Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Pakistan Afghanistan Conflict : કુનાર પ્રાંતની યુનિવર્સિટી પર મિસાઈલ હુમલો, 7ના મોત અને 85 ઈજાગ્રસ્ત

Pakistan Afghanistan Conflict : અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ફરી એકવાર અત્યંત સ્ફોટક વળાંક પર પહોંચ્યા છે. મીડિયા રિપોર્ટસ અનુસાર સોમવારે પાકિસ્તાની સેનાએ ઉત્તર-પૂર્વીય અફઘાનિસ્તાનના કુનાર પ્રાંત (Kunar Province) પર ભયાનક મિસાઈલ અને મોર્ટાર હુમલો (Missile and Mortar Attack) કર્યો હતો.
pakistan afghanistan conflict   કુનાર પ્રાંતની યુનિવર્સિટી પર મિસાઈલ હુમલો  7ના મોત અને 85 ઈજાગ્રસ્ત
Advertisement
  • Pakistan Afghanistan Conflict :  કુનાર પ્રાંત પર પાકિસ્તાનનો ભયાનક મિસાઈલ હુમલો, 7ના મોત.
  • અસદાબાદમાં યુનિવર્સિટીને બનાવાઈ નિશાન; 30થી વધુ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો લોહીલુહાણ.
  • અફઘાનિસ્તાને હુમલાને 'યુદ્ધ અપરાધ' ગણાવ્યો, પાકિસ્તાને આરોપોને પાયાવિહોણા ગણાવ્યા.
  • ચીનની શાંતિ મંત્રણા નિષ્ફળ? સંઘર્ષના કારણે અત્યાર સુધી 94,000 લોકો વિસ્થાપિત.
  • બંને પડોશી દેશો વચ્ચે 'ખુલ્લા યુદ્ધ' જેવી સ્થિતિ, આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ચિંતા વધી.

Pakistan Afghanistan Conflict : અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ફરી એકવાર અત્યંત સ્ફોટક વળાંક પર પહોંચ્યા છે. મીડિયા રિપોર્ટસ અનુસાર સોમવારે પાકિસ્તાની સેનાએ ઉત્તર-પૂર્વીય અફઘાનિસ્તાનના કુનાર પ્રાંત (Kunar Province) પર ભયાનક મિસાઈલ અને મોર્ટાર હુમલો (Missile and Mortar Attack) કર્યો હતો. આ હુમલામાં 7 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે, જ્યારે મહિલાઓ અને બાળકો સહિત અંદાજે 85 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ પણ સામે આવ્યા છે.

શૈક્ષણિક સંસ્થાઓને બનાવ્યા નિશાન

અફઘાન સત્તાધીશોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સેનાએ કુનારની રાજધાની અસદાબાદમાં આવેલી સૈયદ જમાલુદ્દીન અફઘાન યુનિવર્સિટીને નિશાન બનાવી હતી. ઉલ્લેખનીય છે કે આ હુમલામાં 30 થી વધુ વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો ઈજાગ્રસ્ત થયા હતા. અફઘાનિસ્તાનના ઉચ્ચ શિક્ષણ મંત્રાલયે આ ઘટનાને 'યુદ્ધ અપરાધ' ગણાવી આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ નોંધાવ્યો છે.

Advertisement

પાકિસ્તાને હુમલાના આક્ષેપને ગણાવ્યા પાયાવિહોણા

બીજી તરફ, પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. પાકિસ્તાનનું કહેવું છે કે તેમની કાર્યવાહી માત્ર આતંકવાદી ઠેકાણાઓ પર અને ચોક્કસ ગુપ્ત માહિતી (Intelligence-based operation) ના આધારે હતી. ઈસ્લામાબાદે સ્પષ્ટ કર્યું છે કે તેમણે કોઈ યુનિવર્સિટી પર હુમલો કર્યો નથી. પાકિસ્તાન લાંબા સમયથી આરોપ લગાવી રહ્યું છે કે અફઘાનિસ્તાન તેની ધરતી પર TTP (Tehrik-i-Taliban Pakistan) ના આતંકીઓને આશ્રય આપી રહ્યું છે.

Advertisement

શાંતિ મંત્રણા પર જોખમના વાદળો

આશ્ચર્યજનક વાત એ છે કે આ હિંસા ત્યારે થઈ છે જ્યારે તાજેતરમાં જ ચીનના ઉરુમકી (Urumqi, China) માં બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણા થઈ હતી. ચીન, તુર્કી અને સાઉદી અરેબિયા જેવા દેશો મધ્યસ્થી કરી રહ્યા છે, પરંતુ સોમવારની આ ઘટનાએ શાંતિના પ્રયાસોને મોટો ફટકો માર્યો છે.

અત્યાર સુધી 94,000 થી વધુ લોકો થયા વિસ્થાપિત

યુએન (UN) ના અહેવાલ મુજબ, ફેબ્રુઆરીથી ચાલી રહેલા આ સરહદી સંઘર્ષને કારણે અત્યાર સુધીમાં 94,000 થી વધુ લોકો વિસ્થાપિત (Displaced) થયા છે. બંને દેશો વચ્ચેની આ સ્થિતિ હવે 'ખુલ્લા યુદ્ધ' (Open War) સમાન બની ગઈ છે, જે સમગ્ર દક્ષિણ એશિયાની સુરક્ષા માટે ચિંતાનો વિષય છે.

આ પણ વાંચો: શાંતિ મંત્રણાનો ફિયાસ્કો! ઈરાની વિદેશમંત્રી અમેરિકા સાથે વાતચીત કર્યા વિના પાકિસ્તાનથી પાછા ફર્યા

Tags :
Advertisement

.

×