PoK Protests India Help : પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના કાશ્મીર (PoK) માં પરિસ્થિતિ હવે સંપૂર્ણપણે કાબૂ બહાર ગઈ છે અને ગૃહયુદ્ધ જેવો માહોલ સર્જાયો છે. અહેવાલો અનુસાર, ઇસ્લામાબાદ વહીવટીતંત્રના અત્યાચારો અને સામૂહિક ધરપકડોથી કંટાળીને સ્થાનિક કાશ્મીરી નેતાઓએ સીઝફાયર લાઇન (LoC) તોડીને ભારતીય જમ્મુ-કાશ્મીરના લોકો પાસે સીધી સૈન્ય અને માનવતાવાદી મદદ માંગી છે.
પાકિસ્તાનના ગેરકાયદે કબ્જા હેઠળના કાશ્મીરમાં સૈન્ય સામે જનવિદ્રોહ
પાકિસ્તાન પ્રેરિત આર્થિક પતન અને વહીવટી ક્રૂરતાનો ભોગ બનેલા પીઓકે (પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર) ના નાગરિકો હવે આરપારના મૂડમાં આવી ગયા છે (PoK Protests India Help). ઇસ્લામાબાદની સરકારે તાજેતરમાં 600 થી વધુ સામાજિક અને માનવાધિકાર કાર્યકરોની ગેરકાયદેસર રીતે સામૂહિક ધરપકડ કરી લીધી છે, જેના કારણે સમગ્ર ક્ષેત્રમાં ભયાનક જનવિદ્રોહ ફાટી નીકળ્યો છે (Pakistan Army PoK Arrests). પ્રાદેશિક હકો માટે લડી રહેલી સંસ્થા 'જોઇન્ટ અવામી એક્શન કમિટી' (JAAC) એ હવે પાકિસ્તાન સામે ખુલ્લો મોરચો ખોલ્યો છે.
આ આંદોલનનું નેતૃત્વ કરી રહેલા વરિષ્ઠ નેતાઓએ હવે પાકિસ્તાનની આશા છોડીને ઐતિહાસિક રીતે ભારત તરફ પોતાના હાથ લંબાવ્યા છે. પીઓકેના ઇતિહાસમાં આ એક બહુ મોટી ભૌગોલિક-રાજકીય ઘટના માનવામાં આવી રહી છે, કારણ કે ત્યાંના સ્થાનિક મંચ પરથી ભારતીય નાગરિકો અને સૈન્ય પ્રશાસનને સીધી હાકલ કરવામાં આવી છે.
'સરહદ પારના ભાઈઓ આગળ આવે' – સરદાર અમન ખાનનો વિડીયો વાયરલ
વર્તમાન સમયમાં ડિજિટલ મીડિયા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર જમ્મુ-કાશ્મીર જેએએસી (JAAC) ના મુખ્ય સભ્ય સરદાર અમન ખાનનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે (Sardar Aman Khan Video). આ વિડીયોમાં તેઓ પાકિસ્તાની હુકૂમતના સિતમ અને પીઓકેમાં લોટ, અનાજ, વીજળી અને રાશનની ભારે અછતનો ઉલ્લેખ કરતા રડમસ અવાજે જોવા મળે છે. હજારો લોકોની મેદની સમક્ષ ગર્જના કરતા સરદાર અમન ખાને ભારતીય ક્ષેત્રના વિસ્તારોનું નામ લઈને અપીલ કરી હતી.
તેમણે કહ્યું, "હું સીધા સરહદ પાર રહેલા મેંઢર, પૂંચ, રાજૌરી અને ડોડાના કાશ્મીરી ભાઈઓને અપીલ કરું છું. પાકિસ્તાને અમારું અનાજ અને દવાઓ રોકી દીધી છે. અમારા બાળકો ભૂખે મરી રહ્યા છે. અમને અત્યારે તમારી સહાયતાની સખત જરૂર છે, કૃપા કરીને અમારી રક્ષા માટે આગળ આવો." આ નિવેદન દર્શાવે છે કે પીઓકેમાં માનવીય કટોકટી કેટલી ઘેરી બની ચૂકી છે (Joint Awami Action Committee).
સીઝફાયર લાઈન (LoC) ને તોડીને ભારત તરફ કૂચ કરવાની તૈયારી
પાકિસ્તાનના ગુલામીના સકંજામાંથી આઝાદ થવાની ઉત્કંઠા વ્યક્ત કરતા જેએએસીના નેતાઓએ બંને દેશો વચ્ચેની વર્તમાન સીઝફાયર લાઇન એટલે કે લાઇન ઓફ કંટ્રોલ (LoC) ને જ કાયમ માટે નાબૂદ કરવાની મોટી જાહેરાત કરી દીધી છે (Line of Control Unrest). સરદાર અમન ખાને બોર્ડરના તે પાર રહેતા જમ્મુ-કાશ્મીરના નાગરિકોને સંદેશ આપ્યો કે તેઓ આ કૃત્રિમ સરહદો તોડી પાડવા માંગે છે અને તે માટે તેમને ભારતીય ભાઈઓનો સાથ જોઈએ છે.
તેમણે સભામાં હાજર હજારો પ્રદર્શનકારીઓને પૂછ્યું, "શું આપણે સીઝફાયર લાઇન (LoC) તરફ આગળ વધવું જોઈએ કે નહીં? મોટેથી બોલો, શું આપણે બોર્ડર તોડી નાખીએ?" આ સવાલ સાંભળતા જ ત્યાં ઉપસ્થિત જનમેદનીએ એક સુરે આકાશ ગજવતા નારા લગાવ્યા હતા અને ભારત તરફ કૂચ કરવાની તૈયારી દર્શાવી હતી.
એક મહિનાથી પ્રશાસનિક દમન, અગ્રણી નેતાઓ નજરકેદ થતાં પરિસ્થિતિ બેકાબૂ
પીઓકેમાં છેલ્લા એક મહિનાથી વધુ સમયથી શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા હતા, પરંતુ પાકિસ્તાની પોલીસ અને રેન્જર્સે સામાન્ય નાગરિકો પર અંધાધૂંધ લાઠીચાર્જ, ટીયર ગેસ અને હિંસક બળપ્રયોગ શરૂ કર્યો છે. આ આંદોલનનો સૌથી મોટો ચહેરો ગણાતા શોકત નવાઝ મીરને પ્રશાસન દ્વારા નજરકેદ કરવામાં આવ્યા છે, જેના કારણે જનતાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે (Shaukat Nawaz Mir Detained).
અમન ખાને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે તેઓ હવે ઇસ્લામાબાદના શાસકોના ઇશારે ચાલવાના નથી. જો પાકિસ્તાન આર્મી દ્વારા વધુ બર્બરતા બતાવવામાં આવશે, તો પીઓકેના નાગરિકો પણ ઈંટનો જવાબ પથ્થરથી આપશે. તેમણે શ્રીનગર, બારામુલ્લા, પૂંચ, જમ્મુ, લદ્દાખ અને ગિલગિટ-બાલ્ટિસ્તાન સહિતના સમગ્ર ક્ષેત્રના લોકોને આ તાનાશાહી વિરુદ્ધ એક થઈને અખંડ જમ્મુ-કાશ્મીરની ભાવનાને મજબૂત કરવા આહવાન કર્યું છે.
આ પણ વાંચો : Iran Threatens Donald Trump : ટ્રમ્પ વિરોધી પોસ્ટરોનું પૂર, ખામેનેઈના જનાઝામાં અમેરિકા વિરુદ્ધ ઈરાન રોડ પર ઉતર્યું