Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

US Iran Ceasefire: પાકિસ્તાનના PM શાહબાઝ શરીફની Nobel Peace Prize ને લઈ લાળ ટપકશે!

Pakistan Nobel Peace Prize: અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધવિરામમાં પાકિસ્તાનની મધ્યસ્થીની ચર્ચાએ જોર પકડ્યું છે. ઈટાલીના પૂર્વ વડાપ્રધાને શાહબાઝ શરીફને નોબલ શાંતિ પુરસ્કાર માટે લાયક ગણાવ્યા છે. જોકે, ભારત અને વિશ્વમાં આતંકવાદ ફેલાવનારા પાકિસ્તાનને 'શાંતિદૂત' તરીકે સ્થાપિત કરવાના પ્રયાસો સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે તેનો આતંકવાદી ઈતિહાસ છે.
us iran ceasefire  પાકિસ્તાનના pm શાહબાઝ શરીફની nobel peace prize ને લઈ લાળ ટપકશે
Advertisement

. અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ બાદ શાહબાઝ શરીફ અને આસિમ મુનીરનું નામ નોબલ શાંતિ પુરસ્કાર માટે ચર્ચાઈ રહ્યું છે!
. ઈટાલીના પૂર્વ પીએમ પાઓલો ગેનટિલોનીએ સોશિયલ મીડિયા પર પાકિસ્તાનને આ પુરસ્કાર માટે યોગ્ય ઉમેદવાર ગણાવ્યું
. કાશ્મીરમાં હજારો નિર્દોષોના જીવ લેનાર અને લાદેન જેવા આતંકીઓને આશરો આપનાર દેશ શાંતિદૂત કેવી રીતે હોઈ શકે?

આનંદ શુક્લ : અમેરિકા (US) અને ઈરાન (Iran) વચ્ચે બે સપ્તાહનો યુદ્ધવિરામ થઈ ગયો છે. જો કે ઈઝરાયલ (Israel) ના લેબનાન (Lebanon) પર અને ઈરાનના કુવૈત-યુએઈ (Kuwait - UAE) પર હુમલા તથા ઈરાનની ઓઈલ રિફાઈનરી પરના એટેક આ યુદ્ધવિરામની સંભાવનાઓને લઈને આશંકા ઉપજાવનારા છે.

Advertisement

પરંતુ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ઘોષણા કરી છે કે આ વિશ્વશાંતિ માટે મોટો દિવસ છે. અમેરિકા અને ઈરાન બંનેએ આની પાછળની પાકિસ્તાનની કોશિશોની પ્રશંસા કરી છે.

Advertisement

આનો સીધો અર્થ છે કે ભારત (India) અને વિશ્વમાં ઈસ્લામિક આતંકવાદ (Islamic Terrorism) ના સૌથી મોટા એક્સપોર્ટર અને આતંકની ફેક્ટ્રી તરીકે પ્રસ્થાપિત પાકિસ્તાનને તેની છબી દુનિયામાં શાંતિદૂત (Shantidoot) તરીકે આગળ વધારવાની તક મળી ચુકી છે.

આ પણ વાંચો : "આજે રાત્રે એક સભ્યતા ખતમ થઈ જશે", ટ્રમ્પની ધમકીમાં Iran પર Nuclear Attack નો સંકેત?

Shehbaz ના મનમાં તો "લડ્ડુ ફૂટા" જેવી સ્થિતિ હશે

પાકિસ્તાને ચીન અને તુર્કી, સાઉદી અરેબિયા, ઈજીપ્ત અને કતર (China and turkey, Saudi arebia, Egypt, Qatar) પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરતા યુદ્ધવિરામનો શ્રેય આ પાકિસ્તાન (Pakistan) ના આ ભાઈ જેવા દેશોને આપ્યો છે.

હવે ટ્રમ્પે યુદ્ધવિરામ (Ceasefire) પહેલા ઈરાનની સભ્યતાને ફરીથી આવી ન શકે તેવી રીતે નષ્ટ કરવાની ધમકી આપી હતી. તેને કારણે વિશ્વમાં ઈરાન પર ક્યાંક પરમાણુ હુમલો તો નહીં થાય ને, તેને લઈને ચિંતા શરૂ થઈ હતી. જો કે વ્હાઈટ હાઉસે પરમાણુ હુમલા સંબંધિત ચિંતાઓને રદિયો આપતું નિવેદન કર્યું હતું. પણ તેમ છતાં આશંકા તો બનેલી જ હતી.

હવે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ટ્વિટ કરીને જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા કરી, તેની સાથે તેઓ પોતાને હવે નિશ્ચિતપણે શાંતિદૂત માનવા લાગ્યા છે.

આ પણ વાંચો : Ceasefire થોડા કલાકો પણ ન ટક્યો? UAE-કુવૈત પર મિસાઈલ-ડ્રોન એટેક, Iranમાં બ્લાસ્ટ

Nobel Peace Prize ને લઈને શાહબાઝની લાળ ટપકશે

ઈટાલીના ભૂતપૂર્વ વડાપ્રધાન પાઓલો ગેનટિલોની (Paolo Gentiloni) એ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને નોબલ શાંતિ પુરસ્કાર (Nobel Peace Prize) માટે યોગ્ય ઉમેદવાર ગણાવ્યા છે. આમ તો વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોના તેમના પત્ની સાથે અમેરિકા ઉઠાવી જવાની કાર્યવાહી પહેલા આઠ-આઠ યુદ્ધો રોકાવ્યાની વાત કરનારા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નોબલ પીસ પ્રાઈઝ માટે દબાણની હદો પાર કરીને પોતાની માગણી કરી હતી. પણ તેમની આવી આકાંક્ષા ત્યારે પુરી થઈ ન હતી. પણ અમેરિકાના પપેટ બની ચુકેલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ (Shehbaz Sharif) અને પાકિસ્તાની સેનાધ્યક્ષ ફીલ્ડ માર્શલ આસિમ મુનિર (Asim Munir) ના નામની નોબલ પીસ પ્રાઈઝના નોમિનેશનને લઈને ચર્ચા થઈ શકે છે.

ઈટાલીના ભૂતપૂર્વ વડાપ્રધાને એક્સ પર કરેલી પોસ્ટમાં પાકિસ્તાનને નોબલ પીસ પ્રાઈઝ (Nobel Peace Prize) માટે યોગ્ય ગણાવી દીધું છે. પાકિસ્તાનના મીડિયામાં પણ આની ચર્ચાઓ થઈ રહી છે.

Osama Bin Laden ને પાળનાર પાકિસ્તાન શાંતિદૂત!

પણ સવાલ એ છે કે શું પાકિસ્તાન કે તેનો કોઈ નેતા નોબલ પીસ પ્રાઈઝ માટે લાયક છે? ભારતમાં પાકિસ્તાન પ્રેરીત, પોષિત અને પ્રાયોજિત આતંકવાદને કારણે જમ્મુ-કાશ્મીરમાં 60 હજારથી વધુ લોકોના જીવ ગયા છે. પાકિસ્તાને ભારતમાં ખાસ કરીને જમ્મુ-કાશ્મીરમાં મજહબી આતંકવાદી હિંસા કરી અને કરાવી છે. વિશ્વના ઘણાં બધાં આતંકી હુમલાઓમાં પગેરું પાકસ્તાન સુધી પહોંચ્યું છે. સૌથી મોટી વાત જે આતંકી સંગઠન અલકાયદા (Al Queda) એ 9/11નો હુમલો અમેરિકામાં કરાવ્યો હતો, તે ઓસામા બિન લાદેનને પાકિસ્તાની મિલિટ્રી એકેડમી નજીક એબટાબાદમાં અમેરિકાના કમાન્ડો ઓપરેશનમાં ઠાર મારવામાં આવ્યો હતો.

હવે આ પાકિસ્તાન ઈરાન યુદ્ધમાં અસ્થાયી યુદ્ધવિરામને કારણે વિશ્વમાં શાંતિદૂત તરીકે સ્થાપિત થાય, તો વૈશ્વિક અશાંતિના નવા અધ્યાયની પ્રાણપ્રતિષ્ઠા જ હશે.

આ પણ વાંચો : US Iran Ceasefire : War Is Not Over, ઈરાન યુદ્ધવિરામ પર રશિયાએ અમેરિકાને ખખડાવ્યું !

Tags :
Advertisement

.

×