Zohran Mamdani Kohinoor : ઝોહરાન મમદાનીની રાજા ચાર્લ્સ પાસે માંગ: "ભારતનો કોહિનૂર પરત કરો"
- Zohran Mamdani Kohinoor : ન્યૂયોર્કના મેયર મમદાનીની રાજા ચાર્લ્સ સામે મોટી માંગ!
- "બ્રિટન ભારતનો કોહિનૂર હીરો પરત કરે" - ઝોહરાન મમદાની
- અમેરિકામાં રહીને પણ મમદાનીએ જાળવ્યા ભારતીય મૂળ
- રાજદ્વારી શિષ્ટાચાર છોડી ઈતિહાસના અન્યાય પર ઉઠાવ્યા સવાલ
- કોહિનૂર હીરો ભારતની સાંસ્કૃતિક ઓળખ હોવાનું નિવેદન
Zohran Mamdani Kohinoor : ન્યૂયોર્ક શહેરના મેયર (Mayor) ઝોહરાન મમદાનીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ભલે તેઓ અમેરિકામાં સ્થાયી થયા હોય, પણ તેમના હૃદયમાં આજે પણ ભારત (India)માટે પ્રેમ ધબકે છે. બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજા (King Charles III) ની અમેરિકા મુલાકાત દરમિયાન મમદાનીએ એક પ્રેસ કોન્ફરન્સમાં અત્યંત સાહસિક નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે જો તેમને રાજા સાથે વાત કરવાની તક મળે, તો તેઓ ઔપચારિક વાતો કરવાને બદલે ભારતનો અમૂલ્ય ખજાનો 'કોહિનૂર' (Koh-i-Noor) પરત માંગશે.
Zohran Mamdani Kohinoor : મમદાનીનું ભારત માટે અતૂટ પ્રેમ
ઝોહરાન મમદાનીના માતા અને જાણીતા ફિલ્મ નિર્દેશક મીરા નાયર (Mira Nair) ભારતીય મૂળના છે. મમદાનીએ જણાવ્યું હતું કે, "જો હું રાજા સાથે વાત કરું... તો હું કદાચ તેમને કોહિનૂર પરત કરવા માટે કહીશ." સામાન્ય રીતે રાજદ્વારી મુલાકાતોમાં શિષ્ટાચાર જાળવવામાં આવતો હોય છે, પરંતુ મમદાનીએ બ્રિટનના સંસ્થાનવાદી ભૂતકાળને યાદ અપાવીને નવી ચર્ચા છેડી દીધી છે.
Journalist: King Charles will be in New York. What will you say to him?
Mamdani: I would ask him to return the Kohinoor Diamond
And here we have one who would instead gift another Diamond Set to get a fake Award.. pic.twitter.com/RnCrMsmnFD
— D (@Deb_livnletliv) April 29, 2026
અમેરિકામાં રહીને પણ મમદાનીએ જાળવ્યા ભારતીય મૂળ
કોહિનૂર હીરો ભારતની સાંસ્કૃતિક અસ્મિતાનું પ્રતીક છે. આ હીરાના ઈતિહાસ પર એક નજર કરીએ તો આ હીરો ભારતની કોલ્લુર ખાણમાંથી મળી આવ્યો હતો. 1849માં બીજા એંગ્લો-શીખ યુદ્ધ (Anglo-Sikh War) બાદ, 10 વર્ષના મહારાજા દુલીપ સિંહ પાસે લાહોરની સંધિ દ્વારા આ હીરો પડાવી લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત હાલમાં આ 105.6 કેરેટનો હીરો લંડનના ટાવર (Tower of London) માં રાણી માતાના મુગટમાં જડેલો છે.
કોહિનૂર હીરો ભારતની સાંસ્કૃતિક ઓળખ હોવાનું નિવેદન
ઉલ્લેખનીય છે કે ભારતીયો માને છે કે આ હીરો ભેટ નહીં પણ "ચોરાયેલો ખજાનો" છે. મમદાનીની આ માંગણી માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી; ગ્રીસ અને આફ્રિકાના દેશો પણ બ્રિટન પાસેથી પોતાની ઐતિહાસિક કલાકૃતિઓ (Artifacts) પરત માંગી રહ્યા છે. બ્રિટિશ સરકાર ભલે તેને કાનૂની માને, પણ નૈતિક રીતે તે આજે પણ વિવાદનું કેન્દ્ર છે.


