ભારતની જેલમાં બંધ ઉમર ખાલિદને ન્યૂયોર્કના મેયરે પત્ર લખ્યો, જાણો પત્રમાં શું લખ્યું?
- Mamdani Umar Khalid Letter : દિલ્હી રમખાણના આરોપી ઉમર ખાલિદને મમદાનીએ લખ્યો પત્ર
- જેલમાં બંધ ઉમર ખાલિદને ન્યૂયોર્કના મેયર મમદાનીએ લખ્યો પત્ર
- ઉમર ખાલિદ માટે મમદાનીએ સહાનુભૂતિ વ્યક્ત કરી
અમેરિકાના સૌથી મોટા શહેર ન્યૂયોર્કના નવનિયુક્ત મેયર ઝોહરાન મમદાનીએ જેલમાં બંધ ભારતીય કાર્યકર્તા અને JNUના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદને પત્ર લખીને આંતરરાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચ્યું છે. દિલ્હી રમખાણોના કેસમાં છેલ્લા પાંચ વર્ષથી જેલમાં બંધ ખાલિદ માટે મેયર મમદાનીએ સહાનુભૂતિ વ્યક્ત કરતા લખ્યું છે કે, "અમે બધા તમારા વિશે વિચારી રહ્યા છીએ."
Mamdani Umar Khalid Letter : પત્રમાં શું લખ્યું છે?
ઉમર ખાલિદના પાર્ટનર બનોજ્યોત્સના લાહિરીએ આ પત્ર સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. પત્રમાં મમદાનીએ લખ્યું છે કે, "પ્રિય ઉમર, હું ઘણીવાર કડવાશ અને તેને આપણા પર હાવી ન થવા દેવાના મહત્વ વિશેના તમારા શબ્દો વિશે વિચારું છું. તમારા માતાપિતાને મળીને આનંદ થયો. અમે બધા તમારા વિશે વિચારી રહ્યા છીએ." ઉલ્લેખનીય છે કે, ખાલિદના પિતા સૈયદ કાસિમ રસૂલ ઇલ્યાસ ડિસેમ્બરમાં અમેરિકા પ્રવાસ દરમિયાન મમદાનીને મળ્યા હતા.
ન્યૂયોર્કના પ્રથમ મુસ્લિમ મેયર (Zohran Mamdani Umar Khalid Letter)
1 જાન્યુઆરીના રોજ ઝોહરાન મમદાનીએ ન્યૂયોર્કના પ્રથમ મુસ્લિમ અને એશિયન-અમેરિકન મેયર તરીકે શપથ લીધા છે. તેઓ પ્રખ્યાત ભારતીય ફિલ્મ નિર્માતા મીરા નાયર અને લેખક મહમૂદ મમદાનીના પુત્ર છે. તેમને ડેમોક્રેટિક સેનેટર બર્ની સેન્ડર્સ દ્વારા શપથ લેવડાવવામાં આવ્યા હતા. મમદાનીએ 'મોટી સરકારના યુગ'ની વાપસી અને મફત બસ સેવા તેમજ બાળ સંભાળ જેવા સમાજવાદી સુધારા લાગુ કરવાનું વચન આપ્યું છે.
ઉમર ખાલિદ અને દિલ્હી રમખાણ કેસ
ફેબ્રુઆરી ૨૦૨૦ના દિલ્હી રમખાણોના કાવતરાના આરોપમાં સપ્ટેમ્બર ૨૦૨૦માં ઉમર ખાલિદની ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર કડક કાયદો UAPA લગાવવામાં આવ્યો છે અને તેઓ હાલ તિહાર જેલમાં છે. તાજેતરમાં જ બહેનના લગ્ન માટે તેમને ૨૭ ડિસેમ્બરે કામચલાઉ જામીન મળ્યા હતા, જે પૂર્ણ થતા ૨૯ ડિસેમ્બરે તેમણે ફરી આત્મસમર્પણ કર્યું હતું.
આ પણ વાંચો: ચીન બલુચિસ્તાનમાં સેના તેનાત કરે તેવી શક્યતા!, બલુચ નેતાની ચેતવણી


