India Pakistan War : પંજાબ-દિલ્હીની IPL મેચ રદ, પાકિસ્તાનના હુમલા બાદ નિર્ણય
- દિલ્હી કેપિટલ્સ વચ્ચેની IPL મેચ રદ કરવામાં આવી
- ધર્મશાળામાં રમાઇ રહી હતી IPLની મેચ
- પાકિસ્તાને ભારતના ત્રણ રાજ્યો પર હુમલો કર્યો
India Pakistan War : પંજાબ અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)વચ્ચેની IPL મેચ રદ કરવામાં આવી છે. પાકિસ્તાને ભારતના ત્રણ રાજ્યો પર હુમલો કર્યો, ત્યારબાદ મેચ( India Pakistan War ) અધવચ્ચે જ રોકી દેવામાં આવી. પંજાબ ૧૦.૧ ઓવરમાં ૧૨૨ રન પર રમી રહ્યું હતું ત્યારે સ્ટેડિયમની એક લાઇટ બંધ થઈ ગઈ. એવું લાગતું હતું કે લાઇટ ટાવરમાં કોઈ સમસ્યા છે પરંતુ આ પછી અન્ય લાઇટો પણ બંધ કરી દેવામાં આવી અને ખેલાડીઓને તાત્કાલિક મેદાનની બહાર મોકલી દેવામાં આવ્યા. આઈપીએલના ચેરમેન અરુણ ધુમલે મેચ રદ થવાની પુષ્ટિ કરી છે.
પંજાબ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની IPL મેચ રદ કરવામાં આવી છે
પાકિસ્તાને ભારતના 3 રાજ્યો પર હુમલો કર્યો છે, ત્યારબાદ મેચ અધવચ્ચે જ રદ કરવામાં આવી હતી. પંજાબની ટીમ 10.1 ઓવરમાં 122 રન બનાવીને રમી રહી હતી ત્યારે સ્ટેડિયમની એક લાઇટ બંધ થઈ ગઈ. એવું લાગતું હતું કે લાઇટ ટાવરમાં કોઈ સમસ્યા છે પરંતુ આ પછી અન્ય લાઇટો પણ બંધ કરી દેવામાં આવી હતી અને ખેલાડીઓને તાત્કાલિક મેદાનની બહાર મોકલી દેવામાં આવ્યા હતા. IPLના ચેરમેન અરુણ ધુમલે મેચ રદ કરવાની પુષ્ટિ કરી છે.
IPLની મેચ વચ્ચેથી જ રોકી દેવાઇ
ધર્મશાળામાં રમાઇ રહી હતી IPLની મેચ@IAF_MCC @indiannavy @IndiannavyMedia @rajnathsingh @HMOIndia @PMOIndia @AmitShah @narendramodi @DefenceMinIndia @SpokespersonMoD @AmitShah #perationSindoor2 #IndiaPakistanWar #IndiaPakistanTensions… pic.twitter.com/fRmiTnq3Fv— Gujarat First (@GujaratFirst) May 8, 2025
આ પણ વાંચો - ભારતના હુમલામાં રાવલપિંડી સ્ટેડિયમને મોટુ નુકસાન, PSLની મેચ રદ
IPL માટે ખતરો
પાકિસ્તાને ભારતના ઘણા શહેરોમાં ડ્રોન હુમલા કર્યા છે. પાકિસ્તાને ઉધમપુર, જમ્મુ, અખનૂર, પઠાણકોટ અને કઠુઆમાં ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા હતા જેને ભારતે તોડી પાડ્યા હતા. આ ઉપરાંત રાજસ્થાન અને પંજાબના મહત્વપૂર્ણ શહેરો પર પણ મિસાઇલ અને ડ્રોન છોડવામાં આવ્યા હતા. પરંતુ ભારતે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો અને તેમના મિસાઇલ અને ડ્રોનને તોડી પાડ્યા. આ હુમલાઓ પછી, સાવચેતી તરીકે આ IPL મેચ રદ કરવામાં આવી હતી.
આ પણ વાંચો - KKR Vs CSK મેચમાં બોમ્બ વિસ્ફોટની ધમકી, IPL 2025 દરમિયાન ભયનો માહોલ!
પંજાબ-દિલ્હીને 1-1 પોઈન્ટ મળશે
પંજાબ અને દિલ્હી વચ્ચેની આ મેચ રદ કરવામાં આવી છે અને હવે બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશે. આ મેચમાં પંજાબ ખૂબ જ મજબૂત સ્થિતિમાં હતું, તેથી આ તેમના માટે ખરાબ સમાચાર છે. બાય ધ વે, ખરાબ સમાચાર ફક્ત પંજાબ માટે જ નહીં પરંતુ તમામ ક્રિકેટ ચાહકો માટે છે. એવું માનવામાં આવે છે કે હવે લોકો અને ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને IPL ની આગામી મેચો પણ ફરીથી શેડ્યૂલ કરી શકાય છે. IPL ગવર્નિંગ કાઉન્સિલે આ મુદ્દા પર એક કટોકટી બેઠક બોલાવી છે જેમાં આ સિઝનની આગામી મેચો પર મોટો નિર્ણય લેવામાં આવી શકે છે.