Bangladesh ના સચિવાલયમાં લગાવી કે લાગી આગ? તમામ દસ્તાવેજો બળીને ખાખ
- ઢાકામાં સચિવાલયની એક મોટી સામે આવી
- નવ માળની ઈમારતમાં લાગી આગ
- સરકારી દસ્તાવેજોને નુકસાન બળીને ખાખ
Bangladesh:ઢાકામાં ગુરુવારે બાંગ્લાદેશ સચિવાલયની એક મોટી ઈમારતમાં ભીષણ આગ લાગી હતી. જેના કારણે સરકારી દસ્તાવેજોનો નાશ કરવામાં આવ્યો હતો. આ આગ કોઈ કાવતરાના ભાગરૂપે લગાવવામાં આવી હોવાની આશંકા છે. અધિકારીઓને શંકા છે કે સરકારી દસ્તાવેજોને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. તેથી આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. બાંગ્લાદેશ સચિવાલયના બિલ્ડીંગ નંબર સાતમાં આગ લાગી હતી અને લગભગ છ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લેવામાં આવી હતી.
નવ માળે લાગી હતી આગ
મળતી માહિતી અનુસાર નવ માળની ઈમારતમાં સાત મંત્રાલયો હાજર છે. હાઈ સિક્યોરિટી કોમ્પ્લેક્સમાં ગુરુવારે સવારે આગ લાગી હતી. જો કે આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ગઈકાલે મધ્યરાત્રિ પછી, બિલ્ડિંગમાં ત્રણ સ્થળોએ એક સાથે આગ ફાટી નીકળી હતી, ફાયર સર્વિસના વડા બ્રિગેડિયર જનરલ ઝાહેદ કમલે પત્રકારોને જણાવ્યું હતું કે, આગ સંભવતઃ આકસ્મિક નહોતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આગને કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો, જેના કારણે બિલ્ડિંગ અને અન્ય મંત્રાલયોને તેમની સામાન્ય કામગીરી અટકાવવાની ફરજ પડી હતી જ્યારે સુરક્ષા એજન્સીઓએ સંકુલની અંદર પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો હતો, ઘણા કર્મચારીઓને સંકુલમાં પ્રવેશતા અટકાવ્યા હતા.
ટેલિકોમ્યુનિકેશન મંત્રાલયના દસ્તાવેજો બળીને ખાખ
બિલ્ડિંગ નંબર સાતના છઠ્ઠા, સાતમા અને આઠમા માળે આવેલા મોટાભાગના રૂમોને ખરાબ રીતે નુકસાન થયું છે, જ્યારે સ્થાનિક વહીવટીતંત્ર, પોસ્ટ અને ટેલિકોમ્યુનિકેશન મંત્રાલયના દસ્તાવેજો અને ફર્નિચર બળી ગયા છે. બિલ્ડિંગની મુલાકાત લીધા પછી એક અધિકારીએ જણાવ્યું હતું કે, "આગને ઓલવવા માટે વપરાતા પાણીથી ઘણા દસ્તાવેજોને પણ નુકસાન થયું હતું.ઇમારતના જુદા જુદા ભાગોમાં રહેતા કબૂતરો મૃત મળી આવ્યા હતા અને "કાવતરાખોરોએ તેમની પ્રવૃત્તિઓ બંધ કરી નથી, આસિફ મહમૂદ સાજીબ ભુયાએ જણાવ્યું હતું કે, વચગાળાના સરકારના સલાહકારમાં લાખો ડોલરના ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો હતો.


