Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આતંક મુદ્દે પાકિસ્તાની રક્ષામંત્રી ખ્વાજા આસિફની બેશર્મીથી કબૂલાત

Pakistan Backing Terror Groups : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા પર જ્યારે ભારતીઓ ગુસ્સામાં છે ત્યારે પાકિસ્તાન તરફથી ઘણા એવા નિવેદનો સામે આવી રહ્યા છે જે આગમાં ઘી નાખવાનું કામ કરી રહ્યા છે.
આતંક મુદ્દે પાકિસ્તાની રક્ષામંત્રી ખ્વાજા આસિફની બેશર્મીથી કબૂલાત
Advertisement
  • આતંક મુદ્દે પાકિસ્તાની રક્ષામંત્રીની બેશર્મીથી કબૂલાત
  • રક્ષામંત્રી ખ્વાજા આસિફે નફ્ફટાઈથી કર્યો સ્વીકાર
  • લશ્કર એ તૈયબા સાથે કેટલીક લિંક મળી છેઃ ખ્વાજા
  • 30 વર્ષથી આ ગંદુ કામ પાકિસ્તાન કરતું આવ્યું છેઃ ખ્વાજા
  • LeT હવે મૂળ સંગઠન નથી ઓફશૂટ છેઃ ખ્વાજા આસિફ
  • બ્રિટિશ મીડિયા સાથે વાતચીતમાં પાકિસ્તાને સ્વીકાર્યું

Pakistan Backing Terror Groups : જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા પર જ્યારે ભારતીઓ ગુસ્સામાં છે ત્યારે પાકિસ્તાન તરફથી ઘણા એવા નિવેદનો સામે આવી રહ્યા છે જે આગમાં ઘી નાખવાનું કામ કરી રહ્યા છે. તાજેતરમાં પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે આતંક મુદ્દે નફ્ફટાઇથી સ્વીકાર કર્યો છે.

પાકિસ્તાનના રક્ષામંત્રીએ આતંક મુદ્દે નફ્ફટાઇથી કર્યો સ્વીકાર

આતંકવાદને સમર્થન આપવાના આરોપોનો સામનો કરી રહેલા પાકિસ્તાનની મુશ્કેલીઓ વધુ વધવાની છે. તાજેતરમાં, એક ઇન્ટરવ્યુ દરમિયાન, પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે આતંકવાદીઓને આશ્રય આપવાની વાત સ્વીકારી હતી. ખાસ વાત એ છે કે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પડોશી દેશ ભારતના રડાર પર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક ઇન્ટરવ્યુ દરમિયાન આસિફને પૂછવામાં આવ્યું હતું કે, 'શું તમે માનો છો કે પાકિસ્તાનનો આ આતંકવાદી સંગઠનોને ભંડોળ અને તાલીમ આપવાનો લાંબો ઇતિહાસ છે?' આ અંગે પાકિસ્તાનના રક્ષામંત્રીએ કહ્યું, 'અમે 3 દાયકાથી અમેરિકા અને બ્રિટન સહિત પશ્ચિમ માટે આ ગંદુ કામ કરી રહ્યા છીએ.' ...તે એક ભૂલ હતી અને અમે તેના કારણે પીડાઈ રહ્યા છીએ….'

Advertisement

Advertisement

આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે કડક પગલાં લીધાં

પાકિસ્તાન લાંબા સમયથી આતંકવાદી સંગઠનોને આશ્રય આપતું રહ્યું છે, જેનો સંકેત તેના રક્ષામંત્રી ખ્વાજા આસિફના નિવેદનમાંથી મળે છે. તેમણે જણાવ્યું કે જો પાકિસ્તાન સોવિયેત યુનિયન વિરુદ્ધના યુદ્ધ અને 9/11 પછીના સંઘર્ષોમાં સામેલ ન થયું હોત, તો તેનો ઇતિહાસ નિષ્કલંક હોત. ANIના અહેવાલ અનુસાર, આ નિવેદન પાકિસ્તાનની આતંકવાદી જૂથો સાથેની સંડોવણીને સ્પષ્ટ કરે છે, જે દાયકાઓથી ચાલી આવે છે. બીજી તરફ, પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે કડક પગલાં લીધાં છે. ભારતે 1960ની સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી છે, જે એક મહત્વપૂર્ણ નિર્ણય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને ભરોસો આપ્યો છે કે આ હુમલાના ગુનેગારો અને તેના કાવતરાખોરોને અત્યંત કઠોર સજા ફટકારવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આતંકવાદના બચેલા ગઢોને નષ્ટ કરવાનો સમય આવી ગયો છે, અને 140 કરોડ ભારતીયોની અડગ ઇચ્છાશક્તિ આતંકવાદીઓનો સંપૂર્ણ નાશ કરશે.

આ પણ વાંચો :  Pahalgam Terror Attack : પાકિસ્તાનના રક્ષા મંત્રીનું વિવાદિત નિવેદન, કહ્યું - પહેલગામ હુમલા પાછળ ભારતના જ લોકો

Tags :
Advertisement

.

×