ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Earthquake : નેપાળ-તિબેટની સીમા પર આવ્યો ભયાનક ભૂકંપ, તીવ્રતા 7.1 નોંધાઈ

નેપાળ-તિબેટની સરહદે શક્તિશાળી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 7.1ની તીવ્રતાના ભૂકંપના કારણે મોટાપાયે નુકસાનના અહેવાલ સામે આવી રહ્યાં છે. શિજાંગમાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા હોવાની સંભાવના છે.
10:30 AM Jan 07, 2025 IST | Hardik Shah
નેપાળ-તિબેટની સરહદે શક્તિશાળી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 7.1ની તીવ્રતાના ભૂકંપના કારણે મોટાપાયે નુકસાનના અહેવાલ સામે આવી રહ્યાં છે. શિજાંગમાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા હોવાની સંભાવના છે.
Earthquake in Nepal Tibat Border

Earthquake : નેપાળ-તિબેટની સરહદે શક્તિશાળી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 7.1ની તીવ્રતાના ભૂકંપના કારણે મોટાપાયે નુકસાનના અહેવાલ સામે આવી રહ્યાં છે. શિજાંગમાં ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. ભૂકંપની અસર નેપાળ અને ઉત્તર ભારતના બિહાર, સિક્કિમ, પશ્ચિમ બંગાળમાં પણ થઈ હતી. શિગાત્સે શહેર અને આસપાસના કુઓગુઓ, ચાંગસુઓ અને ક્યુલુઓ ટાઉનશીપમાં મોટાપાયે મકાનો ધરાશાયી થયા છે. રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ વિસ્તારમાં છેલ્લા 5 વર્ષમાં 200 કિલોમીટરની ત્રિજ્યાનો આ શક્તિશાળી ભૂકંપ અનુભવાયો છે.

ભૂકંપા ઝટકાથી થથરી ગયું નેપાળ-તિબેટ

મંગળવારે વહેલી સવારે તિબેટ અને નેપાળમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. બંને દેશોની સરહદે આવેલા વિસ્તારોમાં સવારે 6.35 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.1 માપવામાં આવી હતી. મળી રહેલી માહિતી અનુસાર, તિબેટમાં ભૂકંપના કારણે ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે. વળી, ભારતના ઘણા રાજ્યોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બિહાર આનાથી સૌથી વધુ પ્રભાવિત થયું છે. આ સિવાય આસામ, સિક્કિમ અને પશ્ચિમ બંગાળના ભાગોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ દરમિયાન ભયભીત લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. યુએસજીએસ સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર લોબુચેથી 93 કિમી ઉત્તરપૂર્વમાં હતું. હાલમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી. જો કે, સાતથી ઉપરની તીવ્રતાના ભૂકંપ ખતરનાક શ્રેણીમાં આવે છે.

લોકો ઘર છોડીને ખુલ્લી જગ્યાઓ તરફ દોડ્યાં

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે, મંગળવારે સવારે તિબેટ ક્ષેત્રના જીજાંગમાં ભૂકંપ આવ્યો હતો. અહીં સવારે 6:30 વાગ્યે 10 કિમીની ઊંડાઈએ 7.1ની તીવ્રતા સાથે ભૂકંપ આવ્યો હતો. આ પછી 7:02 વાગ્યે 4.7ની તીવ્રતાનો, 07:07 વાગ્યે 4.9ની તીવ્રતાનો અને 7:13 વાગ્યે 5 ની તીવ્રતાનો ધરતીકંપ આવ્યો હતો. જેના કારણે લોકો ઘર છોડીને ખુલ્લી જગ્યાઓ તરફ જતા રહ્યા હતા. જો કે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી.

આ પણ વાંચો:  Earthquake : Delhi-Bihar ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઊઠ્યા, રિક્ટર સ્કેલ પર 7.1 ની તીવ્રતા નોંધાઈ

Tags :
Delhi EarthquakeDelhi-NCRearthquakeEarthquake BiharEarthquake in Delhi-NCREarthquake in NepalEarthquake in SiliguriEarthquake in West BengalEarthquake JalpaiguriEarthquake PatnaGujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahNepal News
Next Article