ગુજરાત સામેની 'કરો અથવા મરો' મેચમાં MS Dhoni રમશે કે નહીં, જાણો લેટેસ્ટ અપડેટ?
- ધોની વિના મેદાને ઉતરશે સીએસકેની પલ્ટન!
- અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે મહામુકાબલો
- અંગૂઠાની ઈજાના કારણે એમએસ ધોની મેચમાંથી બહાર
- પ્લેઓફમાં ક્વોલિફાય થશે તો જ ધોનીની થશે વાપસી
- બેટિંગ કોચ માઈકલ હસીએ સત્તાવાર કરી પુષ્ટિ
આજે 21 મેની સાંજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) ખાતે 'યેલો આર્મી' પોતાની છેલ્લી લીગ મેચ રમવા માટે તૈયાર છે. પરંતુ ક્રિકેટ ફેન્સ માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ના દિગ્ગજ ખેલાડી એમએસ ધોની (MS Dhoni) આ મહત્વપૂર્ણ મુકાબલામાં રમી શકશે નહીં. આ અંગે ખુદ સીએસકેના મેનેજમેન્ટે મોટું નિવેદન આપ્યું છે.
🚨 BIG UPDATE ON MS DHONI 🚨
- MS Dhoni has gone back home to Ranchi with a thumb injury.
- MS Dhoni join CSK if they make the playoffs. pic.twitter.com/oIlbXExCcb— Cricket Central (@CricketCentrl) May 21, 2026
અંગૂઠાની ઈજા બની વિલન
ચેન્નાઈ સુપર કિંગ્સના બેટિંગ કોચ માઈકલ હસી (Michael Hussey) એ સત્તાવાર પુષ્ટિ કરી છે કે, અંગૂઠામાં ઈજાના કારણે ધોની ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામેની આ મેચમાં રમી શકશે નહીં. જોકે, તેમણે આશા જગાવી છે કે જો યેલો આર્મી પ્લેઓફ (IPL Playoffs) માટે ક્વોલિફાય કરી લેશે, તો ધોની ટીમમાં વાપસી કરી શકે છે. હસીએ જણાવ્યું કે, "તેઓ હાલ ટીમ સાથે નથી, પરંતુ પ્લેઓફમાં તેમની વાપસી નક્કી છે. તેમનો અંગૂઠો રિકવર થઈ રહ્યો છે, પણ આ મેચ માટે તેઓ ફિટ નથી."
પ્લેઓફનું ગણિત અને સીએસકેની સ્થિતિ
આ આખી આઈપીએલ સીઝન (IPL 2026) દરમિયાન ધોનીની ફિટનેસ ચર્ચાનો વિષય રહી છે. સીએસકે હાલમાં પોઈન્ટ્સ ટેબલમાં 13 મેચમાં 12 અંક સાથે છઠ્ઠા સ્થાને છે. પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે ચેન્નાઈ માટે આ મેચ જીતવી અનિવાર્ય છે. જો ટીમ જીતશે તો 14 પોઈન્ટ્સ થશે, પરંતુ ટોપ-4 માં સ્થાન મેળવવા માટે અન્ય ટીમોના પરિણામો પર પણ નિર્ભર રહેવું પડશે. લગાતાર બે હાર (લખનૌ અને હૈદરાબાદ સામે) બાદ સીએસકે દબાણમાં છે. કોચ હસીએ સ્વીકાર્યું કે આ હારથી રસ્તો મુશ્કેલ બન્યો છે, પરંતુ ટીમ આ નિરાશામાંથી બહાર આવીને આજે મજબૂત કમબેક કરવા તૈયાર છે.
આ પણ વાંચો : હાર્દિક પંડ્યાને BCCI એ ફટકાર્યો દંડ, IPL 2026માં Mumbai Indians ની મુશ્કેલીઓ વધી


