Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

PM Modi Knesset Speech Israel: આતંકવાદ પર કોઈ ડબલ સ્ટાન્ડર્ડ નહીં ચાલે: પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલની સંસદ ક્નેસેટમાં આપેલું ભાષણ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યું છે. આતંકવાદ પ્રત્યે ભારતની કડક નીતિથી લઈને ઈઝરાયેલ સાથેના અતૂટ સંબંધો સુધી, વડાપ્રધાને દરેક મહત્વના મુદ્દે ભારતીય દૃષ્ટિકોણ સ્પષ્ટ કર્યો છે. 7 ઓક્ટોબરના હુમલા બાદ ભારતનું ઈઝરાયેલને સમર્થન અને ભવિષ્યની આર્થિક ભાગીદારીના નવા સમીકરણો આ ભાષણમાં સમાયેલા છે, જે ભારત-ઈઝરાયેલ મિત્રતાને નવી દિશા આપશે.
pm modi knesset speech israel  આતંકવાદ પર કોઈ ડબલ સ્ટાન્ડર્ડ નહીં ચાલે  પીએમ મોદી
Advertisement
  • ઈઝરાયેલી સંસદમાં મોદી-મોદીના નારા, આતંકવાદ પર પીએમની કડક ગર્જના!
  • ક્નેસેટમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત, નેતન્યાહુએ કહ્યા 'ગ્રેટ ફ્રેન્ડ'
  • આતંકવાદ સામે કોઈ બાંધછોડ નહીં, ભારતની 'ઝીરો ટોલરન્સ' નીતિ સ્પષ્ટ
  • 7 ઓક્ટોબરના હુમલા પર પીએમ મોદીએ વ્યક્ત કરી સંવેદના, ઈઝરાયેલને આપ્યો સાથ
  • ગાઝા પીસ ઈનિશિયેટિવનું સમર્થન, શાંતિ અને સ્થિરતા માટે ભારત કટિબદ્ધ

PM Modi Knesset Speech Israel : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ (Narendra Modi) આજે ઈઝરાયેલની સંસદ 'ક્નેસેટ' (Knesset) ને સંબોધિત કરીને ઈતિહાસ રચી દીધો છે. જ્યારે પીએમ મોદી સંસદમાં પ્રવેશ્યા ત્યારે આખું સદન 'મોદી, મોદી' ના નારા અને તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ (Benjamin Netanyahu) પીએમ મોદીને એક 'મહાન નેતા' અને ઈઝરાયેલના 'પરમ મિત્ર' ગણાવીને તેમનું હાર્દિક સ્વાગત કર્યું હતું.

Advertisement

PM Modi Knesset Speech Israel : ભારત ઈઝરાયેલની સાથે

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ 7 ઓક્ટોબરના આતંકવાદી હુમલાને યાદ કરતા કહ્યું કે, ભારત ઈઝરાયેલનો દર્દ સમજે છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, "ભારતની આતંકવાદ સામે 'ઝીરો ટોલરન્સ' (Zero Tolerance) ની નીતિ છે. આતંકવાદને કોઈપણ કારણસર યોગ્ય ઠેરવી શકાય નહીં અને આ બાબતે દુનિયામાં કોઈ 'ડબલ સ્ટાન્ડર્ડ' (Double Standards) ન હોવા જોઈએ." વડાપ્રધાને ખાતરી આપી હતી કે ભારત આ મુશ્કેલ સમયમાં ઈઝરાયેલની સાથે મજબૂતીથી ઉભું છે.

Advertisement

શાંતિ અને મિત્રતાનો સંદેશ

પીએમ મોદીએ 140 કરોડ ભારતીયો તરફથી મિત્રતા અને ભાગીદારીનો સંદેશ આપતા જણાવ્યું કે, ભારત ગાઝા પીસ ઈનિશિયેટિવનું (Gaza Peace Initiative) સમર્થન કરે છે. તેમણે ઉમેર્યું કે શાંતિનો માર્ગ સરળ નથી હોતો, પરંતુ ભારત આ પ્રદેશમાં સ્થિરતા માટે વાતચીતના પક્ષમાં છે. આ ઉપરાંત, વડાપ્રધાને ભારતમાં વસતા યહૂદી સમુદાયના (Jewish Community) વખાણ કરતા કહ્યું કે તેઓ સદીઓથી ભારતમાં કોઈપણ ભેદભાવ વગર રહે છે અને ભારતીય સમાજનું અભિન્ન અંગ છે.

ભારત બનશે ટોપ-3 ઈકોનોમી

વૈશ્વિક મંચ પર ભારતની વધતી શક્તિનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, ભારત હાલમાં વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા (Economy) છે અને ટૂંક સમયમાં જ ભારત વિશ્વની ટોપ-3 અર્થવ્યવસ્થાઓમાં સ્થાન મેળવશે. આ સંબોધને ભારત અને ઈઝરાયેલ વચ્ચેના સંરક્ષણ, વ્યાપાર અને વ્યૂહાત્મક સંબંધોને એક નવી ઊંચાઈ આપી છે.

આ પણ વાંચો : Trump and India: પૃથ્વીને 'ટ્રમ્પલેન્ડ' સમજતા Trump, 2029 સુધી India ન આવે તો સારું!

Tags :
Advertisement

.

×