ઈરાન યુદ્ધ વચ્ચે પાકિસ્તાનમાં હાહાકાર, પેટ્રોલ-ડીઝલ માટે નહીં, આ વસ્તુની કમીથી તડપશે દેશ
સીમાપારથી થતા આતંકવાદ સામે ભારતે હવે 'જળશસ્ત્ર' ઉગામ્યું છે, જેના કારણે પડોશી દેશમાં ફફડાટ વ્યાપ્યો છે. કુદરત અને કૂટનીતિ બંને એકસાથે જોર કરી રહ્યા હોય તેમ લાગે છે, કારણ કે એકતરફ આંતરરાષ્ટ્રીય સ્તરે કરાર પર પ્રશ્નો ઊભા થયા છે અને બીજી તરફ આકાશમાંથી વરસતી આફત પણ પાકિસ્તાનની કસોટી કરી રહી છે. શું તરસ્યું પાકિસ્તાન આ ગંભીર ભીંસમાંથી ઉગરી શકશે?
Advertisement
- Pakistan પર મંડરાતું જળ સંકટ, ભારતનો કડક નિર્ણય!
- આતંકવાદ સામે ભારતનું કડક વલણ, સિંધુ જળ કરાર રદ કરવા સંકેત
- પાકિસ્તાનની જીવનરેખા ગણાતી સિંધુ નદીનું પાણી રોકાવાની ભીતિ
- અલ-નીનોની અસરથી વરસાદમાં ઘટાડો, પાક.માં દુષ્કાળ જેવી સ્થિતિ
- ખેતી અને પીવાના પાણી માટે પાકિસ્તાનમાં સર્જાઈ શકે છે મોટું સંકટ
- ભારત પાસે સરપ્લસ પાણી રહેવાની શક્યતા, ખેતીમાં થશે મોટો ફાયદો
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પ્રત્યેની પોતાની વ્યૂહરચનામાં મોટો અને નિર્ણાયક ફેરફાર કર્યો છે. દાયકાઓ જૂના સિંધુ જળ કરાર (Indus Water Treaty) ને ઠંડે બસ્તે નાખવાના ભારતના સંકેતોએ પાકિસ્તાનની ઊંઘ હરામ કરી દીધી છે. સિંધુ નદી તંત્ર (Indus River System) પાકિસ્તાન માટે જીવનરેખા સમાન છે, અને જો આ પાણીના પ્રવાહમાં સહેજ પણ ફેરફાર થાય તો તેની સીધી અસર પાડોશી દેશના અર્થતંત્ર અને અસ્તિત્વ પર પડી શકે છે.

