રવિન્દ્ર જાડેજાએ કેપ્ટન બન્યા પછી ધોનીનો આભાર માનીને દિલ જીતે તેવું નિવેદન આપ્યું
IPL
2022 પહેલા મહેન્દ્રસિંહ ધોનીએ મોટો નિર્ણય લીધો
છે. તેણે ચેન્નાઈ સુપર કિંગ્સની કપ્તાની રવિન્દ્ર જાડેજાને સોંપી છે. જાડેજા હવે
ટીમની કમાન સંભાળશે. કેપ્ટન બન્યા બાદ જાડેજાએ પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું
કે તે કેપ્ટનશીપ મેળવીને ખુશ છું પરંતુ તેની સામે એક પડકાર પણ છે. જાડેજાએ ધોની વિશે કહ્યું કે તેના
વારસાને આગળ વધારવો પડકારજનક રહેશે. આ સાથે તેણે માહીના વખાણ પણ કર્યા હતા. ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 4 આઈપીએલ ટાઈટલ જીત્યા હતા.
📹 First reactions from the Man himself!#ThalaivanIrukindran 🦁💛 @imjadeja pic.twitter.com/OqPVIN3utS
— Chennai Super Kings (@ChennaiIPL) March 24, 2022" title="" target="">javascript:nicTemp();
સુકાની બન્યા બાદ જાડેજાએ કહ્યું કે, ખુબ જ
ખુશી મળી છે. માહી ભાઈએ એક વારસો સ્થાપ્યો છે.
મારે આને આગળ લઈ જવાનું છે. મારે કોઈપણ રીતે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તેઓ મારી સાથે છે. મને જે પણ
પ્રશ્નો હશે હું માહી ભાઈને પૂછી લઈશ. તેઓ ભૂતકાળમાં મારા માટે હતા અને આજે પણ છે. તેથી મને ચિંતા નથી. તમામ
શુભકામનાઓ માટે આપ સૌનો આભાર. નોંધનીય છે કે ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાનું IPLમાં જોરદાર પ્રદર્શન રહ્યું છે. તેણે 200 મેચમાં 2386 રન બનાવ્યા છે. આ દરમિયાન જાડેજાએ બે
અડધી સદી ફટકારી છે. તેણે બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરીને 127 વિકેટ પણ લીધી છે..


