- ફાંકા ફોજદારી કરતા પાક. આર્મી ચીફ મુનીરને ડર
- પાક. આર્મી ચીફ મુનીરનો પરિવાર દેશ છોડી ફરાર
- પાકિસ્તાની સેનાના અનેક જનરલના પરિવારો ફરાર
- તમામ ઇંગ્લેન્ડ અને ન્યૂજર્સી તરફ ભાગ્યા: સૂત્ર
- ખાનગી જેટથી અનેક પાક. અધિકારીઓ ભાગ્યા
Pahalgam Terrorist Attack : પહેલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનમાં ભારે ફફડાટ ફેલાયો છે. સૂત્રો અનુસાર, પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ આસિમ મુનીરનો પરિવાર અને સેનાના અનેક જનરલોના પરિવારો ભારતની કડક કાર્યવાહીના ડરથી તેમનો દેશ છોડી ફરાર થયા છે. આ પરિવારો ખાનગી જેટ દ્વારા ઇંગ્લેન્ડ અને ન્યૂજર્સી તરફ ભાગ્યા હોવાનું જાણવા મળ્યું છે.
પાકિસ્તાનમાં ફફડાટ
પહેલગામ થયેલા હુમલા બાદથી ભારતે સ્પષ્ટ કર્યું છે કે આ સમગ્ર ઘટનામાં પાકિસ્તાનની ભૂમિકા સૌથી મોટી છે. જેના કારણે ભારત સરકાર હવે કોઇ મોટા એક્શન લેવાના મૂડમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. પહેલગામમાં પાકિસ્તાની આતંકીઓની કાયરતાપૂર્ણ હરકત પર હવે ભારત તરફથી કોઇ મોટી એક્શન લેવાય તેવા સમાચાર પણ સામે આવી રહ્યા છે. જેને લઇને પાકિસ્તાન પણ ફફડી રહ્યું છે. પાકિસ્તાન કેટલું ડરી ગયું છે તે પાકિસ્તાનના આર્મી ચીફ મુનિરના દેશ છોડી ભાગી જવાથી સાબિત થાય છે. જીહા, મળી રહેલી માહિતી અનુસાર, ફાંકા ફોજદારી કરતા પાકિસ્તાનના આર્મી ચીફ મુનિરનો પરિવાર તેમનો દેશ છોડી ફરાર થઇ ગયા છે. તેટલું જ નહીં પાકિસ્તાનની સેનાના અનેક જનરલના પરિવાર પણ ફરાર થઇ ગયા હોવાનું સામે આવ્યું છે. તેઓ ઇંગ્લેન્ડ અને ન્યૂજર્સી તરફ ભાગ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
પહલગામ એટેક બાદ પાકિસ્તાનમાં મોટો ફફડાટ
ફાંકા ફોજદારી કરતા પાક. આર્મી ચીફ મુનીરને ડર
પાક. આર્મી ચીફ મુનીરનો પરિવાર દેશ છોડી ફરાર
પાકિસ્તાની સેનાના અનેક જનરલના પરિવારો ફરાર
તમામ ઇંગ્લેન્ડ અને ન્યૂજર્સી તરફ ભાગ્યા: સૂત્ર
ખાનગી જેટથી અનેક પાક. અધિકારીઓ ભાગ્યા@GovtofPakistan… pic.twitter.com/vxLgYMqB8a— Gujarat First (@GujaratFirst) April 26, 2025
પાક. સરકાર અને સેના પર આંતરરાષ્ટ્રીય દબાણ વધ્યું
પહેલગામ હુમલા, જેમાં 26 પ્રવાસીઓના મોત થયા, તેની પાછળ પાકિસ્તાનની ભૂમિકા હોવાનું ભારતે સ્પષ્ટ કર્યું છે. ભારતે ઇન્ડસ વોટર ટ્રીટી સ્થગિત કરી, પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કર્યા અને સરહદ પર સૈન્ય કાર્યવાહી તેજ કરી છે. પાકિસ્તાનના ખરાબ નેતૃત્વ અને સેના પર આંતરરાષ્ટ્રીય દબાણ વધ્યું છે, જેમાં અમેરિકાના ભૂતપૂર્વ પેન્ટાગન અધિકારી માઇકલ રૂબિનએ મુનીરને ઓસામા બિન લાદેન સાથે સરખાવી પાકિસ્તાનને આતંકવાદી રાષ્ટ્ર જાહેર કરવાની માંગ કરી છે. આ ઘટનાએ પાકિસ્તાનની અંદર અસ્થિરતા વધારી છે, અને મુનીરની "કાશ્મીર અમારી નસ છે" ની ઉશ્કેરણીજનક ટિપ્પણીને હુમલાનું કારણ માનવામાં આવે છે. ભારતના આક્રમક વલણ અને સૈન્ય તૈનાતીથી પાકિસ્તાની સેનામાં ભયનો માહોલ છે.
આ પણ વાંચો : Pahalgam Terrorist Attack : ભારતને મળ્યું દુનિયાભરના દેશોનું સમર્થન