Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Kailash Kolhi Murder Pakistan : માત્ર એક ઝૂંપડી માટે ગોળી મારી દીધી! પાકિસ્તાનમાં વધુ એક હિન્દુની હત્યા

પાકિસ્તાનના સિંધમાં એક કંપારી છૂટી જાય તેવી ઘટના બની છે, જ્યાં સત્તા અને સંપત્તિના નશામાં ચૂર એક જમીનદારે ગરીબ હિન્દુ મજૂર કૈલાશ કોલ્હીનું જીવન છીનવી લીધું. આ હત્યા પાછળનું કારણ એટલું ક્ષુલ્લક હતું કે જાણીને તમારું લોહી ઉકળી ઉઠશે. હાલમાં હજારો લોકો ન્યાયની મશાલ લઈને રસ્તા પર ઉતરી આવ્યા છે, જે સામંતશાહી વ્યવસ્થા સામે મોટા બળવાના સંકેત આપી રહ્યા છે.
kailash kolhi murder pakistan   માત્ર એક ઝૂંપડી માટે ગોળી મારી દીધી  પાકિસ્તાનમાં વધુ એક હિન્દુની હત્યા
Advertisement
  • પાકિસ્તાનના સિંધમાં જમીનદારે હિન્દુ મજૂરની કરી હત્યા
  • ખેતમાં ઝૂંપડી બનાવવાના વિવાદમાં ગોળીબાર
  • પ્રભાવશાળી સામંતે કૈલાશ કોલ્હીને મોતને ઘાટ ઉતાર્યો
  • બદિન જિલ્લામાં હજારો લોકોએ રસ્તા પર કરી ઉગ્ર પ્રદર્શનો
  • 'જય શ્રી રામ'ના નારા સાથે ન્યાયની માંગણી કરાઈ

Kailash Kolhi Murder Pakistan : પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે, જેણે માનવતાને ફરી એકવાર ઝકઝોરી દીધી છે. બદિન જિલ્લાના પીરુ લાશારી ગામમાં એક વગદાર સામંતશાહી જમીનદારે ગરીબ હિન્દુ ખેતમજૂર કૈલાશ કોલ્હીની ધોળે દિવસે કરપીણ હત્યા કરી નાખી છે. આ ઘટનાએ પાકિસ્તાનમાં લઘુમતીઓની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની નિષ્ફળતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. વર્ષોથી શોષણનો શિકાર બનતા હિન્દુ સમુદાય માટે આ ઘટના સહનશક્તિની બહાર સાબિત થઈ રહી છે.

Kailash Kolhi Murder Pakistan : માત્ર એક ઝૂંપડી માટે ખેલાયો લોહીનો ખેલ

આ આખી ઘટના પાછળનું કારણ જાણીને કોઈ પણ સ્તબ્ધ થઈ જશે. કૈલાશ કોલ્હી છેલ્લા ઘણા સમયથી જમીનદાર સરફરાઝ નિઝામણીના ખેતરમાં મજૂરી કરતો હતો. પોતાના પરિવારના રક્ષણ માટે તેણે ખેતરમાં એક કામચલાઉ નાની ઝૂંપડી બનાવી હતી. જોકે, આ નાનકડી ઝૂંપડી જમીનદાર નિઝામણીને પોતાની 'શાન' વિરુદ્ધ લાગી. ઝૂંપડી હટાવવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલી જોતજોતામાં હિંસામાં ફેરવાઈ ગઈ. આરોપ છે કે અહંકારી જમીનદારે જાહેરમાં બંદૂક કાઢી કૈલાશની છાતીમાં ગોળી મારી દીધી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

Advertisement

Advertisement

Kailash Kolhi Murder Pakistan : ન્યાય માટે રસ્તા પર ઉતર્યું માનવમહેરામણ

કૈલાશની હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા બદિન જિલ્લામાં ભારે રોષ જોવા મળ્યો હતો. હજારોની સંખ્યામાં હિન્દુ સમુદાયના લોકો અને માનવાધિકાર કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં 'જય શ્રી રામ' ના નારા ગુંજી ઉઠ્યા હતા, જે લઘુમતીઓના ભય સામેના પ્રતિકારનું પ્રતીક બન્યા હતા. પ્રદર્શનકારીઓએ સ્પષ્ટ કર્યું કે હવે તેઓ અત્યાચાર સામે ચૂપ નહીં રહે. આ આંદોલને પાકિસ્તાની સત્તાધીશોને હચમચાવી દીધા છે, કારણ કે લોકો હવે માત્ર કાગળ પર નહીં પણ જમીન પર ન્યાયની માંગ કરી રહ્યા છે.

'હારે' પ્રથા: આધુનિક ગુલામીનો જીવતો પુરાવો

સિંધના ગ્રામીણ વિસ્તારોમાં 'હારે' તરીકે ઓળખાતા ખેતમજૂરોની સ્થિતિ અત્યંત દયનીય છે. તેઓ સંપૂર્ણપણે જમીનદારો પર નિર્ભર હોય છે. ગરીબી, દેવું અને સામાજિક ભેદભાવ તેમને આધુનિક ગુલામીની જંજીરોમાં જકડી રાખે છે. કોલ્હી, ભેલ અને મેઘવાડ જેવા સમુદાયો દાયકાઓથી હિંસા, અપહરણ અને જબરન ધર્મ પરિવર્તન જેવી પીડાઓ સહન કરી રહ્યા છે. વગદાર સામંતો પોતાને કાયદાથી ઉપર માને છે, જેના કારણે પીડિતોને ન્યાય મળવો લગભગ અશક્ય બની જાય છે.

સરકારની આકરી કસોટી અને ન્યાયની આશા –

માનવાધિકાર સંગઠનોએ હવે આ મામલે આરોપીની તાત્કાલિક ધરપકડ અને એન્ટી-ટેરરિઝમ એક્ટ હેઠળ કેસ ચલાવવાની માંગ કરી છે. પીડિત પરિવાર માટે સુરક્ષા અને વળતરની પણ માંગણી કરવામાં આવી છે. આ કેસ હવે માત્ર એક વ્યક્તિની હત્યા પૂરતો મર્યાદિત નથી રહ્યો, પરંતુ પાકિસ્તાનમાં લઘુમતીઓની સુરક્ષા માટેની લિટમસ ટેસ્ટ બની ગયો છે. જો સરકાર કડક પગલાં નહીં ભરે, તો લઘુમતીઓનો ન્યાયતંત્ર પરથી વિશ્વાસ સંપૂર્ણપણે ઉઠી જશે.

આ પણ વાંચો : Iran Protests News : "પ્રદર્શનકારીઓ પર ગોળી ચલાવી તો અમેરિકા કરશે હુમલો"...ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી

Tags :
Advertisement

.

×