Pakistan Atom Bomb: આતંકવાદીઓના હાથમાં હશે પરમાણુ બોમ્બ, યુરેનિયમની લૂંટ
- પાકિસ્તાનના અનેક પરમાણુ વૈજ્ઞાનિકોના અપહરણ
- પરમાણુ બોમ્બ બનાવવાની વસ્તુની પણ વૈજ્ઞાનિકોએ કરી ચોરી
- તહરીક એ તાલિબાન દ્વારા સમગ્ર પાકિસ્તાનમાં હાકાર મચાવાયો
Pakistan Atom Bomb : ટીટીપીના આતંકવાદીઓએ કિડનેપ કરવામાં આવેલા પાકિસ્તાની વૈજ્ઞાનિકોનો વીડિયો પણ જાહેર કર્યો છે. તેઓ પાકિસ્તાની જેલમાં બંધ ટીટીપીના આતંકવાદીઓને મુક્ત કરવા માટેની માંગ કરી રહ્યા છે.
તહરીક એ તાલિબાન દ્વારા કરાયું અપહરણ
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં તહરીક એ તાલિબાન પાકિસ્તાન (TTP) દ્વારા કથિત રીતે પાકિસ્તાની પરમાણુ ઊર્જા પંચ (PAEC) ના 16 વૈજ્ઞાનિકોનું અપહરણ કરી લેવાયું છે. સ્થાનિક પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આઠ બંધકોને સફળતા પુર્વક બચાવી લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો : MahaKumbh 2025: વરદાન નહીં શ્રાપનું પરિણામ છે કુંભ, ઋષિ દુર્વાસાએ શ્રાપ આપ્યો અને...
પરમાણુ ઉર્જા પ્લાન્ટમાં કામ કરવા જઇ રહેલા વૈજ્ઞાનિકોનું અપહરણ
કાબુલ ખેલ પરમાણુ ઊર્જા ખનન યોજનામાં કામ કરવા જઇ રહેલા કર્મચારીઓ પર ભારે હથિયારોથી લેસ આતંકવાદીઓએ ધાત લગાવીને હુમલો કર્યો હતો. બંધુકની અણી પર લોકોને બંધ બનાવ્યા બાદ હુમલાખોરોએ તેમના વાહનમાં આગ લગાવી દીધી અને ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા. સ્થાનિક પોલીસે આઠ બંધકોને બચાવી લીધા. જો કે મુક્ત કરાવાયેલા લોકોમાંથી ત્રણ ઓપરેશન દરમિયાન ઘાયલ થઇ ગયા હતા. જેમાંથી એકની સ્થિતિ ગંભીર છે. બાકી બંધકોને છોડાવવા માટેનો પ્રયાસ ચાલી રહ્યો છે.
ટીટીપી કેદીઓને મુક્ત કરવાની માંગ
ટીટીપીએ અપહરણની જવાબદારી લીધી છે અને કિડનેપ કરાયેલા કર્મચારીઓનો એક વીડિયો બહાર પાડવામાં આવ્યો છે. ફુટેજમાં કેટલાક બંધકોએ અધિકારીઓના સમુહની માંગોનું પાલન કરીને તેમની મુક્તિ સુનિશ્ચિત કરવા માટેની અપીલ કરી. આ માંગણીમાં કથિત રીતે પાકિસ્તાની જેલોમાં બંધ ટીટીપી કેદીઓને મુક્ત કરવાનો પણ સમાવેશ થાય છે. વીડિયો કે આતંકવાદીઓના દાવાનું સ્વતંત્ર સત્યાપન હાલ લંબિત છે. તેવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, આતંકવાદીઓએ યુરેનિયમ પણ લુંટી લીધું છે.
આ પણ વાંચો : Breaking : Uttarayan ને લઈ મોટા સમાચાર, High Court એ સરકારને કર્યો આ આદેશ
આતંકવાદીઓએ બલૂચિસ્તાનમાં કર્યો હુમલો
કિડનેપ થયેલા કર્મચારીઓ ઊર્જા, કૃષિ અને ચિકિત્સા જેવા ક્ષેત્રોમાં શાંતિપુર્ણ પરમાણુ એપ્લીકેશનને એડવાન્સ કરવા અંગે કેન્દ્રીત સંગઠન પીએઇસી હેઠલ ખનન યોજનાઓમાં લાગેલા હતા. આ અપહરણ પાકિસ્તાનમાં આતંકવાદી ગતિવિધિઓમાં સતત તબક્કાવાર થયું. એક દિવસ પહેલા જ બલૂચ લિબરેશન આર્મીના અલગતાવાદ આતંકવાદીઓએ બલૂચિસ્તાનમાં એક હુમલો કર્યો. તેમાં એક દુરના જિલ્લામાં સરકારી કાર્યાલયો અને એક બેંકને નિશાન બનાવવામાં આવી. જો કે કોઇના હતાહત હોવાની માહિતી નથી. જો કે આ હુમલો સમગ્ર દેશમાં વિદ્રોહી અભિયાનોની વધતી તિવ્રતા દર્શાવે છે.
ટીટીપી અંગે પાકિસ્તાનનો આરોપ
પાકિસ્તાની અધિકારીઓનો આરોપ છે કે, ટીટીપી અને બલૂચ વિદ્રોહી અફઘાનિસ્તાનમાં શરણસ્થળો થી પોતાની ગતિવિધિઓ ચલાવે છે. કાબુલના આ આરોપનું ખંડન કર્યું છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા એક વૈશ્વિક આતંકવાદી સંગઠન નામિત ટીટીપીને હાલની ગણત્રીમાં અફઘાનિસ્તાનનો સૌથી મોટો આતંકવાદી જૂથ ગણાવાઇ રહ્યું છે, જેના હજારો લડાકુઓ આ વિસ્તારમાં સક્રિય છે.
આ પણ વાંચો : રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા 36 મામલતદારની બદલી, પંચાયત વિભાગ દ્વારા TDOની બદલી