Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

ભ્રષ્ટાચાર મામલે ઢાકા કોર્ટે પૂર્વ PM શેખ હસીનાને ફટકારી 10 વર્ષની જેલની સજા!

બાંગ્લાદેશના રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે, જ્યાં પૂર્વ સત્તાધીશ શેખ હસીના અને તેમના અંગત પરિવારજનો સામે કોર્ટે લાલ આંખ કરી છે. કરોડોના સરકારી પ્લોટની ફાળવણીમાં થયેલા ખેલમાં બ્રિટિશ સાંસદ અને ભૂતપૂર્વ મંત્રી સુધી તપાસના તાર લંબાયા છે. જ્યારે શેખ હસીના ભારતમાં છે, ત્યારે ઢાકા કોર્ટના આ આકરા ચુકાદાથી દક્ષિણ એશિયાના રાજદ્વારી સંબંધોમાં કેવા પલટા આવશે તે ચર્ચાનો વિષય બન્યો છે.
ભ્રષ્ટાચાર મામલે ઢાકા કોર્ટે પૂર્વ pm શેખ હસીનાને ફટકારી 10 વર્ષની જેલની સજા
Advertisement
  • પૂર્વાચલ પ્લોટ ફાળવણી કૌભાંડમાં ઢાકા કોર્ટનો મોટો ફેંસલો (Sheikh Hasina Corruption Case)
  • શેખ હસીનાના પુત્ર અને ભત્રીજી ટ્યૂલિપ સિદ્દીકને પણ જેલની સજા
  • ભ્રષ્ટાચારના બે અલગ અલગ કેસમાં 5-5 વર્ષની સજા ફટકારાઈ
  • શેખ હસીના હાલ ભારતમાં હોવાથી પ્રત્યાર્પણની માંગ પ્રબળ બની

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના (Sheikh Hasina) ની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ભ્રષ્ટાચારના બે અલગ અલગ કેસોમાં ઢાકાની કોર્ટે તેમને પાંચ-પાંચ વર્ષની જેલની સજા ફટકારી છે. આ મામલો માત્ર પૂર્વ વડાપ્રધાન પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમના પરિવારના સભ્યો સુધી પણ પહોંચ્યો છે.

Advertisement

Advertisement

Sheikh Hasina Corruption Case :  ભ્રષ્ટાચારના કેસમાં ફટકારાઈ જેલની સજા

ઢાકાની સ્પેશિયલ જજ કોર્ટ-4 (Dhaka Special Judge Court-4) ના ન્યાયાધીશ રોબીઉલ આલમે (Rabiul Alam) આજે આ મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે. આ કેસ બાંગ્લાદેશની રાજધાનીમાં આવેલા પૂર્વાચલ ન્યૂ ટાઉન (Purbachal New Town) પ્રોજેક્ટમાં પ્લોટ ફાળવણીમાં થયેલી ગેરરીતિ સાથે સંબંધિત છે. આ પ્રોજેક્ટ હેઠળ ફાળવવામાં આવેલા 20 કાઠા પ્લોટના મામલામાં કોર્ટે શેખ હસીનાને દોષિત ઠેરવીને સજા સંભળાવી છે.

પરિવારના સભ્યોને પણ થઈ જેલ

આ કેસમાં શેખ હસીનાની બહેન શેખ રેહાના (Sheikh Rehana) ની પુત્રી અને બ્રિટિશ સાંસદ ટ્યૂલિપ સિદ્દીક (Tulip Siddiq) ને પણ સજા ફટકારવામાં આવી છે. ટ્યૂલિપ સિદ્દીકને દરેક કેસમાં બે વર્ષની લેખે કુલ ચાર વર્ષની જેલની સજા થઈ છે. આ ઉપરાંત આઝમીના સિદ્દીકી એક કેસમાં 7 વર્ષની જેલની સજા અને રદવાન મુજીબુર સિદ્દીક શેખ હસીનાના પુત્રને પણ 7 વર્ષની જેલની સજા ફટકારાઈ છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રત્યાર્પણનો મુદ્દો

ઉલ્લેખનીય છે કે શેખ હસીના હાલમાં ભારતમાં (India) આશરો લઈ રહ્યા છે. બાંગ્લાદેશની વર્તમાન સરકાર સતત ભારત પાસેથી શેખ હસીનાના પ્રત્યાર્પણની (Extradition) માંગ કરી રહી છે જેથી તેમની સામે ચાલતા ફોજદારી અને ભ્રષ્ટાચારના કેસોમાં કાયદેસરની કાર્યવાહી કરી શકાય. અગાઉ આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલે પણ તેમને મૃત્યુદંડની સજા સંભળાવી હતી.

આ પણ વાંચો :  Baloch મહિલા ફિદાઈનનું Pakistan પર સસ્મિત ફાયરિંગ, મરતા પહેલા આપ્યો આઝાદીવાળો મેસેજ-VIDEO

Tags :
Advertisement

.

×